SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ જિનમાર્ગનું અનુશીલન એ વિરોધને વ્યક્ત કરવા માટે એ વર્ગે કાગનો વાઘ બનાવીને ભારે ઝનૂનપૂર્વક, કોઈ પણ ધર્મના અનુયાયીઓને ન શોભે એવાં ન કરવા જેવાં કંઈકંઈ કાર્યો કર્યાં હતાં; અને હજી પણ આંધળી જેહાદ જેવો એમનો આ વિરોધ શાંત પડ્યો હોય એવાં કોઈ એંધાણ નથી. ઊલટું, આ વિરોધના હુતાશનને શાંત પડી જતો અટકાવવા માટે તેઓ કિંઈક ને કંઈક પણ ઈંધણ એમાં નાખતા જ રહે છે ! તાજેતરમાં બનેલ આવા જ એક દુઃખદ પ્રસંગને લઈને અમને આ નોંધ લખવાની ફરજ પડી છે. અમારા આજના અંકના પહેલે પાને ગુજરાત રાજ્યની પ્રદર્શન-સમિતિ તરફથી પ્રગટ કરવામાં આવેલું નિવેદન અમે છાપ્યું છે. તે ઉપરથી જોઈ શકાશે કે ગુજરાત સરકારની નિર્વાણ મહોત્સવ-સમિતિના ઉપક્રમે, જૈન સાહિત્ય અને કળાની સામગ્રીનું અમદાવાદમાં આ દીપોત્સવી આસપાસ ત્રણેક અઠવાડિયા માટે મોટું પ્રદર્શન ભરવાની જે યોજના કરવામાં આવી હતી, તે તપગચ્છ જૈનસંઘના ઉજવણીનો વિરોધ કરનાર વર્ગના હાથે જ નુકસાન થવાની સંભાવના લાગવાથી, પડતી મૂકવાની પ્રદર્શન-સમિતિને ફરજ પડી છે. કાળબળની, હળાહળ કળિયુગની અથવા તો પડતીવાળા પાંચમા આરાની જ બલિહારી કે જૈન સાહિત્ય અને કળાની આવી અમૂલ્ય સામગ્રીને નુકસાન થવાનો ભય ન તો કોઈ પરદેશીઓ તરફથી, ન પરધર્મીઓ તરફથી, પણ ખુદ જૈનસંઘના જ એક ભાગના ઝનૂની વલણને કારણે ઊભો થયો! પ્રદર્શન-સમિતિનું આ નિવેદન જોઈને કોઈને કદાચ એમ પણ લાગે કે આ રીતે સમિતિએ પોતાની કમજોરી દાખવી છે. પણ અમે એમ નથી માનતા; એટલું જ નહીં, પણ દેખીતી રીતે કમજોરી જેવું લાગતું સમિતિનું આ પગલું અમને આવકારપાત્ર, શાણું અને દૂરંદેશીથી ભરેલું લાગ્યું છે. ગત મહાવીર જન્મકલ્યાણકની સરકારી ઉજવણીના છેલ્લા દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરના મેદાન જેવા પવિત્ર સ્થાનમાં, આ વિરોધીઓએ જે બેફામ હિંસક તોફાન અને મારામારી કર્યા હતાં, તે નજરોનજર નિહાળ્યા પછી અને પ્રદર્શનમાં તોફાન થવાની વહેતી થયેલી વાતો સાંભળ્યા પછી, ત્રણેક અઠવાડિયાં જેટલા લાંબા સમય માટે ચાલુ રહેનાર આવું પ્રદર્શન ભરવાનું જોખમ કોઈ પણ સમજદાર વ્યક્તિ ન જ લઈ શકે. પરમાત્માનો પાડ કે ઉદ્ઘાટન થાય તે પહેલાં જ પ્રદર્શન-સમિતિને આવા જોખમના અણસાર મળી ગયા અને એણે સમયસૂચકતાથી પ્રદર્શનનો વિચાર જ માંડી વાળ્યો. આવા સંજોગોમાં પ્રદર્શન ભરાયું હોત અને પછી કંઈ તોફાન થયું હોત, તો ઘણે ભાગે કાગળ, કપડું, લાકડું ધરાવતા આ પ્રદર્શનને કેટલું મોટું નુકસાન પહોંચ્યું હોત એની કલ્પના જ કંપાવી મૂકે છે. આ બાબતમાં ભય હોવાનું શાથી લાગ્યું તેની જે આછી વિગતો જાણવાસાંભળવા મળી તેનો સાર કંઈક આ પ્રમાણે તારવી શકાય : આ પ્રદર્શનનું ઉદ્દઘાટન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy