SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જિનમાર્ગનું અનુશીલન ઉપાશ્રય થયો છે. ત્યાં આહાર-પાણીની સગવડ શામળાજીવાળા કરે છે. ત્યાંથી આગળ ૧૪ કિલોમીટર પર વીંછીવાડા આવે છે, ત્યાં કશી સગવડ નથી; ઉપાશ્રયની ખાસ જરૂર છે. એ જ રીતે ત્યાંથી આગળ ભવનેશ્વરમાં પણ ઉપાશ્રયની જરૂર છે. આ બે ગામોમાં ઉપાશ્રય કરવાની યોજના ડુંગરપુરનો સંઘ કરી રહ્યો છે. આ રીતે જેજે ગામવાળા આવું ઉપયોગી કામ શરૂ કરે અને તે માટે ફાળો આપવાની શ્રીસંઘને અપીલ કરે, ત્યારે દાતાઓ એ માટે ઉદારતાપૂર્વક ફાળો આપે અને શ્રમણસંઘ પણ આવાં કાર્યોમાં શ્રાવકસંઘ ઉલ્લાસથી પોતાનો આર્થિક સહકાર આપવા તત્પર થાય એવો ઉપદેશ આપે એમ થવાની ખાસ જરૂર છે. આજે જૈનસંઘમાં દાનની સરિતા જેટલા વિશાળ રૂપમાં વહી રહી છે, એ દાનના મોટા વહેણનો થોડોક ભાગ પણ આ દિશામાં વાળવામાં આવે, તો આ કામ ખૂબ સહેલાઈથી અને સારી રીતે પૂરું થઈ શકે અને આ પ્રશ્ન કાયમને માટે ઊકલી જાય.” મુનિશ્રીએ પોતાની વાત ઠીકઠીક વિસ્તારથી તથા સ્પષ્ટ રૂપમાં કહેલી છે, એટલે એ માટે વધારે કહેવાની મુદ્દલ જરૂર નથી. (તા. ૩-૬-૧૯૭૯) (૧૨) દિગંબર સમાજનો આંતરિક એકતાનો પ્રયત્ન આમ જોઈએ તો એકતા, સંપ એ સનાતન સામાજિક સદ્ગણો છે. જે પ્રજા કે જે સમાજમાં એ ગુણ જેટલા પ્રમાણમાં પ્રગટ થાય છે, એટલા પ્રમાણમાં એ પ્રજા કે એ સમાજ વિશેષ શક્તિશાળી બને છે અને બાહ્ય આક્રમણો કે આંતરિક મુસીબતોનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે. આમ છતાં કોઈક કાળ એવો આવે છે, કે જ્યારે પ્રજાને કે સમાજને ટકાવી રાખવા માટે આ સદ્દગુણની સવિશેષ જરૂર લાગે છે. અમારી સમજ પ્રમાણે અત્યારનો સમય એ આ ગુણોની વધારેમાં વધારે આવશ્યકતાનો સમય છે. આ દૃષ્ટિએ જેનધર્મના બધા ય ફિરકાઓમાં અંદરોઅંદર સંપ અને એકતા વધે. તેમ જ દરેક ફિરકામાં પોતાની અંદર જે મતભેદ કે મનભેદ પ્રવર્તતા હોય તેનું નિવારણ થઈને તેમાં પણ સંપ અને એકતાની પ્રતિષ્ઠા થાય એ બહુ જરૂરી છે. એ તો હવે દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે, કે જૈનસંઘ સંગઠિત નહીં હોવાને કારણે એક બાજુ એના ઉપર અનેક આક્ષેપો અને આક્રમણો થતાં રહ્યાં છે અને બીજી બાજુ આપણે વાજબી લેખી શકાય એવી માગણીનો પણ બીજાઓ પાસે સ્વીકાર કરાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy