SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧ ભોગવવી પડે છે. આ અંગે એક વાત આપણા ગૃહસ્થસંઘના મનમાં વસવી જોઈએ કે વૈધ્યાવચ્ચ કરવામાં મોટા-નાનાનો કોઈ ભેદ ન રાખતાં, જરૂરિયાતવાળાં બધાં ય સાધુ-સાધ્વીઓની સમાન ભાવે ભક્તિ કરવામાં જ સાચો ધર્મ છે. અને જેઓ મૂગે મોઢે, આવેલાં કષ્ટોને સહન કરી લેવાનો જ સ્વભાવ ધરાવતાં હોય, તેઓની સમુચિત ભક્તિ તો સામે ચાલીને કરવી એ આપણું વિશેષ ધર્મકર્તવ્ય છે. આ માટે અમદાવાદ, પાલીતાણા કે એવાં બીજાં જે સ્થાનોમાં જે કંઈ વેયાવચ્ચની સગવડ છે, એવી સગવડ જુદાજુદા પ્રદેશોમાં કરવી જોઈએ, કે જેથી આપણા ત્યાગીવર્ગને એ ઓછે પ્રયત્ન સુલભ બની શકે. સાથેસાથે જ્યાં આવી સગવડ છે ત્યાં એ સગવડને પરિપૂર્ણ કરવા તરફ પણ ધ્યાન આપવું જોઈએ. એક વિચારણીય મુદ્દો - ત્યાગીવર્ગના વૈધ્યાવચ્ચ માટેની સગવડની વિચારણા કરતાં કેટલાંય સ્થાનોના શ્રાવકભાઈઓને અને ક્યાંક-ક્યાંક તો શ્રાવકસંઘ સુધ્ધાંને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એનો વિચાર કરવો પણ ઉચિત અને જરૂરી છે. આ મુશ્કેલી મુખ્યત્વે આ પ્રકારની છે. જે ગામોમાં શ્રાવકોની વસ્તી કે ત્યાં વસતા શ્રાવકોની આર્થિક શક્તિ ઓછી છે, અને એ ગામો સાધુ-સાધ્વીઓના સતત વિહારના ધોરીમાર્ગમાં (દાખલા તરીકે અમદાવાદ-પાલીતાણાનો ધોરી વિહાર-માર્ગ) આવે છે, ત્યાં એકસાથે મોટી સંખ્યામાં આવી પહોંચતાં સાધુ-સાધ્વીઓ માટે ગોચરી અને પાણીની વ્યવસ્થા કરવામાં ઘણી મુશ્કેલી પડે છે; આ મુશ્કેલીના કેન્દ્રમાં તે-તે સ્થાનની આર્થિક મર્યાદા રહેલી છે. કેટલાક તો એવા પણ દાખલા જોવા મળે છે, જેમાં આવી મુશ્કેલીને કારણે અમુક શ્રાવકો પોતાનું ગામ છોડીને બીજે ચાલ્યા ગયા હોય. જો અમદાવાદ જેવી જેનપુરીની આસપાસનાં ગામોને પણ એવી ફરિયાદ કરવી પડતી હોય કે અમે તો હવે ઉકાળેલા પાણીના ખર્ચને પહોંચી શકતા નથી, તો પછી બીજાં સ્થાનોનું તો પૂછવું જ શું? જે ભાઈઓ આવી બધી મુશ્કેલીઓને બરદાસ્ત કરીને પણ સાધુ-સાધ્વીઓની ગોચરી-પાણીનું વૈધ્યાવચ્ચ કરે છે, એમને તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. પણ ધન્યવાદની સાથોસાથ સહાનુભૂતિ અને સક્રિય આર્થિક સહકારની ભાવના પણ પ્રગટવી જોઈએ. આ માટે લંબાણથી લખવું ઉચિત ન કહેવાય; કારણ કે, આમાં તો એ ધર્માનુરાગી ભાઈઓના ધર્મપ્રેમ તથા સ્વમાનનો પણ સવાલ રહેલો છે. જૈનસંઘના શાણા અગ્રણીઓ આ માટે વ્યવહારુ ગોઠવણ કરવા તરફ પૂરું ધ્યાન આપે; આ કાર્ય આપણા ધર્મમહોત્સવો કરતાં જરા ય ઊતરતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy