SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ જિનમાર્ગનું અનુશીલન (૨૨) વિરોધના વકરતા રોગનું સિંહાવલોકન આપણા જૈનસંઘના એક અગ્રણી શેઠ શ્રી જીવતલાલભાઈ પ્રતાપસીએ ભગવાન મહાવીરના પચીસસોમા નિવાર્ણવર્ષની રાષ્ટ્રીય ઉજવણી માટે કેન્દ્ર-સરકારે રચેલી સમિતિમાંથી, મહારાષ્ટ્ર રાજ્યની કમિટીમાંથી, ગુજરાત રાજ્યની કમિટીમાંથી તથા મુંબઈમાં રચાયેલ બધા જૈન ફિરકાની બિનસરકારી કમિટીમાંથી થોડા દિવસ પહેલાં રાજીનામું આપ્યું છે. જે સંજોગોમાં તેઓએ રાજીનામું આપ્યું છે, તે જોતાં આ બાબતની વિશદ અને બની શકે તેટલી સર્વ-સ્પર્શી છણાવટ થાય તે ઈષ્ટ છે. તપગચ્છના જે મુનિરાજોને આ પવિત્ર અવસરની રાષ્ટ્રીય ઉજવણી સામે સજ્જડ વિરોધ છે, તેઓએ તપગચ્છ સંઘમાં જબરી જેહાદ જગાડી છે. ગૃહસ્થો અને યુવાનોનો સાથે પણ મેળવ્યો છે, અને પૈસાની તો આ કામ માટે ખૂબ રેલમછેલ થઈ રહી છે. આ જેહાદ ક્રમેક્રમે એવું જલદ રૂપ ધારણ કર્યું છે કે એના દુષ્પરિણામરૂપે એક જ તપગચ્છ જૈનસંઘ, યુદ્ધે ચડેલા પાંડવ-કૌરવોની જેમ, જાણે બે લશ્કરી છાવણીઓમાં વહેંચાઈ ગયો છે. એમાં વિરોધનો વંટોળ ઊભો કરનાર વર્ગ આવી પવિત્ર બાબતમાં પણ પોતાથી જુદા વિચારો ધરાવનાર વર્ગની વાત સાંભળવા કે એ વિચારોને બરદાસ્ત કરવા તૈયાર નથી; એટલું જ નહીં, એમને બોલતા બંધ કરી દેવા અને જો અવસર મળે, તો એમની દરેક પ્રકારની કનડગત કરીને હેરાન-પરેશાન કરવા મેદાને પડ્યો છે! પોતાના એકાંગી, પાંગળા અને પાયા વગરના વિરોધને બીજાઓ ઉપર ઠોકી બેસાડવા માટેના ઉત્સાહના અતિરેકમાં એ એટલો બેફામ અને ઝનૂની બની ગયો છે, કે જેથી વાણી અને વર્તનના વિવેકના સામાન્ય નિયમો પણ નેવે મુકાઈ ગયા છે; એટલે પછી એની પાસેથી માણસાઈભર્યા કે ધાર્મિકતાનું દર્શન કરાવે એવા વ્યવહારની તો. અપેક્ષા જ ક્યાંથી રાખી શકાય? આ દૃષ્ટિએ જોતાં શેઠ શ્રી જીવતલાલભાઈના રાજીનામાને આ વર્ગ પોતાની જલદ જેહાદના મોટા વિજયરૂપે હર્ષાતિરેકથી વધાવી લે તે સ્વાભાવિક છે. આ પ્રમાણે છેવટે રાજીનામું આપીને નિર્વાણ-મહોત્સવની ઉજવણી માટે નિમાયેલ કમિટીઓમાંથી છૂટા થવા માટે શેઠને શ્રી જીવતલાલભાઈને ન તો કશો દોષ આપી શકાય તેમ છે કે ન તો કંઈ કહી શકાય એમ છે. એંશી વર્ષ ઉપરાંતની વૃદ્ધ વયે સતત ગૃહફ્લેશ (મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી તેમનાં સંસારી ભત્રીજા છે અને મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજીના સંસારી બહેને પણ દીક્ષા લીધી છે) જેવી તાણમાં રહેવા છતાં પણ તેઓએ જે મક્કમતા દાખવી છે અને શાંતિથી કામ લીધું છે એ માટે એમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy