SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૭ ૨૭૩ પેલે પાર નીકળી ગયેલ વિશાળકાય હાથીને પણ પાછા ખેંચાઈ આવવું પડે – કંઈક આવી દુર્દશા તપગચ્છમાં ૩૫-૩૬ વર્ષથી જાગી ઊઠેલ તિથિચર્ચાના પ્રશ્રની, આ ચર્ચાના ઉત્પાદક પક્ષને હાથે અને ખાસ કરીને એના પુરસ્કર્તા આચાર્યશ્રીને હાથે થઈ રહી હોય એમ તપગચ્છ-સંઘમાં આ પ્રશ્નને લઈને દ્વેષનો હુતાશન પ્રગટાવવાના જે ઝનૂની પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તે જોતાં લાગે છે. આઠેક વર્ષ પહેલાં આ નવા પક્ષ તરફથી પિંડવાડામાંથી એક પટ્ટક પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પટ્ટકની પહેલાં નવો પક્ષ લૌકિક પંચાંગમાં બે પૂનમ કે બે અમાવાસ્યા હોય ત્યારે (એટલે કે લૌકિક પંચાંગમાં ચૌદશ સોમવારે હોય, પહેલી પૂનમ કે અમાસ મંગળવારે હોય અને બીજી પૂનમ કે અમાસ બુધવારે હોય ત્યારે) ચૌદશની આરાધના એક દિવસ કરીને પહેલી પૂનમ કે અમાસને પર્વની આરાધનાની દૃષ્ટિએ “ફલ્થ' (નકામી) તિથિ ગણીને બીજી પૂનમ કે અમાવાસ્યાની પર્વ તરીકે આરાધના કરતો હતો. પરિણામે, આવા પ્રસંગે ચૌદશ અને પૂનમ કે ચૌદશ અને અમાસની આરાધના સળંગ નહોતી થતી, અને ચૌદશ અને પૂનમ કે અમાસનો છઠ્ઠ ખંડિત થઈ જતો હતો. પિંડવાડામાં નવા પ્રશ્ન કરેલ પટ્ટકથી આ ક્ષતિ દૂર થઈ હતી. આ પટ્ટકમાં એમ સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, કે “શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારેત્યારે તેરશની ક્ષય-વૃદ્ધિ કરવી, કે જેથી સકલ શ્રીસંઘમાં ચૌદશ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક દિવસે થાય.” અલબત્ત, આ જાહેરાત માત્ર પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિને જ સ્પર્શતી હતી, તેથી સંવત્સરી, બાર-પર્વો અને કલ્યાણક-તિથિઓની આરાધના અંગે પટ્ટકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું, કે “શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારેજ્યારે ભાદરવા સુદિ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે, ત્યારેત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદ ચોથે શ્રી સંવત્સરી કરવાની છે, અને તે જ પ્રમાણે બાકીની બાર-પર્વો માંહેની તિથિઓ. તથા કલ્યાણક આદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે.” મતલબ કે નવો પક્ષ સંવત્સરીની અને ચૌદશ, પૂનમ અને અમાસ સિવાયની બાર પર્વતિથિઓની તેમ જ કલ્યાણક-તિથિઓની આરાધના, આ ચર્ચા ઊભી થઈ તે પછી અને આ પટ્ટક રચાયું તે પૂર્વે જે રીતે કરતો હતો તે રીતે જ કરતો રહેવાનો. આમ છતાં આ પટ્ટક જાહેર થયા પછીનાં છેલ્લાં આઠ વર્ષ દરમિયાન બીજી પર્વતિથિઓ કે લ્યાણકતિથિઓ અંગે તપગચ્છના જૂના અને નવા પક્ષો વચ્ચે પર્વતિથિની આરાધનાની બાબતમાં કોઈ ક્લેશકારી મતભેદ જાગ્યો ન હતો, અને જાણે આ અંગે એકતા સધાઈ હોય એવી શાંતિ પ્રવર્તતી હતી. ઉપરાંત, તપગચ્છ-સંઘમાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy