SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન છે. એટલે જે ખાવાથી શરીરની તંદુરસ્તી કે શક્તિ ન વધે અને માનસિક ચંચળતામાં વધારો થાય, એ ભોજનને સાચું ભોજન ન લખી શકાય; વર્ષ ગણાય. બરાબર આ જ રીતે ધર્મપાલનના સાચા-ખોટાપણાનો વિચાર કરવા જેવો છે. ધર્મપાલનનો મુખ્ય હેતુ છે વ્યક્તિગત રીતે ચિત્તશુદ્ધિ અને સામાજિક રીતે વ્યવહારશુદ્ધિ; યશની પ્રાપ્તિ તો કેવળ એનો આનુષંગિક લાભ છે. મતલબ કે જો સાચા અર્થમાં ધર્મનું પાલન થતું હોય તો માનવીનાં ચિત્ત અને વ્યવહાર એ બંનેની અંદર વિશુદ્ધિનો પ્રાદુર્ભાવ થઈ એમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થતી રહેવી જોઈએ. ધર્મને નામે આદરવામાં આવતી પ્રવૃત્તિનું પરિણામ છે કે વધતે અંશે પણ જો આવું આવતું ન લાગે તો સમજવું રહ્યું કે જેને આપણે ધર્મ માનીને ચાલ્યા એમાં અથવા તો એનું પાલન કરવાની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક પણ ખામી છે. કોઈ બીજની વાવણી કર્યા પછી જો ધાર્યો પાક ન ઊતરે તો કાં તો એ બીજમાં કાં તો એની વાવણીની પ્રક્રિયામાં કિંઈક કહેવાપણું રહી ગયું હોવું જોઈએ. આજે ધર્મપાલનનો જે દેખાવ થઈ રહ્યો છે અને એને માટે જે આડંબરો રચાઈ રહ્યા છે, એના સારતત્ત્વનો કંઈક વિચાર કરવાની અને સાચી સ્થિતિનું અવલોકન કરવાની જરૂર છે. આંખો મીંચીને પ્રવૃત્તિ કર્યા જ કરીએ અને એના પરિણામનો કશો વિચાર ન કરીએ કે એનો તાગ ન મેળવીએ તો ક્યારેક દળીદળીને ઢાંકણીમાં' જેવું કે “આંધળી દળે અને કૂતરા ખાય' જેવું દુષ્પરિણામ પણ આવે ! ધર્મને નામે અત્યારે ચાલી રહેલી વિધવિધ પ્રવૃત્તિઓનું બારીકાઈથી અવલોકન કરતાં કંઈક આવી સ્થિતિ પ્રવર્તતી માલુમ પડે છે. ભોજનનો તન-મનની તંદુરસ્તીરૂપ મૂળ હેતુ વીસરી જઈને કયારેક માનવી એના રસાસ્વાદમાં એવો નિમગ્ન બની જાય છે, કે પછી એ જ મુખ્ય ઉદ્દેશ બની જાય છે, એટલું જ નહીં, એ રસમાં ક્યાંય પણ ખામી દેખાય તો એને એ સહી શકતો નથી, અને કોઈ-કોઈ વાર તો રાતોપીળો પણ થઈ જાય છે. ધર્મપાલનમાં જ્યારે વધારે પડતું આડંબરીપણું ઘર કરી જાય છે, ત્યારે બરાબર આવું જ બનવા લાગે છે, ત્યારે કેવળ આડંબર, ધામધૂમ અને એ માટે કરવામાં આવતા જંગી ખરચાઓ જ ધાર્મિકતાની કસોટી બની જાય છે, અને જે જેટલાં વધારે આડંબર, ધામધૂમ કે ખર્ચ કરે એ વધારે ધર્મી – એવી બિનકુદરતી અને સરવાળે ખોટી માન્યતા સમાજમાં ઘર કરી જાય છે – જાણે જે જેટલો વધારે ખોરાક આરોગે એ એટલો વધારે બળિયો ! પણ આ વાતનો બહુ જ ઊંડાણથી વિચાર કરવો જરૂરી છે. પાણીની સીધીસાદી ઓળખ એટલી જ કે જે પીવાથી તુષાનું નિવારણ થાય અને તૃપ્તિ થાય એ સાચું પાણી. એ જ રીતે ધર્મની ઓળખમાં પણ બહુ ભારે બુદ્ધિચાતુર્ય, વાદવિવાદ કે પાંડિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy