SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૨ અત્યારે પણ મંગળગ્રહનાં સ્વરૂપ, આકાર-પ્રકાર તથા એમાં રહેલ સામગ્રીની માહિતી મોકલી રહ્યું છે; એટલું જ નહિ, મંગળના સંશોધનને વધુ ઘનિષ્ઠ બનાવવા વાઇકિંગ-૨ નામે બીજું અવકાશયાન પણ, બે-એક અઠવાડિયાં બાદ જ, મંગળના અન્ય વિભાગમાં પહોંચી જવાનું છે ! હવે પછી વૈજ્ઞાનિક પ્રયોગો અને સંશોધનોથી કેવી-કેવી વધુ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાશે એ વાતને બાજુએ રાખીએ, તો એમ વિના અતિશયોક્તિએ કહી શકાય, કે દુનિયાના વૈજ્ઞાનિકો સૈકાઓથી વિજ્ઞાનની વિવિધ પ્રકારની સિદ્ધિઓમાં જે ઝડપી આગેકૂચ કરી રહ્યા છે, એ બધી સિદ્ધિઓની પરાકાષ્ઠારૂપે મંગળ ઉ૫૨ વાઇકિંગ૧ના ઉતરાણ અને સંશોધનની આ સિદ્ધિ છે. * * શ્રી મોટાએ શાંત, એકાંતપ્રધાન, ધ્યાનમૌનમય અંતર્મુખ આત્મસાધના દ્વારા જે સિદ્ધિ મેળવી, અને સાથેસાથે જ, બિલકુલ અનાસક્ત ભાવે, લોકકલ્યાણની તેમ જ પ્રજાનાં ઘડતર તથા ઉત્થાનની વિવિધમુખી, વ્યાપક સંખ્યાબંધ પ્રવૃત્તિઓની જે પ્રેરણા આપી હતી, અને અંતે જીવનનો સ્વાભાવિક ક્રમ હોય એમ, મરણને સાવ સહજભાવે આવકારી જાણ્યું એ પણ કંઈ મામૂલી ઘટના નથી; સતત જાગૃતિથી જીવનને દોષમુક્ત અને સદ્ગુણોથી સમૃદ્ધ બનાવવાના ૫રમ પુરુષાર્થનું જ એ સુળ છે. ― એક વિજ્ઞાનની સિદ્ધિ અને બીજી આત્મસાધનાની સિદ્ધિ – આ બંને સિદ્ધિઓનું હાર્દ એ બેના વિશ્લેષણથી વધારે સમજીએ. વિજ્ઞાન અને એની શોધોનો આધાર મુખ્યત્વે પ્રયોગશીલતા છે. કુદરતનાં તત્ત્વોનાં નિરીક્ષણ, મિશ્રણ અથવા વિભાજનથી જે વૈજ્ઞાનિક પરિણામ આવવાની શકયતા લાગે, એ માટે જુદા-જુદા પ્રકારના સંખ્યાબંધ પ્રયોગ કરવામાં આવે છે; અને એ સફ્ળ થાય છે, ત્યારે જ કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધિ હાંસલ કરી શકાય છે. આત્માસાક્ષાત્કાર તરફ દોરી જતી સિદ્ધિનો આધાર પ્રયોગશીલતા નહીં, પણ યોગસાધના છે. યોગસાધનાથી એવું જ્ઞાન પ્રગટે છે કે જેમાં જગના, જીવના (ચૈતન્યયુક્ત શરીરીઓના) અને પરમતત્ત્વરૂપ પરમાત્માના સ્વરૂપનું ક્રમેક્રમે વધુ ને વધુ સ્પષ્ટ અને અંતે પરિપૂર્ણ કહી શકાય એવું દર્શન થતું જાય છે. પ્રયોગશીલતા અને યોગસાધના વચ્ચે અર્થાત્ વિજ્ઞાન અને સ્વાનુભૂતિ વચ્ચે બીજો મોટો તફાવત એ છે કે વિજ્ઞાનને માટે ઢગલાબંધ સામગ્રી અને અઢળક સંપત્તિ જરૂરી છે, ત્યારે સ્વાનુભૂતિ માટે તો માત્ર યોગસાધના પ્રત્યેનો આદર અને એ માટેની તમન્ના, નિશ્ચયશક્તિ અને બાહ્ય દૃષ્ટિને આત્મદર્શન અર્થે અંતર્મુખ બનાવવાની વૃત્તિ જેવી આંતરિક ગુણસંપત્તિની જ જરૂર પડે છે. Jain Education International ૩૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy