SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૨ ૨૯૧ આ પ્રસંગના અનુસંધાનમાં, નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણી સામે તપગચ્છમાં કનડગત અને બળજબરી જેવાં હિંસક પરિબળોથી ભરેલો જે વિરોધનો વંટોળ ઊભો કરવામાં આવ્યો છે એની પૂર્વભૂમિકા સમજવા જેવી છે. આમ તો, આપણી નજર સામે સર્જાયેલી પરિસ્થિતિનો, ઉપર-ઉપરથી વિચાર કરવામાં આવે, તો એમ જ લાગે કે આટલો જલદ વિરોધ એ છેલ્લાં બે-ચાર વર્ષ દરમિયાન એ દિશામાં જેહાદ જગાડવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એનું જ પરિણામ છે. પણ તપગચ્છ સંઘમાં ક્લેશ-દ્વેષનો દાવાનળ પ્રસરાવતી અત્યારની પરિસ્થિતિનું જરા તલસ્પર્શી અને સર્વગ્રાહી અવલોકન કરવાનો પ્રયત્ન કરીએ તો ચિત્ર કંઈક જુદા પ્રકારનું જ જોવા મળે છે. તપગચ્છની અત્યારની બેહાલી અને વેરવિખેર સ્થિતિનું જો સાચું નિદાન કરવું હોય તો આપણે ૩૮-૪૦ વર્ષ જેટલા ઊંડા ભૂતકાળ સુધી પહોંચવું જોઈએ. ત્યારે તિથિચર્ચાના નામે કે બહાને વ્યક્તિવાદ, અંધ વ્યક્તિપૂજા અને અહંભાવ જેવી વિઘાતક અને ધર્મવિમુખ વૃત્તિ અને પ્રવૃત્તિએ પોતાનો ખતરનાક પંજો ફેલાવવાની શરૂઆત કરી હતી, અને, કમનસીબે, આવી ભયંકર વૃત્તિ-પ્રવૃત્તિના હુતાશનને અનુકૂળ એવાં ઈંધણ, એક યા બીજી નવીનવી ચર્ચાને બહાને મળતાં જ રહ્યાં. પરિણામે, તપગચ્છ સંઘ ક્લેશ-કંકાસનું ધામ બનતો ગયો, તથા એની આંતરિક ધાર્મિકતા જોખમાવા લાગી. આ ૩૫-૪૦ વર્ષ દરમિયાન તિથિચર્ચાના ઘડવૈયા અને એના સમર્થકોએ, “ભાગલા પાડો અને રાજ કરો'ની કુટિલ નીતિનો આશ્રય લઈને જે અજંપો, અશાંતિ અને અવ્યવસ્થા ઊભાં કરવાનો દિન-રાત પ્રયત્ન કર્યો છે, તેથી એમના પોતાના સમુદાયમાં જ શિસ્ત, વિનય-વિવેક અને વડીલો તરફનાં આદરભક્તિની ઉપેક્ષા થવા લાગી હોય તો પછી બીજાઓ પ્રત્યે એવાં આદરભર્યા વર્તન-વ્યવહારની આશા જ કયાંથી રાખી શકાય? સામાન્ય રીતે તો, માનવીની પોતાની અંદર રહેલી કાષાયિક (મલિન) વૃત્તિ અને ક્લેશપ્રિય દૃષ્ટિરૂપ પાયાની ખામી જ્યારે ધર્મ જેવા પવિત્ર ક્ષેત્રને અભડાવી મૂકે છે, ત્યારે ધર્મ પોતાના સર્વમંગલકારી અને મહાસાગર જેવા વિશાળ રૂપને તજીને સંપ્રદાય કે પંથરૂપ ખાબોચિયાસમું અતિ સંકુચિત અને કટ્ટરતાથી દૂષિત રૂપ ધારણ કરે છે – એટલું બધું સંકુચિત કે જેમાં પોતાથી જરા પણ જુદા વિચાર ધરાવતી પોતાની જ ગણાય એવી વ્યક્તિને પણ બરદાસ્ત કરવાનું મુશ્કેલ બની જાય છે, અને ધર્મની રક્ષાના બહાને જ ધર્મનો ધ્વંસ કરનારી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને આશ્રય અને પ્રોત્સાહન મળવા લાગે છે. છતાં માનવી માને છે અને મનાવવા પ્રયત્ન કરે છે કે “ધર્મનું રક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy