SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ ઃ ૧૧ જૂનાગઢ, ટીંટોઈથી કેસરિયાજી વગેરે – એ બધા વિહારના રસ્તાઓમાં વચ્ચે આવતાં ગામડાંઓમાં ક્યાંય ઉપાશ્રયો નથી અને શ્રાવકનાં ઘરો પણ નથી . વળી, ચાંક ઉપાશ્રય છે, તો શ્રાવકનાં ઘર નથી, ક્યાંક શ્રાવકનાં ઘર છે તો ઉપાશ્રય નથી, અને ક્યાંક શ્રાવકો છે, પણ એ સાવ સાધારણ સ્થિતિના છે... વળી કચાંક શ્રાવકનું ઘર ન હોવા છતાં તે ગામના દરબારો કે લુવાણા ગૃહસ્થો આહાર-પાણીની સગવડ સાચવે છે અને ઊતરવાની વ્યવસ્થા પણ કરી આપે છે. છતાં જૈનોની વસ્તી વગરનાં આવાં સ્થાનોમાં સવાર પડે ને ત્રણ સાધ્વીજી-મહારાજો અને ચાર ડોળી ઉપાડનારી બાઈઓ આવી પહોંચે, કે પાંચેક સાધુ-મહારાજો પધારે -- આવું રોજ બનતું રહે તેથી એને પહોંચી વળવાની એમની શક્તિ ઓછી પડવાથી એમની ભાવનામાં ઓટ આવે એ સ્વાભાવિક છે. dh “આવા સંયોગોમાં આપણાં મુખ્ય-મુખ્ય શહેરોના માતબર સંઘોએ પોતાની આજુબાજુનાં સ્થાનોમાં જ્યાં ઉપાશ્રયની તથા આહાર-પાણીની સગવડ ન હોય તે સ્થાનોને સંભાળી લેવાં એ એમનું કર્તવ્ય છે. આ સંઘો આવું કાર્ય શરૂ કરે એવાં ઉપદેશ અને પ્રેરણા તપગચ્છના શ્રમણ-સમુદાય તરફથી હંમેશાં મળતાં રહે તો વિહારમાર્ગમાં આવતાં ગામડાઓમાં આપણા ત્યાગીવર્ગને વેઠવી પડતી મુશ્કેલીમાં જરૂર સારો એવો ઘટાડો થાય એ નક્કી સમજવું. આવો ઉપદેશ આપવો અને જે કોઈ આવું કામ કરતાં હોય એમને સહકાર આપવાની પ્રેરણા કરવી એ પણ આપણા ગુરુવર્યોની ફરજ છે.” સાધુ-સાધ્વીજીઓ ગામડાંની મુશ્કેલીની વાત શહેરમાં જઈને વીસરી જાય છે એ અંગે ટકોર કરતાં મુનિશ્રી લખે છે જો કે ગામડાંની મુશ્કેલીઓ જેમને વેઠવી પડે છે એ સાધુ-સાધ્વીજીઓને પણ આ પ્રશ્ન મહત્ત્વનો અને તત્કાળ ધ્યાન આપીને ઉકેલવા જેવો તો લાગે જ છે; પણ શહેરમાં પહોંચ્યા પછી શહેરમાં મળતી સગવડને કારણે કે બીજા એવા જ કોઈ કારણસર તેઓ પ્રશ્નને વીસરી જાય છે. ૨૫૭ - Jain Education International “મોટામોટા આચાર્ય મહારાજો વગેરે ગામડાંમાં પધારે ત્યારે તો એમનો ભક્તવર્ગ તેમની સેવામાં હાજર રહીને બધી સગવડ સાચવે છે; તેથી એમને ગામડાંમાં પડતી અગવડનો ખ્યાલ ભાગ્યે જ આવે છે. બાકી સામાન્ય સાધુમહારાજો તથા વિશેષ કરીને સાધ્વીજીમહારાજોને આવાં સ્થાનોમાં કેવીકેવી મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેનો ખ્યાલ તો તેમને રૂબરૂ મળી પૂછવાથી જ આવી શકે.” અંતમાં, આવી સુવિધા ઊભી કરવાની અત્યારે જે હિલચાલ થઈ રહી છે, તેને ઉલ્લેખીને આ કાર્ય માટે ઉદારતાથી સહાય આપવાનું સૂચવતાં મુનિશ્રીએ લખ્યું છે : “હમણાં-હમણાં આ દિશામાં કંઈક કરવું જોઈએ એવી વિચારણા થવા લાગી છે તે આવકા૨પાત્ર વાત છે. શામળાજીથી કેસરિયાજી-ડુંગરપુર જતાં વચમાં રતનપુરમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy