SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જિનમાર્ગનું અનુશીલન એ રીતે જ થઈ શકે; બહુ ચોખલિયા કે ડગલે ને પગલે પાપભીરુ થઈએ તો ધર્મની રક્ષા થઈ ચૂકી.” છેલ્લા ચારેક દાયકા દરમિયાન તપગચ્છ જૈનસંઘમાં તિથિચર્ચાના બહાને જે ક્લેશ અને વિક્ષેપ ઊભો કરવામાં આવ્યો છે, એણે તો ધર્મના અને ધર્મની રક્ષાના નામે જગવવામાં આવતી ક્લેશવૃત્તિના ઇતિહાસમાં એવો તો આડો આંક વાળી દીધો છે, કે એનો નમૂનો બીજે ભાગ્યે જ મળી શકે. નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીના વિરોધ તપગચ્છમાં અત્યારે જે બિહામણું, હિંસક અને તોફાની રૂપ લીધું છે, તે તિથિચર્ચાથી શરૂ થયેલ ક્લેશ-દ્વેષવૃત્તિ, અલગતાવાદ અને ચરમ કોટીની અસહિષ્ણુતાનો જ માઠો પરિપાક છે એમ સ્પષ્ટ જોઈ શકાય છે. તિથિચર્ચાથી શરૂ થઈને, નાની-મોટી અનેક કુચર્ચાઓમાંથી પસાર થઈને આ ક્લેશ-દ્વેષ-પોષક વૃત્તિ અત્યારે નિર્વાણ મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીના વિરોધ રૂપે એવી જલદ બની ગઈ છે, કે એમાં વિનય, વિવેક, નમ્રતા, સરળતા, ઉદારતા જેવા ગુણો નરી નબળાઈરૂપ લેખાય છે અને ગમે તેમ કરીને સામાને હલકો દખાડવાના પ્રયત્નને બહાદુરી લેખવામાં આવે છે ! અને વિરોધને ભયંકર મોટું રૂપ આપવાના ઉત્સાહના અતિરેકમાં શ્રીસંઘમાંથી નાના-મોટાનો જે વિવેક ઉપેક્ષિત થવા લાગ્યો છે તે સંઘના ભાવિને જોખમમાં મૂકી દે એવો છે. આજે તો વિરોધ જગવનાર પક્ષના નાના-મોટા મુનિરાજો કે નાના-મોંટા અજ્ઞ ગૃહસ્થો તથા ઊછરતા યુવાનો પણ સામા પક્ષના મોટા આચાર્યો, સાધુ-મુનિરાજો કે નાના-મોટા આગેવાનોની સામે તોછડાઈભરી વિવેકશૂન્ય ભાષામાં ગમે તેમ લખતા જ રહે છે ! સત્યવ્રત, ભાષાસમિતિ અને વચનગુપ્તિના ઉપાસકોના હાથે જ એ બધાંની કેવી ઉપેક્ષા અને વિડંબના થઈ રહી છે ! આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, કાંટાળા બાવળનું વાવેતર કરવા જેવી દુષ્પવૃત્તિના બૂરા અંજામથી આપણે હરગિજ બચી શકવાના નથી એ નક્કી સમજવું. રાષ્ટ્રીય ઉજવણીના પોતાના વિરોધને જલદ જેહાદનું રૂપ આપવા માટે આ મહાનુભાવોએ “પ્રશસ્ત કષાય અને અપ્રશસ્ત કષાય”ની જે ભ્રામક વાત વહેતી મૂકી છે તે કેવી નુકસાન કરનારી છે તે વાત આપણા બે તીર્થકર ભગવંતોના જીવન ઉપરથી સમજી શકાય એમ છે. ભગવાન મલ્લિનાથે પોતાના એક પૂર્વભવમાં મિત્રોને અંધારામાં રાખીને (મિત્રોની સાથે માયા રમીને) તપ કર્યું એનું માઠું ફળ એમને ભોગવવું પડ્યું હતું. ભગવાન મહાવીરના જીવે મરીચીના ભવમાં અહંકાર કર્યો તો એનું પણ કડવું ફળ એમને ભોગવવું પડ્યું હતું. આ બંને દાખલાઓમાં તો કાંઈ બીજાને નુકસાન કરવા માટે કષાયનો પ્રયોગ નહોતો કરવામાં આવ્યો, છતાં પણ એમને એનું કડવું ફળ ભોગવવું પડ્યું હતું. તો ઉજવણીના વિરોધીઓએ તો એક મગની જ બે ફાડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy