SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૫, ૧૬ ૨૭૧ બાબતોનો નિકાલ કરવાની દિશામાં આપણે પ્રયત્નો હાથ ધરવા જોઈતા હતા; પણ આપણે છ-સાત વર્ષ એમ ને એમ જવા દીધાં! છતાં, હજી પણ આપણે પ્રયત્ન કરવા ઇચ્છીએ, તો આપણી પાસે આઠ-નવ મહિના જેટલો વખત તો છે જ. એનો ઝડપથી ઉપયોગ કરીને બાકીની બાબતોનો આપણે નિકાલ કરી શકીએ અને આગામી સંવત્સરી મહાપર્વની આરાધના એક જ વારે કરી શકીએ તો કેવું સારું ! (આ લખાણમાં કંઈ હકીકત-દોષ હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી છે.) (તા. ૩-૧૦-૧૯૭૧) (૧૬) તિથિની એકતા માટે ધ્યાનપાત્ર બે સૂચનો અમારા તા. ૧૧-૧૨-૧૯૫૪ના અંકના સામયિક ફુરણ'માં અમે “એક આવકારપાત્ર સૂચન' નામે એક નોંધ લખીને જૈન સમાજના જુદાજુદા ફિરકાઓ વચ્ચે તિથિ અંગે જે મતભેદ પ્રવર્તે છે તે દૂર કરવા માટે, એટલે કે બધા ય જૈન ફિરકાઓ એક જ દિવસે જુદીજુદી તિથિના બદલે એક જ તિથિ માનતા થાય તે માટે પૂ. પં. શ્રીવિકાસવિજયજીકૃત “મહેન્દ્ર જૈન પંચાંગ”ને અપનાવવાના શ્રી મગનલાલ પી. દોશીના સૂચનનું સમર્થન કર્યું હતું. આ નોંધ વાંચ્યા પછી ગણિત-જ્યોતિષ-પંચાંગશાસ્ત્રના ઊંડા અભ્યાસી પૂ. મુ. મ. શ્રી દર્શનવિજયજી(ત્રિપુટીએ એક તિથિ માને એમાં ક્યાં વ્યવહારુ મુકેલી રહેલી છે તે, અને કયું પંચાંગ જૈનોમાં સર્વમાન્ય થઈ શકે તે વાત અમને એક પત્ર દ્વારા જણાવી છે. આ બહુ ઉપયોગી વાત અહીં સાભાર રજૂ કરીએ છીએ: જૈનમાં મહાવીર-જયંતીની એક તિથિ માટે લેખ તમે આપ્યો હતો. મહેન્દ્રજૈન-પંચાંગ અપનાવવાથી તે એકતા થવાનું સૂચવ્યું હતું. પણ એ વસ્તુ એ રીતે નથી; કારણ કે, (૧) શ્વેતાંબરો ઉદયતિથિને પ્રમાણ માને છે. (૨) દિગંબરો સૂર્યોદય પછી ૬ ઘડી સુધી તેને પ્રમાણ માને છે. “(૩) સ્થાનકવાસીઓ સૂર્યાસ્ત સમયની તિથિને પ્રમાણ માને છે. “દાખલા તરીકે જો રવિવારે તેરશ બે ઘડી સુધી હોય અને પછી ચૌદશ શરૂ થતી હોય તો શ્વેતાંબરો રવિવારે, દિગંબરો શનિવારે અને સ્થાનકવાસીઓ શનિવારે જયંતી કરશે. અને જો રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધી તેરશ હોય, તો શ્વેતાંબરો, દિગંબરો રવિવારે અને સ્થાનકવાસીઓ શનિવારે જયંતી માનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy