SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧ ૨૫૧ જુદાજુદા સમુદાયો કે સંઘાડાઓનો સવાલ પણ એટલો જ જટિલ છે. આ જટિલતાનો ગંભીરપણે વિચાર કરતાં તો નિરાશ થઈને આવાં કેન્દ્રોની સ્થાપના કરવાનો વિચાર માંડી વાળવાનું મન થાય. આમ, છતાં અમે વૃદ્ધાવાસો અને વિદ્યાકેન્દ્રો ઊભાં કરવાની હિમાયત કરવાનું મુનાસિબ માન્યું છે, તે બે કારણોને લીધે એક તો આપણાં સંઘમાં ગચ્છો-ગચ્છો વચ્ચેની અને એક જ ગચ્છના જુદાજુદા સમુદાયો કે સંઘાડાઓ વચ્ચેની કટ્ટરતા અને કટુતા ઠીકઠીક પ્રમાણમાં ઓછી થઈ હોય એવું નવી પેઢીના કેટલાક મુનિવરોનાં વિચારો, વાણી અને વર્તન ઉપરથી જોઈ શકાય છે. આ એક આશાપ્રેરક ચિહ્ન છે. બીજું કારણ એ કે બધા ય ગચ્છો કે બધા ય સમુદાયો આ નવી વ્યવસ્થાને આવકારવા તત્પરતા બતાવે તે પછી જ જો આવાં કેન્દ્રો સ્થાપવાનું વિચારવામાં આવે તો એ વિચાર કેવળ કલ્પના જ રહે. એટલે જેઓને આ કામ કરવા જેવું લાગતું હોય તેઓએ “શુભ આશયથી પોતે હાથ ધરેલી પ્રવૃત્તિ તરફ, જુદાજુદા ગચ્છો અને સમુદાયો ક્યારેક તો જરૂર હૃદયથી આકર્ષાશે એવી આશાથી પ્રેરાઈને આ પ્રવૃત્તિ, પોતાની શક્તિ અને સાધનોના પ્રમાણમાં, ભલે નાના પાયા પર પણ, શરૂ કરી દેવી જોઈએ એમ અમને લાગે છે. (તા. ૨૧-૧૧-૧૯૭૦) હવે સાધુ-સાધ્વીસમુદાયના વૈધ્યાવચ્ચની સગવડ અંગે કેટલોક વિચાર કરીએ : આપણી ચતુર્વિધ સંઘની વ્યવસ્થા પ્રમાણે ગૃહસ્થસંઘની એ ફરજ લેખવામાં આવી છે કે એ ત્યાગીઓના સંઘની સંયમયાત્રા સારી રીતે નિર્વિબે આગળ વધતી રહે એ રીતે તેમની સેવા અને ભક્તિરૂપ વેયાવચ્ચ કરવા તરફ નિરંતર પૂરતું ધ્યાન આપતા રહેવું. અલબત્ત, ગૃહસ્થ-સમુદાયના આવા વેયાવચ્ચનો લાભ કેટલા પ્રમાણમાં લેવો એનો વિવેક અને ઓછામાં ઓછી સેવા અને ઓછામાં ઓછાં અને અલ્પમૂલ્ય સાધનો-ઉપકરણોથી પોતાના ચારિત્રનો નિર્વાહ થાય અને સાથેસાથે સંયમજીવનના મુખ્ય ધ્યેયરૂપ નિર્મોહવૃત્તિ, અનાસક્તિ અને અહિંસાની ભાવનાની હંમેશાં પુષ્ટિ જ થતી રહે એવી અપ્રમત્તતા તો સાધુ-સાધ્વી-સંઘ અવશ્ય દાખવે એ કહેવાની જરૂર નથી. આમ સતત જાગૃતિ રાખવા છતાં, છેવટે ધર્મારાધન નિમિત્તે પણ દેહની સાચવણી કરવી એ ગૃહસ્થ કે ત્યાગી, સૌ કોઈને માટે અનિવાર્ય છે. રસવૃત્તિ કે જીભના સ્વાદ ઉપર સંયમ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે એ એક વાત છે અને દેહને ટકાવી રાખવા માટે એને દાપુ (ભાડું) આપવું પડે એ બીજી વાત છે. જ્યાં આત્મશુદ્ધિ અને કર્મક્ષય માટે તપસ્યા કરવાનું વિધાન કરવામાં આવ્યું છે ત્યાં સાથેસાથે એમ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy