SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ જિનમાર્ગનું અનુશીલન પ્રતિષ્ઠા અને આબરૂને ભારે હાનિ પહોંચાડી છે; કારણ કે, અમદાવાદને આપણે જૈનપુરી” તરીકે ઓળખીએ છીએ, અને ત્યાં જેનો દાવો ‘હિંદુસ્તાનના સમસ્ત જે. મૂ. જૈન કોમના પ્રતિનિધિ' હોવાનો છે, તે આણંદજી-કલ્યાણજીની પેઢીનું મુખ્ય મથક છે. વળી, જેમને માત્ર અમદાવાદના જ નહીં, પણ ધાર્મિક વર્ચસ્વના સંબંધે સમસ્ત છે. મૂ. જૈનસંઘના નગરશેઠ તરીકે ઓળખાવવાનો વારંવાર પ્રયત્ન થાય છે, તેમનું ત્યાં રહેઠાણ છે. જૈન શ્રેષ્ઠીઓ અને હજારો અનેક જૈન ભાઈ-બહેનોની ત્યાં વસ્તી છે. અનેક ભવ્ય દેવમંદિરો, મોટામોટા ઉપાશ્રય આવેલાં છે. આ ઝઘડા અંગેના આ લખાણમાં કયો પક્ષ સાચો અને કયો પક્ષ ખોટો એના ન્યાયાધીશ બનવાનો અમારો ઇરાદો નથી. અમારે એટલું જ કહેવું છે, કે આપણે જો ધાર્મિકતાના સાચા રંગે રંગાયેલા હોત, તો આવા ઝઘડાને કદી પણ ઉપસ્થિત ન કરત. એક પક્ષને અજ્ઞાનના કારણે કદાચ ઝઘડો જગાવવાની ઇચ્છા થાય, પણ જો બીજો પક્ષ આવા ઝઘડાને અવકાશ આપવા માગતો જ ન હોય, તો ધર્મના નામ ઉપર કલંક લગાડનાર ઝઘડાઓ જરૂર ટાળી શકાય. આ ઝઘડામાં બંને પક્ષે પદવીધારી સાધુઓ છે અને ધનવાન તથા વગદાર શ્રાવકો છે; તેમ જ એ સંસ્થા પાસે પણ અઢળક નાણું સંગ્રહાયેલું છે. એટલે, દરેક પક્ષને પોતાના બળ ઉપર એવી પ્રમાણાતીત આસ્થા છે, કે એની આગળ સત્યઅસત્યનો કે ધર્મ-અધર્મનો વિચાર કરવા એ પળવાર પણ થોભે એમ નથી લાગતું. આજે તો ધર્મનો જીવ જતો હોય તો ભલે જાય, પણ આપણા મમત અને અહંકારનો રંગ રહેવો જોઈએ એવો ઘાટ બની ગયો છે. અને એના પરિણામરૂપે મુખકલહ, હસ્તપ્રહાર અને પત્રિકા પ્રચારથી આગળ વધીને, હજારોની નકલોમાં છપાતાં અને સર્વસાધારણ જનતામાં છૂટથી વંચાતાં વર્તમાનપત્રોમાં અવનવાં નિવેદનો કરવાની અને સરકારી કચેરીઓનો આશ્રય લેવાની હદ સુધી બંને જૂથો આગળ વધી ગયાં છે. એક બાજુ જૈન સમાજ, સંઘ કે ધર્મ માટે અજૈન કોઈપણ મહાનુભાવ જરા પણ ઘસાતું લખે તો તેની સામે આપણે મોટા પ્રતીકારોની વાતો કરીએ છીએ; જરૂર પડ્યું તેનો વિરોધ કરવા સભાઓ પણ ભરીએ છીએ. બીજી બાજુ આપણે આપણા પોતાના જ હાથે ભાવનાથી પ્રેરાઈને આપવામાં આવતાં આપણાં પોતાનાં જ નાણાંનો ધુમાડો કરીને પોતાના સમસ્ત જૈનસંઘની આબરૂનું લિલામ કરીએ છીએ ! તો પછી બીજાઓએ કરેલ આક્ષેપોના હજારો પ્રતીકારો અને વિરોધો પણ આપણી પ્રતિષ્ઠાને નિષ્કલંક નહીં રાખી શકે એ સમજી લઈએ. આ ઉપરાંત એક તરફ ધાર્મિક બાબતોમાં દખલગીરી કરવા માટે આપણે સરકારની નિંદા કરીએ છીએ અને એવી દખલગીરી નહીં કરવા માટે સરકાર ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy