SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૦ ૨૮૩ જાણીતા પ્રવચનકાર અને લેખક મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજીએ, કંઈક આવી જ ચિંતાકારક લાગણીથી પ્રેરાઈને, થોડા વખત પહેલાં, તિથિચર્ચા અંગે એક નિવેદન બહાર પાડીને સંઘમાં પ્રવર્તમાન અનિષ્ટ તરફ આંગળી ચીંધવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. એમનું આ નિવેદન “મુંબઈ સમાચાર' દૈનિકના તા. ૪-૪-૧૯૭૮ના અંકના “જિનેન્દ્ર વિભાગમાં પ્રગટ થયું છે. અહીં એ સાભાર રજૂ કરીએ છીએ: હવે, વિ. સં. ૨૦૪૨ની સાલમાં સંવત્સરી પર્વની આરાધના જુદી આવે છે. અને ત્યાર બાદ જાણવા મુજબ વિ. સં. ૨૦૫ની સાલમાં વળી પાછી જુદી આરાધના આવે છે. આમ આજથી ૨૦૫૧ની સાલ સુધીમાં ૧૮ વર્ષમાં માત્ર ૨૦૪રની રોલમાં એક જ દિવસ માટે સમસ્ત છે. મૂ. પૂ. જૈનસંઘ સંવત્સરી-પર્વની જુદાજુદા દિવસે આરાધના કરશે. “આ પ્રશ્નને અનુલક્ષીને જૈનસંઘ સમક્ષ એક વાત રજૂ કરવાનું મને ઉચિત લાગે છે કે જ્યારે હવે ૨૦૫૧ની સાલ સુધીમાં ૧૮ વર્ષમાં માત્ર એક જ સંવત્સરીપર્વની આરાધના જુદી કરવાની આવતી હોય, તો આ પ્રશ્નને ક્લેશનું ઉગ્રતમ સ્વરૂપ આપીને સમસ્ત સંઘમાં અત્યંત ઉદ્વેગનું વાતાવરણ જારી રાખવાનું જરૂરી ગણાય ખરું? અઢાર વર્ષના એક દિવસ ખાતર અઢારેય વર્ષ સુધી લગાતાર એકબીજાના ધિક્કારનું વાતાવરણ જીવંત રાખવાની વૃત્તિવાળાં તત્ત્વો જૈનસંઘની ભયાનક આશાતના કરી રહ્યાં નથી શું? તેવા સતત ફ્લેશમાં જ પોતાની દાળ-રોટી કાઢતાં તે નિંદા-કૂથલીના કારમાં રસના જામ ગટગટાવતા ગૃહસ્થોના કબજામાં સમસ્ત જૈનસંઘે રહેવાનું જરા ય યોગ્ય છે ? આ પ્રશ્ન અત્યંત શાસ્ત્રીય છે, તત્ત્વચર્ચાનો મુદ્દો છે એ કબૂલ; પરંતુ એને ભારે સંઘર્ષના મેદાનમાં તાણી લાવવામાં આવ્યો, તેથી સૌથી મોટું નુકસાન એ થયું કે આ પ્રશ્ન તો શાસ્ત્રીય ઉકેલના ટેબલ ઉપરથી દૂર ફંગોળાયો ! હવે તો એના ઓઠા નીચે બહુ સારા ગણાતા વર્ગમાં શૈથિલ્યનો પ્રવેશ થવા લાગ્યો છે. આ શૈથિલ્ય ભલે વ્યાપક બન્યું ન હોય, પરંતુ એ નગણ્ય કહી શકાય એટલું નાનું પણ નથી જ, બલ્ક જે રીતિથી અને જે ગતિથી એ રોગ ઉગ્ર બની રહ્યો છે, તે જોતાં તો ભાવિ વધુ ચિંતાજનક જણાય છે. પક્ષ તે જ સારો છે, જે શાસનને મજબૂત કરે. જે પક્ષ પોતાને જ મજબૂત કરવાની ગતિવિધિમાં શાસનને નબળું પાડવાનું કામ અજાણતાં પણ કરતો હોય તે પક્ષ પ્રશસ્ત કોટિનો કેમ જ કહી શકાય? “જો કોઈ પક્ષ પોતાનાં શિથિલ તત્ત્વોને પણ છાવરવાનું કામ કરતો હોય અને સામા પક્ષનાં સુવિશુદ્ધ તત્ત્વોની અનુમોદના કરવામાં કાયર થતો હોય, તો તેના દ્વારા ધર્મશાસન ખરેખર નબળું જ પડી રહેવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy