SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જિનમાર્ગનું અનુશીલન ભારપૂર્વક લખીએ છીએ. ડેલાના ઉપાશ્રયના ઝઘડામાંથી પણ કંઈ ફલિત થતું હોય તો આ જ ફલિત થાય છે. જ્યારે પણ આપણા ઉપાશ્રયોનાં દ્વારા સર્વ સાધુઓ માટે અભંગ થશે તે દિવસ જૈનસંઘને માટે ધન્ય દિવસ હશે. અત્યારે તો જૈનેતરના મઠો અને આપણા આવા ચોકા પાડતા ઉપાશ્રયમાં કશો ફરક નથી જણાતો. (તા. પ-૬-૧૯૪૯) (૨૫) સુણો અચરજ એહ! (હાથીના દાંત) એક જ માનવ સમય-સમય પર, બે-બે રૂપો ધરતો, તળિયાહીણા ગટકૂડા જ્યમ, બધી દિશામાં ફરતો. ડોલકાચીડાની કાયાના રંગો જ્યમ બદલાય, માનવ-મનના ઢગ જોઈને, મનમાં અચરજ થાય. ધનની માળા ભાળો – ધર્મતણી વાતો બહુ કરતો, કરે પ્રશંસા ભારી; ધર્મથકી સહુ કારજ સીઝે, વાત ધર્મની ન્યારી! ધર્મકાર્યથી આ જગમાંહી, નહીં કો બીજું મોટું. ધર્મતણી વાતોને છોડી, બીજું સઘળું ખોટું. બીજી બાજુ ધનને નિંદઃ ધન ઝઘડાનું મૂળ; માનવના કલ્યાણમાર્ગમાં, ધન છે મોટું શૂળ. પણ જો એના દિલમાં પેસી, સાચી વાત નિહાળો, ધર્મતણી ડબ્બીમાં બેઠી, ધનની માળા ભાળો. કરે ત્યાગનો ત્યાગ – ત્યાગતણો મહિમા બહુ ગાયે, ત્યાગ સર્વમાં શ્રેષ્ઠ; ત્યાગ અને ત્યાગીની આગળ, બીજું સઘળું હેઠ. પણ હૈયામાં ભોગલાલસા, ભોરિંગની જ્યમ બેઠી; ભોગ ન મળતાં સઘળી મેલે, ત્યાગની વાતો હેઠી. ત્યાગમહીંથી ભોગ મેળવે, જોઈ જોઈને લાગ; ભોગોને મેળવવા સારુ, કરે ત્યાગનો ત્યાગ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy