SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જિનમાર્ગનું અનુશીલન ધરાવનારાઓને આઘાત લાગે એ બનાવજોગ છે. આપણે આ ઘટનાનું માત્ર એ સારી છે, કે ખોટી એવી પરિભાષામાં મૂલ્યાંકન કરવાને બદલે આપણા સંઘમાં આપણા જૂનાજરીપુરાણા ગણો-ગચ્છો સામે કોઈક સ્થાનમાં આવો સખ્ત અણગમો પણ જાગી ઊઠ્યો છે એ દષ્ટિએ એના તરફ ધ્યાન આપીએ, તો જરૂર આપણને સારાસારનો તાગ મેળવવાનો અવસર મળે. ભગવાન મહાવીર પછી એમના સંઘમાં, સમયે-સમયે, કોઈક માન્યતા કે અમુક બાહ્ય ક્રિયાને નામે જે ભેદ પડતા ગયા અને અત્યારે પણ એ સંઘ- વિભાજનની પ્રક્રિયા ચાલી રહી છે તેથી, જૈનસંઘ જુદાજુદા ફિરકાઓમાં અને એક જ ફિરકો જુદાજુદા ગણો, ગચ્છો કે સમુદાયોમાં વિભક્ત થતો જ રહ્યો છે. આ વિભાજનને કારણે ભલે અમુક વ્યક્તિનો અહં પોષાયો હોય અથવા ભલે અમુક વ્યક્તિનું વર્ચસ્વ સચવાયું હોય, પણ એ બધું કેવળ શ્રીસંઘની વ્યવસ્થા, શક્તિ અને એકતાને ભોગે જ ! આવા બધા ભેદ-પ્રભેદોમાં કંઈ આપમેળે જ ગુણવત્તા કે શ્રેષ્ઠતા પ્રગટતી નથી; તે તો કેવળ આત્મલક્ષી, અંતર્મુખ, ગુણગ્રાહક, સત્યચાહક જીવનસાધનાથી જ પ્રગટે છે; અને જેનામાં એ પ્રગટે છે એ બીજાની નિંદાથી સદા ય દૂર જ રહે છે. આ ગચ્છવાદ કે સમુદાયવાદનું અનિષ્ટ સમજવા માટે દૂર જવાની કયાં જરૂર છે? શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘના તપગચ્છ વિભાગમાં તિથિચર્ચા જેવી મામૂલી વાતે કેટલો બધો કલહ જગાવી મૂક્યો છે ! પવિત્ર ધર્મતિથિને નામે ક્લેશ એ પણ આવા સાંપ્રદાયિક કદાગ્રહનું જ દુષ્પરિણામ છે. આ જ રીતે વસ્ત્રરહિતપણાની માન્યતા, આગમોના વિચ્છેદની માન્યતા, જિનમૂર્તિનો વિરોધ, જિનમૂર્તિનું સમર્થન, મુહપત્તી કેવી રાખવી અને ક્યાં રાખવી એ અંગેની માન્યતા, જિનમૂર્તિની આંગી કરવાની શૃંગારભક્તિની માન્યતા – આવી આવી અનેક માન્યતાઓને લઈને આપણે ત્યાં જે ઝઘડાઓ અને ઉગ્ર ખંડન-મંડન થતાં રહે છે, અને બીજાની વાતનો સાર કે ભાવ સમજવાની અનેકાંત-દૃષ્ટિની જે સાવ ઉપેક્ષા થતી જોવાય છે, તે પણ કેવળ સાંપ્રદાયિક અભિનિવેશનું જ પરિણામ છે. જો આપણે ગુણગ્રાહક અને સત્યચાહક દૃષ્ટિથી આપણાં ધર્મશાસ્ત્રોનું અધ્યયનઅવલોકન કરવા તૈયાર હોઈએ તો આપણને આ સમજતાં વાર ન લાગવી જોઈએ. આવા સાંપ્રદાયિક કદાગ્રહ કે હઠાગ્રહથી દૂર રહેવાની આત્મસાધકને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પણ ગચ્છવાદ કે સંપ્રદાયવાદનું જોર એટલું વ્યાપેલું છે કે આવી અમૃત જેવી બાબતનો પણ કોઈક વિરલા જ લાભ લઈ શકે છે. યોગીરાજ આનંદઘનજી આવા જ એક વિરલ સંત થઈ ગયા ! એમણે ૧૪મા તીર્થકર શ્રી અનંતનાથ ભગવાનના જીવનમાં ““ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે” એ ત્રીજી ગાથામાં ગચ્છવાદના અનિષ્ટ સામે પોતાનો પુણ્યપ્રકોપ વ્યક્ત કર્યો છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy