SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ જિનમાર્ગનું અનુશીલન અભ્યાસનાં પાંચ-સાત કેન્દ્રો શરૂ કરે, જ્યાં રહીને નવદીક્ષિત મુનિઓ અને સાધ્વીજીઓ શાંત, એકાગ્ર ચિત્તે વિદ્યાભ્યાસ કરી શકે. જે ભાઈ-બહેનો દીક્ષા લેવાની ભાવના ધરાવતાં હોય તેઓને પણ સાધુ-જીવનની પૂર્વ તૈયારીરૂપ અભ્યાસ કરવાની તેમ જ સંયમજીવનની તાલીમ લેવાની તક મળે એવી જોગવાઈ પણ આ અભ્યાસકેન્દ્રોમાં હોવી જોઈએ. ઉપરાંત દીક્ષા લીધા બાદ અમુક વર્ષો વીતી ગયાં હોય, તેઓ પણ શાસ્ત્રાભ્યાસ કરવા ઇચ્છે તો કરી શકે એવી સગવડ પણ એમાં રહે. આવાં અભ્યાસકેન્દ્રોની આગળ જતાં વિકાસ થાય, તો એ જૈન સંસ્કૃતિનાં બધાં અંગોના વ્યાપક અને ઊંડા અધ્યયનનાં કેન્દ્રો બને તેવી શક્યતા પણ રહેલી છે. વળી, દીક્ષા લેવાની ભાવના ધરાવનાર વ્યક્તિને માટે સાધુ-જીવનની પૂર્વતૈયારીરૂપ અમુક શાસ્ત્રીય અભ્યાસ કરવાનું ફરજિયાત બનાવવામાં આવે. દીક્ષાર્થી વ્યક્તિની યોગ્યતા અને ઉંમરના પ્રમાણમાં અમુક મહિના કે વર્ષ આવી તૈયારીમાં ફરજિયાત ગાળવામાં તેની ભાવના બદલાઈ જવાનું જોખમ લેખવામાં ન આવે, બલ્ક દીક્ષાર્થી અને શ્રીસંઘ બંનેના ભલાની દૃષ્ટિએ એવા જોખમ તરફ વિશેષ ધ્યાન આપવામાં ન આવે, તેવી નવી વ્યવસ્થા કે પ્રણાલિકા ઊભી કરવાની ખાસ જરૂર છે. અત્યારે તો સ્થિતિ એવી શોચનીય છે, કે જે કોઈ ભાઈ-બહેન સમજણથી, અણસમજણથી, ઓછી સમજણથી કે અરે, સ્વાર્થ-બુદ્ધિથી પ્રેરાઈને દીક્ષા માગે છે અને મોટે ભાગે વધુ વિચાર કર્યા વગર આપી દેવામાં આવે છે. આપણા સંઘની આવી ચિંતાકારક સ્થિતિનો વિચાર કરતાં પણ અમુક ચકાસણી અને જરૂરી પૂર્વતૈયારી પછી જ દીક્ષા આપવામાં આવે એ જરૂરી છે. સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કદંબગિરિ તીર્થમાં સાધુ મુનિરાજોના અધ્યયન માટે આવું વિદ્યાકેન્દ્ર સ્થાપવાના મનોરથ સેવતા હતા; એને સાકાર કરવાનો સમય પાકી ગયો છે. અગાઉ અમે વૃદ્ધાવાસો સ્થાપવાની અને અત્રે અમે નવદીક્ષિતો અને દીક્ષાર્થીઓના અભ્યાસ માટે વિદ્યાકેન્દ્રો ઊભાં કરવાની વાત લખી. પણ સાથે સાથે આવા વૃદ્ધાવાસો અને વિદ્યાકેન્દ્રો ઊભાં કર્યા પછી પણ એ સારી રીતે ચાલે અને પોતાના ઉદ્દેશને સફળ બનાવે એની આડે જે અવરોધ દેખાય છે, એનો ઉલ્લેખ પણ અહીં કરવો જોઈએ. આવાં વૃદ્ધાવાસો કે વિદ્યાકેન્દ્રોમાં જૈનસંઘના જુદાજુદા ફિરકાઓનાં સાધુઓને કે સાધ્વીઓને એકસાથે રાખવાની તો અહીં વાત જ નથી. અહીં અમે જે કહ્યું છે તે ફક્ત જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ફિરકાના સાધુ-સાધ્વીઓને અનુલક્ષીને જ કહ્યું છે. પણ આ એક ફિરકાના સાધુઓ અને સાધ્વીઓ એક સ્થાનમાં શાંતિથી રહીને પોતાની વૃદ્ધાવસ્થાને સુખમય બનાવે કે શાસ્ત્રાભ્યાસ કરે એવી શક્યતા પણ બહુ જ ઓછી છે. આમાં જુદાજુદા ગચ્છોનો સવાલ તો આવે જ આવે, પણ એક જ ગચ્છના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy