SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ જિનમાર્ગનું અનુશીલન “ખરેખર તો સુવિશુદ્ધ ધર્મના આરાધકો એ જ આપણો પક્ષ, અને તેના ઉઘાડેછોગ મોટા વિરોધકો એ વિપક્ષ – એવી રીતે ભેદ પાડીને વિચારવાની ખૂબ જરૂર જણાય છે. - “આ બાબતમાં ગંભીરપણે કશું જ વિચારવામાં નહિ આવે, અને શાસન અને શાસ્ત્રોથી નિરપેક્ષ બની જઈને માત્ર પક્ષ'ને જ સર્વસ્વ માનીને તેને પુષ્ટ કરવા માટે બધા જ દોષોને ગૌણ બનાવી દેવામાં આવશે તો મને લાગે છે, કે ધર્મશાસનના રખોપા (? રખેવાળ) જેવા ગણાતા વર્ગનું ભાવિ બેચેની ઉત્પન્ન કરે તેવું કદાચ હશે. “અંતમાં એટલું કહીશ કે... એટલી બધી સહુ શાંતિ પકડે અને સુંદર આરાધના કરે, કે અઢાર વર્ષ પૂરાં થતાં પહેલાં જ શ્રીસંઘની સુંદર આરાધનાઓના બળથી ઉત્પન્ન થનારું પુણ્ય ૨૦૪૨ની સાલના સંવત્સરી પર્વને પણ શાસ્ત્રનીતિથી એક થઈને આરાધવાની ધન્ય પળોનું સર્જન કરે.” પોતાને જે વાત કહેવાની છે, તે મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજીએ અસંદિગ્ધ ભાષામાં અને સ્પષ્ટ રૂપમાં કહી છે; એટલે એ અંગે વિવેચન જરૂરી નથી. આવું ઉપયોગી નિવેદન કરવા બદલ આપણે મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજીનો ઉપકાર માનીએ. (૨૧) મહાવીર-નિર્વાણ-મહોત્સવના વિરોધનું તાંડવ ભગવાન મહાવીરસ્વામીના મહાનિર્વાણનું પચીસસોમું વર્ષ જેમજેમ નજીક આવતું જાય છે, તેમતેમ એક બાજુએ ઐતિહાસિક દૃષ્ટિએ પ્રેરક અને મહત્ત્વના ધર્મપ્રસંગની અખિલ-ભારતીય ધોરણે વ્યાપક, સમુચિત, ભવ્ય ઉજવણી થાય તે માટે જુદીજુદી કમિટીઓ-સમિતિઓ દ્વારા એ ઉજવણીનો આકાર-પ્રકાર નક્કી કરવા માટે જરૂરી વિચારણાઓ અને યોજનાઓ થતી હોવાના સમાચાર મળતા રહે છે; અલબત્ત, આ વિચારણાઓ અને યોજનાઓ દ્વારા હજી સુધી આ પ્રસંગની ઉજવણીની સ્પષ્ટ અને સુનિશ્ચિત રૂપરેખા સમાજ અને જનતા સમક્ષ રજૂ થઈ શકી નથી, અને હજુ બધી વાત પ્રવાહી કે પ્રાથમિક રૂપમાં જ જાણવા મળે છે – એ એની એક મર્યાદા કે ખામી લેખી શકાય એમ છે. પણ કામને સાંગોપાંગ છેલ્લા તબક્કે પૂરું કરવાની આપણી સહજ ટેવને કારણે, આ બાબતમાં પણ કંઈક મોડે-મોડે છતાં બહુ મોડું થાય તે પહેલાં આપણે બધો કાર્યક્રમ નિશ્ચિત કરી શકીશું એવી આશા જરૂર રાખીએ. Jain Education International (તા. ૧૩-૫-૧૯૭૮) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy