SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧ ૨૪૯ ચારિત્રની આરાધના નિર્મળ થઈ શકે એ માટે સાચી દ્રષ્ટિ અને સાચા જ્ઞાનની પહેલી જરૂર છે. વ્યાવહારિક સિદ્ધિ મેળવવી હોય કે આધ્યાત્મિક એ બધાયમાં પાયાની વાત એ સિદ્ધિ કેમ પામી શકાય એનું જ્ઞાન મેળવવાની છે. તેથી જ આપણા શાસ્ત્રકર્તાઓએ ના તમો તયા (પહેલું જ્ઞાન, પછી દયા) અને જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ: (જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ મળે) એમ કહ્યું છે. વળી, જૈન ધર્મશાસ્ત્રોના પાયામાં સત્યશોધક અને ગુણગ્રાહક અનેકાંતદષ્ટિ રહેલી છે. અનેકાંતદષ્ટિનો પ્રકાશ માનવીને પોતાનાં અને બીજાઓનાં ધર્મશાસ્ત્રોના વ્યાપક, ઉદાર, તુલનાત્મક, મર્મસ્પર્શી અને સત્વગ્રાહી અધ્યયન તરફ દોરી જાય છે; એવો શાસ્ત્રાભ્યાસ જ સાધકને નિર્મળ ચારિત્રની દિશા તરફ દોરી જાય છે. સાધકને બહિર્મુખના બદલે અંતર્મુખ બનાવે એવો વિદ્યાભ્યાસ, એકાંત-સેવન અને યોગ(ચિત્તનિરોધ)ની પ્રવૃત્તિ આપણા ત્યાગીવર્ગમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પણ અહીં તો માત્ર વિદ્યાભ્યાસ અંગે જ વિચારણા કરીશું. - સત્યગામી, જીવનસ્પર્શી શાસ્ત્રાભ્યાસ એકાગ્ર ધ્યાન જેવું જ દુષ્કર કાર્ય છે. એ માટે શાંત-એકાંત સ્થાન, તે તે વિષયના નિષ્ણાત અધ્યાપકો-પંડિતો અને અભ્યાસી નિરાકુલતાપૂર્વક અભ્યાસ કરી શકે એવી અન્ય સગવડોની જરૂર પડે છે. વળી, અભ્યાસ કરવા ઈચ્છનાર વ્યક્તિની જિજ્ઞાસા અર્થાત્ જ્ઞાનની તમન્ના તો આ બધાના પાયામાં જોઈએ. આવા બધા અનુકૂળ સંયોગો હોય અને અભ્યાસી પોતાની જાત અને બાહ્ય સુખ-સગવડને ભૂલીને અમુક વર્ષો સુધી સ્થિરતાપૂર્વક અધ્યયન કરે તો જ શાસ્ત્રાભ્યાસ સીઝ અને ફળે. અત્યારે વ્યાવહારિક લેખાતી વિદ્યાઓના અભ્યાસનો સમગ્ર પ્રજામાં જે રીતે વિસ્તાર થઈ રહ્યો છે અને બુદ્ધિશાળી વર્ગ ઘડાતો જાય છે, એની તુલનામાં આપણા મોટા ભાગના શ્રમણ સમુદાયના અતિ મર્યાદિત એવા વિદ્યાભ્યાસ અને શાસ્ત્રજ્ઞાન અંગે જરૂર ચિંતા ઊપજવી જોઈએ. શ્રમણસમુદાયમાં અહીં સાધ્વીસમુદાયનો પણ સમાવેશ સમજી લેવો. સાધ્વીજીઓની સંખ્યામાં અત્યારે નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે. એમાં કેટલીક ઊછરતી ઉંમરે દીક્ષા લેનારી બહેનો તો એવી ભણેલી અને તેજસ્વી હોય છે, કે જો એમને સરખી રીતે શાસ્ત્રાભ્યાસ કરાવવામાં આવે, તો તેઓ શાસનનું ગૌરવ વધારવા સાથે શ્રીસંઘનું સંસ્કારઘડતર કરવામાં ખૂબ મહત્ત્વનો હિસ્સો આપી શકે, તેમ જ આત્મકલ્યાણના પોતાના મૂળ હેતુને પણ સફળ કરી શકે. ' આ બધું ત્યારે જ બની શકે કે જ્યારે શ્રીસંઘ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બળાબળને પારખીને, પોતાની પરંપરાગત ચાલુ વ્યવસ્થામાં આવશ્યક ફેરફાર કરીને, દેશમાં જુદાંજુદાં અનુકૂળ સ્થાનો કે તીર્થધામમાં, બીજીબીજી વિદ્યાઓ સાથે મુખ્યત્વે શાસ્ત્રીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy