SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જિનમાર્ગનું અનુશીલન . કંઈક એવી આશા પણ ઊભી થઈ હતી, કે જ્યારે પૂનમ અને અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિની બાબતમાં આવી એકતા સધાઈ છે, તો કયારેક બાકીની પર્વતિથિઓની બાબતમાં પણ એકતા સધાઈ જશે અને પરાધનની બાબતમાં જાગેલ મતભેદ અને પક્ષાપક્ષીનું સંપૂર્ણ નિરાકરણ થઈ જશે. પણ આ આશાને સફળ બનાવવાનો પ્રયત્ન કરવાનાં ડહાપણ અને દૂરંદેશી આપણામાં ન જાગ્યાં. દરમિયાનમાં, તિથિચર્ચાએ જગાડેલ આ મતભેદ પ્રમાણે, આ વર્ષે તપગચ્છમાં સંવત્સરીની આરાધના સોમ અને મંગળ એમ બે વારે કરવી પડે એવા સંજોગો ઊભા થયા. એનો અર્થ એ થયો કે આખા પર્યુષણ-મહાપર્વની આરાધના બે થાય : નવા પક્ષના પર્યુષણ સોમવારે બેસીને સોમવારની સંવત્સરી સાથે પૂરા થાય અને જૂના પક્ષના પર્યુષણ મંગળવારે બેસે અને મંગળવારની સંવત્સરી સાથે પૂરા થાય. એકતા, ક્ષમાપના, મૈત્રીભાવ, આત્મશુદ્ધિ અને વિનમ્રતાનો સંદેશો લઈને આવતા આ મહાપર્વની આરાધના અંગે એક જ ગચ્છમાં આવો ક્લેશ-દ્વેષપોષક મતભેદ પ્રવર્તે એના જેવી કરુણતા બીજી શી? પણ બંને પક્ષના ભાવનાશીલ, વગદાર, દૂરદર્શી, સહૃદય, શાણા મુનિરાજો તથા સદ્દગૃહસ્થોને પર્વતિથિની આરાધનામાં શેષ રહેલ આ મતભેદનું નિરાકરણ કરીને સમગ્ર પ્રશ્નનો કાયમી નિકાલ કરવાનો પ્રયત્ન વેળાસર હાથ ધરવાનું ન સૂછ્યું; ક્લેશનાં મૂળ ઊભાં રહ્યાં ! આમ છતાં, પિંડવાડાના પટ્ટકને કારણે, તપગચ્છમાં આ પ્રશ્નને લીધે જન્મેલ ઉગ્રતામાં જે નોંધપાત્ર ઘટાડો થવાની સાથે શાંતિ-અનુકૂળતાભર્યું આવકારપાત્ર વાતાવરણ સરજાયું હતું, તેથી એટલી આશા તો જરૂર બંધાઈ હતી, કે ભલે આ વર્ષે બે સંવત્સરી અને બે પર્યુષણ થાય, પણ દરેક પક્ષ શાંતિથી આરાધના કરશે અને બીજા પક્ષની ટીકા કે ખણખોદથી અને શાસ્ત્રાર્થથી વ્યર્થ દૂર રહેશે. પણ જેમ જેમ સંવત્સરી નજીક આવતી જાય છે, તેમતેમ તિથિચર્ચાના પ્રશ્નને. જાણે ઝનૂની જેહાદ જગવવી હોય એ ઢબે, ફરી સજીવન કરવાનો પ્રયત્ન, આ ચર્ચાના મુખ્ય પુરસ્કર્તા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી દ્વારા, શાસ્ત્રાર્થના પડકાર સાથે જયપરાજયની ભાષામાં કરવામાં આવી રહ્યો છે, તે જોતાં તો લાગે છે, કે આપણી આટલી આશા પણ ઠગારી નીવડી છે. આ પ્રશ્ન ક્યાંક પિંડવાડાના થોડાક સમાધાનને નામશેષ કરીને ફરી આપણને ઠેરના ઠેર તો નહીં લાવી મૂકે ને ? આમ કરતાં નવા પક્ષને રોકનારી એકમાત્ર વાસ્તવિકતા એ છે, કે પિંડવાડાપટ્ટક પહેલાંની સ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કરવા જતાં, જ્યારે પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિ આવે ત્યારે ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાસના છઠ્ઠમાં વિક્ષેપ આવે છે. આ અવરોધ ન હોય તો પિંડવાડા-સમાધાનને નામશેષ થતાં વાર ન લાગે; આ અવરોધ જેવો-તેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy