SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૪ ૨૯૭ દિગંબર કે સ્થાનકવાસી મુનિઓને પણ વસતી આપવાનું તો દૂર રહ્યું, પણ સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય માટે પણ આપણાં કેટલાંક – ખાસ કરીને અમદાવાદ જેવાં – શહેરોમાંના ઉપાશ્રયો ખુલ્લાં નથી રહ્યાં એ ભારે કમનસીબ બીના છે. આમાં પણ આપણે ગચ્છભેદને બહુ આગળ કરવા ટેવાઈ ગયા છીએ. આટલું બસ ન હોય એમ, એક જ ગચ્છના બધા સાધુઓ માટે પણ આપણા ઉપાશ્રયોનાં દ્વાર ઉઘાડાં નથી રહ્યાં એ આપણી ભારે અધોગતિની નિશાની છે. અમુક ઉપાશ્રયમાં અમુક ગચ્છના ને અમુક સંપ્રદાયના જ સાધુઓ ઊતરી શકે એ ભારે બીમારીની નિશાની છે. જો પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી મુનિવરો અંગે પણ આવી ગેરવ્યવસ્થા ચાલુ રાખીએ તો આપણે જૈનેતરોના મઠો કે મઠાધીશોને કયા મોઢે દોષપાત્ર ઠરાવી શકીએ? - સાચી વાત તો એ છે, કે ઉપાશ્રયમાં ઊતરવા માગનાર મુનિવર, જો ભાગવતી દીક્ષાના ધારક હોય અને પંચ મહાવ્રતના પાલનહાર હોય, તો પછી એમાં ન કોઈ ગચ્છની અપેક્ષા રહે છે, ન કોઈ વિશિષ્ટ સમુદાયની મહોરછાપની. ઉપર્યુક્ત યોગ્યતા જ કોઈ પણ ઉપાશ્રયમાં સ્થાન મેળવવા માટે બસ ગણાવી જોઈએ. આથી જુદી વ્યવસ્થા ઊભી કરવી – જે અત્યારે અમદાવાદમાં અને બીજાં કેટલાંક શહેરોમાં પ્રવર્તી રહી છે – તે એક પ્રકારની અસ્પૃશ્યતા આચરવા બરોબર છે. પ્રભુ મહાવીરની વિશ્વ વાત્સલ્યપૂર્ણ અહિંસાનો સંદેશો અપનાવી આપણે માનવમાત્રમાંથી અસ્પૃશ્યતા દૂર કરી શકીએ ત્યારે ખરા; પણ આપણા ધર્મને અને આપણી ધર્મભાવનાને અચૂક કલંકિત કરતી આ અસ્પૃશ્યતા તો આપણે દૂર કરવી જ રહી. તેથી અમે લાગતાવળગતા બધાં ય મહાનુભાવોને ભારપૂર્વક સૂચવીએ છીએ, કે આપણા તમામ ઉપાશ્રયનાં દ્વારો સાધુમાત્રને માટે સત્વર ખુલ્લાં રાખો. એમાં ગચ્છ, સમુદાય કે વ્યક્તિઓના વાડાઓ ઊભા કરીને ધર્મના પવિત્ર આત્માને ન હણશો. નહીં તો આપણા જ હાથે આપણા ધર્મનો હ્રાસ કર્યાનું કલંક આપણને લાગ્યા વગર નહીં રહે. જો આપણે વ્યક્તિગત વ્યામોહમાં ફસાઈ સાચી સાધુતાનું અપમાન કરીશું, તો જૈનેતરોમાં જેનધર્મ માટે બહુમાન જન્માવવાની આશા શી રીતે રાખી શકીશું? (તા ૨૮-૧૧-૧૯૪૮) ડેલાના ઉપાશ્રયનો ઝઘડો છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં ડેલાના ઉપાશ્રય નિમિત્તે ત્યાંના જૈનસંઘના કેટલાક સાધુઓ અને શ્રાવકોમાં જે પ્રકારનો ઝઘડો ઊભો થયો છે, તે એક રીતે વિચારીએ તો, જૈનસંઘના શરીરમાં ધાર્મિકતાના સોહામણા લેબાસ નીચે. પેઠેલો અધાર્મિકતાનો દારુણ રોગ છે. આ ઝઘડાએ અમદાવાદના જે. મૂ. જૈનસંઘની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy