SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૧૭ નથી. મુખ્યત્વે આ સ્થિતિમાંથી ઊગરવા જ નવા પક્ષે પિંડવાડા-પટ્ટક કર્યું હોવાનું લાગે છે. પણ જો આ પટ્ટકની પાછળ રહેલી ભાવનાનું આ ચર્ચાના પુરસ્કર્તા સાચું મૂલ્યાંકન કરી શકયા હોત, તો તેઓ શ્રીસંઘને સમાધાનને માર્ગે જ દોરી જવાનું પસંદ કરત. પણ વસ્તુસ્થિતિ જુદી છે. અમે આ પ્રમાણે માનવા-લખવા શાથી પ્રેરાયા તેનો ખુલાસો આ પ્રમાણે છે : (૧) લાખાબાવળથી પ્રગટ થતા ‘શ્રી મહાવી૨-શાસન' માસિકના ગત જુલાઈ માસના (તા. ૧-૭-૧૯૭૨ના) અંકમાં, આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય પં. શ્રી રતિવિજયજીએ “પૂ. આચાર્યદેવશ્રી વિજયનંદનસૂરિજી મ.સાહેબે સ્વમતિથી લખેલ ‘તપગચ્છ તિથિ-પ્રણાલિકા' પુસ્તિકા અંગે સત્યનું સ્પષ્ટીકરણ તપગચ્છ પ્રણાલિકાનું સત્ય સ્વરૂપ” નામે વિસ્તૃત લેખ લખ્યો છે, તેમાં એમણે પોતાના પક્ષની રજૂઆત કરવામાં જે ઉગ્રતા દર્શાવી છે, તે એ પક્ષની આ પ્રશ્નને સજીવન કરવાની વૃત્તિ કેવી ઉત્કટ છે તેનો ખ્યાલ આપે છે. લેખના મથાળાથી સૂચિત થાય છે તે મુજબ આ લેખનો હેતુ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીએ કેટલાક મહિના પહેલાં લખેલ પુસ્તિકાનો જવાબ આપવાનો છે. પણ આચાર્ય શ્રી વિજયનંદસૂરિજીનું લખાણ માત્ર વસ્તુસ્થિતિને રજૂ કરતું અને આક્ષેપાત્મક ભાષાથી મુક્ત છે, જ્યારે પં. શ્રી રવિતિયજીની રજૂઆતમાં અતિઆગ્રહ અને આક્ષેપ બંને છે. વળી, શ્રી મહાવીરશાસન'ના આ અંકના અગ્રલેખમાં પણ આ નવા પક્ષની વાત જ એકપક્ષીય રીતે ભારપૂર્વક રજૂ કરવામાં આવી છે; આટલું ઓછું હોય તેમ, આ અંકમાં “આના અનુસંધાનમાં પૂ. આ.શ્રી નંદનસૂરિજી મ.ની ‘તપગચ્છ તિથિ-પ્રણાલિકા' પુસ્તિકાના મુદ્દાઓને સ્પષ્ટ કરવા પ્રશ્નોત્તર પણ હવે પછીના અંકે રજૂ કરવા ધારણા છે’’ એવી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષની બે સંવત્સરી નિમિત્તે આ પ્રશ્નને જલદ રૂપમાં સજીવન કરવાની નવા પક્ષની ઇચ્છા કેટલી ઉત્કટ છે ! Jain Education International - (૨) આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી આ વર્ષે અમદાવાદ આવ્યા ત્યારે તિથિચર્ચાની સમજૂતી આપવા જાહેર પ્રવચન યોજ્યું હતું. એ જ રીતે મુંબઈમાં ગઈ તારીખ ૨૩મી જુલાઈએ રવિવારે આ જ કામ માટે લાલબાગમાં જાહે૨ પ્રવચન યોજવામાં આવ્યું હતું, અને જો આ વ્યાખ્યાન એ રવિવારે પૂરું ન થાય તો તે પછીના દર રવિવારે એ પ્રવચન ચાલુ રાખવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. મજાની વાત તો એ છે, કે આ સમાચાર છેક રાજકોટના ‘જયહિંદ ’ દૈનિકના તા. ૨૨-૭-૧૯૭૨ના અંકમાં પણ છાપવામાં આવ્યા હતા ! આ વર્ષની બે સંવત્સરી બંને પક્ષ પોતાની રીતે શાંતિથી કરે એ વાત આ આચાર્યશ્રીને હરગિજ મંજૂર નથી ! For Private & Personal Use Only ૨૭૫ www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy