SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧, ૨ કોઈ એક ધર્મના સિદ્ધાંતમાં બીજા કોઈ ધર્મના સિદ્ધાંત કરતાં ચડિયાતું તત્ત્વ હોઈ શકે; પણ મુદ્દાની વાત એ છે કે આવા ઉમદા તત્ત્વનું ગુમાન સેવીને, જાણે એ દુન્યવી સ્થૂળ સંપત્તિ હોય એમ, બીજાઓને એથી વંચિત રાખવાનો પ્રયત્ન કરીને, ઊલટું તેમની નિંદા-કૂથલીના કીચડમાં પડવું એને બદલે એ ઉમદા તત્ત્વની ઉદારતાપૂર્વક લ્હાણ કરવી એ જ સાચો ધર્મમાર્ગ છે. યોગિરાજ આનંદઘનજી જેવા ધર્મપુરુષોએ ગચ્છોના ભેદ-પ્રભેદ સામે જે પુણ્યપ્રકોપ દર્શાવ્યો છે, તે આટલા જ માટે. ફ્રાંસના મહાન તત્ત્વચિંતક સ્વ. રોમે રોલાં આ યુગના વિશ્વના મહાન ફિલસૂફોમાંના એક છે. ધર્મ અંગેની એમની માન્યતા ખૂબ વિશાળ હતી. મુંબઈના અંગ્રેજી દૈનિક ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તા. ૧૬-૩-૧૯૬૯ના અંકમાં શ્રી દિલીપ પડગાંવકરે મેડમ રોમેરોલાંની તાજેતરમાં લીધેલી મુલાકાતની પ્રશ્નોત્તરી પ્રગટ થઈ છે. એમાં સદૂગત રોમેરોલાંના ભારત પ્રત્યેના વલણનું તથા મહાત્મા ગાંધીજી અંગેની તેમની માન્યતાનું નિરૂપણ કરાયું છે. એમાં એક સવાલના જવાબમાં મેડમે એમના પતિની ધાર્મિકતા અંગે બહુ જ સંક્ષેપમાં જે નિર્દેશ કર્યો છે, તે સાચી ધાર્મિકતા કેટલી બંધનમુક્ત અને વિશાળ હોઈ શકે એનો ખ્યાલ આપી શકે એમ છે : રોમામાં એક પ્રકારનું ધાર્મિક સંવેદન હતું કે જે એમને લોકોની પાસે પહોંચવામાં – લોકોને સમજવામાં – માર્ગદર્શક બનતું હતું. આ ધાર્મિક સંવેદન નાતજાતના, ધર્મપંથના, દેશ-દેશ વચ્ચેના તેમ જ સંસ્કૃતિ-સંસ્કૃતિ વચ્ચેના ભેદોને ઓળંગી જતું હતું. આ ભૂમિકાને આધારે જ તેઓ લોકોને મળવાની અપેક્ષા રાખતા હતા. તેઓ ખરા હૃદયથી માનતા હતા, કે અન્ય માનવસમાજો અને અન્ય સભ્યતાઓને સમજવા માટે વિશાળ અને ખુલ્લું મન હોવું જરૂરી છે.” ધર્મનો હેતુ ભેદમાં અભેદ, અનેકતામાં એકતા અને વેર-દ્વેષના સ્થાને વાત્સલ્ય અને મિત્રતાને સ્થાપવાનો જ છે. જૈનધર્મે આ હેતુને જ આગળ કર્યો છે. એ હેતુ ત્યારે જ સફળ થઈ શકે, જ્યારે મનમાંથી અને પંથમાંથી સંકુચિતતા દૂર કરીને તે બંનેને ગગનમંડળ જેવાં વિસ્તૃત બનાવવામાં આવે. (તા. ૧૯-૪-૧૯૬૯) (૨) ધર્મપાલનની પારાશીશી તાત્ત્વિક રીતે વિચાર કરીએ તો ભોજનનો મુખ્ય હેતુ શરીરને શક્તિમાન અને તંદુરસ્ત તેમ જ મનને સ્વસ્થ બનાવવાનો છે; રસાસ્વાદ તો એનો આનુષંગિક લાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy