SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ જિનમાર્ગનું અનુશીલના હવે જો રવિવારે સૂર્યાસકાળ સુધી તથા રાતે તેરશ હોય તો શ્વેતાંબરો, | દિગંબરો, સ્થાનકવાસીઓ – ત્રણે રવિવારે જયંતી માનશે. * “આવો માન્યતાભેદ છે. તે એક પંચાંગ માનવાથી ઊકલે તેમ નથી જ. જો કે, દિગંબર, શ્વેતાંબર અને સ્થાનકવાસીનાં મૂળ શાસ્ત્રોમાં ઉદયતિથિનાં જ પ્રમાણો છે. પણ ઘણાં વર્ષોથી પરિપાટી જુદીજુદી ચાલે છે તેની જ આ ગડબડ છે.” વિદ્વાન મુનિશ્રીએ એક પંચાંગ માનવામાત્રથી આપણી વચ્ચેનો તિથિભેદ ઊકલી જશે એમ માની લેવું બરાબર નથી તે વાત આપણને અહીં દાખલો આપીને સ્પષ્ટતાપૂર્વક સમજાવી છે તે બહુ સારું કર્યું છે. આ ઉપરથી આપણને સમજાશે, કે જૈનોના બધા ફિરકાઓ એક દિવસે એક જ તિથિને માને તે માટે, એક જ પંચાંગને અપનાવવા ઉપરાંત બીજું પણ કરવું જરૂરી છે. આ પછી કયું પંચાંગ જેનોમાં સર્વમાન્ય થઈ શકે તે અંગેનું સૂચન કરતાં મહારાજશ્રી લખે છે – જૈનોમાં એ જ પંચાંગ સર્વમાન્ય થઈ શકે, કે જેનું ગણિત મધ્યરેખાથી લેવાયું હોય. દિલ્હી, ઉજ્જૈન કે જોધપુર મધ્યરેખા પાસેનાં સ્થાનો છે. ત્યાંના રેખાંશ-અક્ષાંશથી ગણિત લઈ બનાવાય તે જ પંચાંગ કરાંચીથી કલકત્તા સુધી અને કાશમીરથી કન્યાકુમારી સુધી જૈનોમાં માનનીય થઈ શકશે. આપણું મહેન્દ્ર જૈન પંચાંગ અમદાવાદના ગણિતવાળું છે. તે મધ્યરેખાના ગણિતથી બને તો વધુ વ્યાપક બનશે. ઉદયતિથિ લેવાથી જૈનો-અજૈનો પણ તેનો આદર કરશે.” પંચાંગ સર્વમાન્ય કેવી રીતે થઈ શકે એ માટેનું મહારાજશ્રીનું આ સૂચન પણ ઉપયોગી થઈ પડશે એમ અમે માનીએ છીએ, અને આશા રાખીએ છીએ પં. શ્રી વિકાસવિજયજી તથા જૈન પંચાંગના અન્ય અભ્યાસીઓ તટસ્થપણે આ સૂચનના ગુણદોષનો વિચાર કરે, અને એમાં જે સ્વીકારવા યોગ્ય તત્ત્વ લાગે તે અવશ્ય અપનાવે. જૈનસંઘ એક જ તિથિ અને એક જ પંચાંગને માને તે માટે આ બંને સૂચનો અમને ધ્યાન આપવા યોગ્ય લાગ્યાં છે, અને તેથી બધા ય ફિરકાના જૈનસંઘોનું અમે એ તરફ આથી ધ્યાન દોરીએ છીએ. (તા. ૧૫-૧-૧૯૫૫) (૧૭) તિથિચર્ચામાં ઠેરના ઠેર! સોયના નાકામાંથી આખો હાથી નીકળી જાય અને એનું પૂંછડું બહાર નીકળતું અટકી જાય; એટલું જ નહીં, એ પૂંછડું એવું અવળું જોર કરે કે સોયના નાકામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy