SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ જિનમાર્ગનું અનુશીલન વળી, ભગવાનનો પચીસસોમો નિર્વાણ મહોત્સવ વ્યાપક અને સાર્વજનિક ધોરણે ઉજવવામાં જૈન શાસનનું મોટું અનિષ્ટ થવાનું માનવા જેટલી હદની સંકુચિતતાને જો આપણે કેળવીએ, તો પછી તીર્થકર ભગવાનને આપવામાં આવેલાં જગનાથ, જગગુરુ, જગદુદ્ધારક, લોકનાથ, શરણદાતા વગેરે વિશેષણો પ્રભુની યથાર્થ મહત્તાનાં સૂચક છે એમ આપણે પુરવાર કેવી રીતે કરી શકીશું ? એક વાત આપણે બરાબર સમજી રાખવી ઘટે કે છેવટે ભગવાનનો મહિમા ઘટાડવો કે વધારવો એ ભક્તના પોતાના હાથની વાત બની જાય છે, અને ભક્તની ઉદારતા કે સંકુચિતતા ભગવાને ઉપદેશેલા ધર્મની ઉદારતા કે સંકુચિતતા લેખાવા લાગે છે. આપણે ત્યાં આત્માને નિમિત્તવાસી' કહીને એને ધર્મકરણી કરવાનું કંઈક પણ નિમિત્ત મળે અને એથી એ ધર્મકરણી કરવા પ્રેરાય એટલા માટે આપણા માનવસ્વભાવના અનુભવી ધર્મનાયકો અને શાસ્ત્રકારોએ પર્વો, તીર્થો અને ધર્મોત્સવની યોજના કરી છે. તો પછી ભગવાન મહાવીરના પચીસસોમાં નિર્વાણવિર્ષ જેવા શ્રેષ્ઠ પર્વ નિમિત્તે મહાન સમારોહ યોજીને સામાન્ય જનસમૂહ સુધી ભગવાનનો સમભાવ, વિશ્વમૈત્રી તથા અહિંસા-સંજમ-તપનો સંદેશો પહોંચતો કરવાનો પુરુષાર્થ કરવો એમાં ધર્મશાસનને નુકસાન કરનારું કર્યું તત્ત્વ હોઈ શકે? અને આ નિર્વાણમહોત્સવ જાહેર રીતે ઉજવવામાં જૈનધર્મનું ગૌરવ ખંડિત થવાનો ભય સેવવો એ તો ખુદ ભગવાનના અને એમણે પ્રરૂપેલા ધર્મના હીરને નહીં પિછાણવા જેવાં અજ્ઞાન અને પામરતા જ ગણાય. સાચા ઝવેરાતને બજારમાં મૂકવામાં ભય કેવો ? જે મહાનુભાવો પચીસસોમા નિર્વાણ-મહોત્સવની હિમાયત અને હિલચાલ કરે છે, એમના શુભ ઇરાદા માટે શંકા સેવવી એ સાચી વસ્તુસ્થિતિનો અપલાપ કરવા જેવો મોટો દોષ છે. આ રીતે બીજાઓ ઉપર નિરાધાર દોષારોપણ કરવું એ તો બીજાઓને આપણા શુભ ઈરાદા ઉપર પણ શંકાશીલ કરવા જેવી સ્વહાનિકર ભૂલ છે. અહીં એક પ્રસંગ ટાંકવા જેવો છે. સને ૧૯૫૮માં પંડિત શ્રી સુખલાલજી એમના દર્શન અને ચિંતન' પુસ્તકને સાહિત્ય અકાદમી તરફથી આપવામાં આવેલ પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક લેવા દિલ્હી ગયેલા. એ વખતે હિન્દી ભાષાના સુવિખ્યાત કવિ શ્રી મૈથિલીશરણજી ગુપ્ત પણ પારિતોષિક લેવા આવેલા. તેઓ પંડિતજીને મળ્યા ત્યારે એમણે દુઃખ સાથે તેમને એ મતલબનું કહ્યું, કે “આપ મને એવો કોઈ જૈન વિષય બતાવો કે જેના ઉપર હું કવિતા રચું. મિત્રો અને લોકો મને ઠપકો આપે છે કે મેં જૈન વિષયને લઈને કોઈ કાવ્યની રચના નથી કરી. પણ કોઈ નારાજ ન થાય, કે બધાંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy