SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ જિનમાર્ગનું અનુશીલના કહેવામાં આવ્યું જ છે કે, “તપ એવું જ કરવું કે જેથી દુર્બાન ન થાય, મન-વચનકાયાની શક્તિનો હાસ ન થાય અને ઇંદ્રિયોની જ્ઞાનશક્તિ ક્ષીણ ન થાય.' આ દૃષ્ટિએ વિચારતાં આપણા ત્યાગી સમુદાયની સંયમયાત્રાને આગળ વધારવામાં અનિવાર્ય હોય એવી વૈધ્યાવચ્ચની સગવડ કરવી એ શ્રીસંઘના યોગક્ષેમની દૃષ્ટિએ તેમ જે આપણા શાસનની શોભાની દૃષ્ટિએ પણ જરૂરી છે. વૈધ્યાવચ્ચની આવી સગડવમાં મુખ્યત્વે ગોચરી-પાણી, વસ્ત્ર-પાત્ર જેવાં સંયમજીવનનાં ઉપકરણો, માંદગી વખતે દવા-ઉપચાર જેવી સામગ્રીનો સમાવેશ થઈ શકે. એકંદરે જોઈએ તો જૈનસંઘ પોતાના ત્યાગીવર્ગ પ્રત્યે અત્યારે પણ પહેલાંના જેવી જ ભક્તિ ધરાવે છે, એટલે એ માટે એને વિશેષ કહેવા કે ઉપદેશ આપવા જેવું બહુ છે નહીં; ઊલટું, આ બાબતમાં કંઈક પણ ખેદ કરવા જેવું કે કહેવા જેવું હોય, તો સંયમધર્મની ઉપેક્ષા અને શિથિલતાનું પોષણ કહી શકાય એટલી હદે, ભાવનાશીલ અને ભક્તિપરાયણ ગૃહસ્થવર્ગની ભક્તિનો દુરુપયોગ કરવાની સુંવાળી અને સુખશીલિયા મનોવૃત્તિ ધરાવનારની ત્યાગીવર્ગમાં વધતી સંખ્યાને અનુલક્ષીને કહેવા જેવું છે. અમે ઉપર સૂચવ્યું તેમ, જનસંઘનો ગૃહસ્થવર્ગ આપણા ત્યાગીવર્ગની સંયમસાધનામાં ઉપયોગી થાય એવી સામગ્રી દ્વારા એમનું વેયાવચ્ચ કરવા માટે હંમેશા ધર્મબુદ્ધિથી તત્પર હોય છે, આમ છતાં, અત્યારની પરિસ્થિતિમાં આ દિશામાં કેટલીક નવી વ્યવસ્થા ઊભી કરવા જેવી પણ છે જ. એક રીતે જોઈએ તો ગોચરી-પાણી અંગેની સ્થિતિ સંતોષકારક હોવા છતાં કેટલાક પ્રદેશો અને સ્થાનો એવા પણ છે, જ્યાં આ અંગે આપણા ત્યાગીવર્ગને સારી એવી મુશ્કેલી પડે છે; એટલું જ નહીં, નિર્દોષ ગોચરી-પાણી લગભગ અપ્રાપ્ય જેવાં હોવાથી એ અંગેના નિયમોનું પાલન અતિદુષ્કર અને ક્યારેક તો અશક્ય પણ બની જાય છે. પરિણામે, કાળક્રમે એવા પ્રદેશોમાં સાધુ-સાધ્વીઓનો વિહાર જ બંધ થઈ જાય છે. આ માટે શું કરવું એ ગંભીરતાપૂર્વક સંઘે વિચારવા જેવી બાબત છે. તેથી આપણા શ્રમણસંઘે આ અંગે વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો અને પોતાના જાતઅનુભવનો ખ્યાલ કરીને શ્રાવકસંઘને માર્ગદર્શન આપવાની વિશેષ જરૂર છે. વસ્ત્ર-પાત્ર જેવાં સંયમનાં ઉપકરણો અને દવા-ઉપચારનાં સાધનો અંગે પણ જૈનસંઘ ધ્યાન તો આપે જ છે. આમ છતાં જૈનસંઘનાં કેન્દ્ર ગણાતાં મોટાંમોટાં શહેરોમાં પણ કેટલાંય ભદ્રપરિણામી, ભલાંભોળાં અને ઓછા પ્રભાવશાળી કે શાસનના પ્રભાવને બદલે પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયત્ન કરવામાં પોતાના સંયમજીવનમાં ખામી આવી જવાની પ્રશંસનીય ધર્મભીતિ અનુભવતાં એવાં સાધુ-સાધ્વીઓ છે, કે જેઓને આવી જરૂરી સામગ્રી પણ સહેલાઈથી મળી શકતી નથી, અને એમને ઠીકઠીક મુશ્કેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy