SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૧ ૨૮૯ પસંદ પડે એવો કયો જૈન વિષય મારે પસંદ કરવો એ મને સમજાતું નથી.” પંડિતજીએ ચંદનબાળાનો તથા બીજો કોઈક પ્રસંગ તેઓને સૂચવ્યો. મુસીબત એ હતી, કે ચંદનબાળાના પ્રસંગને દિગંબર સંઘ માનતો જ નથી, તથા બીજા પ્રસંગો બીજા જૈન ફિરકાઓને માન્ય નથી; તો એ કયા પ્રસંગોને લઈને પોતાની કાવ્યગંગાને વહેતી મૂકે? આપણને વળગેલી સાંપ્રદાયિક કટ્ટરતા, સંકુચિતતા અને અસહિષ્ણુતા એવી તો ઘેરી છે, કે જૈનેતર ચિત્રકારો, કવિઓ કે કથાકારો પોતાની કળા દ્વારા કોઈ પણ જૈન વિષયનું સર્જન કરતાં હંમેશાં વિરોધનો ભય સેવતા રહે છે. આપણી સાંપ્રદાયિક ઘેલછાનો એક બીજો દાખલો પણ અહીં નોંધવા જેવો છે. થોડાંક વર્ષ પહેલાં બિહાર સરકાર સાથે શ્રી સમેતશિખર તીર્થ બાબતમાં આપણને ખટરાગ થયો હતો. અધૂરામાં પૂરું દિગંબર જૈનસંઘ પણ પોતાના હિતની રક્ષા કરવા માટે આ પ્રશ્ન સાથે સંકળાયો હતો. આપણા સંઘના અધિકાર સુરક્ષિત રહે એ માટે આપણા મોવડીઓ તનતોડ મહેનત કરતા હતા. જ્યારે આપણું પ્રતિનિધિમંડળ બિહારના મુખ્યપ્રધાનશ્રીને મળવા પટના પહોંચ્યું ત્યારે એમણે પોતા ઉપર આવેલ તાર આપણા પ્રતિનિધિમંડળને આપ્યો. એમાં કોઈ વધારે પડતી ઉત્સાહી વ્યક્તિએ લખ્યું હતું, કે આપની પાસે આવેલ પ્રતિનિધિ મંડળ અમને માન્ય નથી ! આવી અદૂરદર્શી છે આપણી સંકુચિત મનોવૃત્તિ ! આ કામનો વિરોધ કરવામાં અનેક આચાર્યો અને મુનિવરો ભેગા થયા એમાં કોઈ મહાન સિદ્ધિ આપણે મેળવી છે એમ માની લેવાની જરૂર નથી. શ્રદ્ધા, અતિશ્રદ્ધા, અને અંધશ્રદ્ધામાં પળોટાયેલ સામાન્ય જનસમૂહને અમુક કામમાં સાથ ન આપવાનો આદેશ આપીને એને એ કામથી રોકવાનો પ્રયત્ન કરવો એ તો પાણી ઢાળ તરફ દોડાવવા જેવું સહેલું કામ છે. ખરી બહાદુરી તો ગૃહદાહનું રૂપ લઈ બેઠેલા તિથિના પ્રશ્નનો નિકાલ લાવવામાં કે પહેલા-બીજા મહાવ્રતના પાયાને લૂણો લગાડતી સંગ્રહશીલતા રૂપે તેમ જ રાગદષ્ટિ કે દૃષ્ટિરાગની પ્રેરક મોહાવિષ્ટ લોકસંપર્કની વૃત્તિરૂપે ઉત્તરોત્તર વધી રહેલ શિથિલતાની સામે વેળાસર પાળ બાંધવાનો પુરુષાર્થ કરવામાં રહેલી છે. ઝાઝું શું કહીએ? અમારે એ જ કહેવાનું છે, કે આ મહોત્સવ ઉજવવામાં આપણને લેશ પણ નુકસાન થવાનું નથી, પણ શાસનની પ્રભાવના રૂપે કંઈક લાભ જ થવાનો છે. (તા. ૮-૧-૧૯૭૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy