SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૧ ૨૮૫ બીજી બાજુએ જેમ-જેમ આ પ્રસંગની ઉજવણી વધારે નજીક આવતી જાય છે, તેમ-તેમ એ ઉજવણી સામેનો જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની તપગચ્છ શાખાના એક વગદાર શ્રમણ-સમુદાયનો વિરોધ વધારે વ્યાપક અને વેગવાન બનતો જાય છે, અને હમણાં હમણાં તો એ જોરદાર અને ઝનૂની હિલચાલનું રૂપ ધારણ કરતો જણાય છે. શાસ્ત્ર અને પરંપરાના મોઘમ કે ગોળ-ગોળ નામે નરી રૂઢિચુસ્ત અને જુનવાણી મનોવૃત્તિ છેક પ્રાચીન સમયથી, સંઘના એકાંત રૂઢિભક્ત વર્ગને વળગેલી છે, તે દૃષ્ટિએ વિચાર કરતાં આવા વિરોધ માટે નવાઈ તો નથી લાગતી, પણ ખેદ જરૂર થાય છે. ધર્મની “વત્યુસદાવો ઘો’ જેવી પારમાર્થિક વ્યાખ્યાની ઉપેક્ષા કરીને, પવન, પાણી કે પ્રકાશને પોટકામાં બાંધી રાખવાની ચેષ્ટાની જેમ ધર્મના સર્વલ્યાણકારી તત્ત્વને અતિસંકુચિત મનોવૃત્તિના સાવ સાંકડા વાડામાં ગોંધી રાખવા મથીને વિશ્વના જીવોને એના લાભથી વંચિત રાખવાનો અતિબાલિશ પ્રયત્ન કરવામાં આપણા વિદ્વાન ગણાતા અને સંઘનાયકપદે બિરાજતા આચાર્યો સુધ્ધાં રાચે અને એમ કરવામાં પ્રવચનરક્ષા માને એ માટે કોને શું કહીએ ? અલબત્ત, તપગચ્છમાં પણ એવા આચાર્યો અને મુનિવરો છે જ, કે જેઓ આ પ્રસંગની ઉજવણી નિગ્રંથ ભગવાન મહાવીરના દિવ્ય-ભવ્ય જીવન અને જૈન સંસ્કૃતિના ગૌરવને છાજે એવી રીતે થવી જોઈએ એમ માને છે, અને એમાં પોતાથી બનતો બધો સહકાર આપવાની પોતાની ફરજ માને છે. ઉપરાંત, તપગચ્છના શ્રમણ સમુદાયમાં એક વર્ગ એવો પણ છે, જે આ કાર્ય માટે આ કે તે પક્ષમાં ભળવાને બદલે ઉદાસીનતા કે તટસ્થતા સેવે છે. પણ અહીં તો આ ઉજવણી પ્રત્યે આકરી નાપસંદગી અને નારાજગી દર્શાવીને જે શ્રમણસમુદાય એનો નર્યો વિરોધ કરવાની જ પોતાની ફરજ માને છે અને સકળ શ્રીસંઘને એનો વિરોધ કરવાની જ હાકલ કરે છે, એને અનુલક્ષીને જ કેટલીક વિચારણા કરવા ઈચ્છીએ છીએ. આ ઉજવણીની સામે શ્રીસંઘમાં વિરોધનું વાતાવરણ ગવવાનું કામ એક સંસ્થા તરીકે ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ “શ્રી અખિલ ભારતીય જન-સંસ્કૃતિ-રક્ષક સભાએ હાથ ધર્યું છે અને એક વ્યક્તિ તરીકે મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે ઉપાડ્યું છે. શ્રી અખિલ ભારતીય જૈન-સંસ્કૃતિ-રક્ષક સભાની બેઠક ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં, દિવાળી પહેલાં, ગત ૯-૧૦ ઑક્ટોબરે ઊંઝા મુકામે મળી હતી. એમાં આ ઉજવણીના વિરોધમાં કરવામાં આવેલી વિચારણાને અંતે તપગચ્છના જુદાજુદા સમુદાયના નવ આચાર્ય મહારાજો તથા બે મુનિવરોના નામે પ્રગટ કરવામાં આવેલ પત્રિકામાં, આ ઉજવણીમાં ભાગ નહીં લેવાનો શ્રીસંઘને આ પ્રમાણે આદેશ આપવામાં આવ્યો છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy