SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જિનમાર્ગનું અનુશીલન શક્યા. એ બધાંને જાણે પોતાના ચિરપરિચિત સ્વજનો આવી મળ્યા હતા. સમાનધર્મીપણાનું સગપણ કંઈ ઓછું ગણાય? પણ એ તો જે સમજે એને માટે! અમે દેરાસરનાં દર્શન કર્યા અને બહારની દાદાવાડીના દર્શને રવાના થતા હતા, એટલામાં એમણે એક બીજાં બહેનને બોલાવી લીધાં. એ પણ પચાસેક વર્ષનાં ભવ્ય સન્નારી હતાં. એમનું નામ બીબી ફૂલચંબી. એ પણ ત્યાંના જાહેર કાર્યમાં ખૂબ રસ લે છે. ગૌરાદેવીએ કહ્યું : આ મારાં સહેલી છે, અને અમે બે સાથે મળીને અહીંની બધી પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. ગૌરાંદેવીએ ઉપાશ્રયમાં એક કુમારિકાનો અને પરિચય કરાવેલો. સોળ-સત્તર વર્ષની, વીજરેખા જેવી તેજસ્વી છતાં સૌમ્ય એ કુમારિકાનું નામ તરસીમકુમારી. એ બહેન માધ્યમિક શાળાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને અંગ્રેજી પાકું કરાવવામાં મદદ કરે છે. ધન્ય સ્ત્રીશક્તિ ! દાદાવાડીનાં દર્શન કરીને અમે નમતી સંધ્યાએ અમૃતસર માટે રવાના થયા. જડિયાલા ગુરુક – અમૃતસરનાં બંને દેરાસરનાં દર્શન કરીને બપોરના એક વાગે અમે ડિવાલા ગુરુકા ગામે પહોંચ્યા. ત્યાં દેરાસર છે. અમને જોઈને કેટલાક જૈન ભાઈઓ ભેગા થઈ ગયા. અમે દર્શન કરીને પાછા ફર્યા એટલામાં તો એમણે જાણે નાનો-સરખો સમારંભ જ ગોઠવી દીધો. જમવાનો વખત હતો, એટલે પહેલાં તો એમણે જમવાનો ખૂબખૂબ આગ્રહ કર્યો. પણ અમારી સાથે અમારા યજમાન શેઠ શ્રી સંતલાલજી પોદાર હતા. તેમની પ્રકૃતિ એવી કે મહેમાનો જેમ પોતાને ત્યાં વધારે જમે એમ એ વધારે રાજી. અમે જમવાની ના પાડી તો છેવટે શરબતના બહાને એમણે મીઠાઈ, ચવાણું અને ફળ મગાવીને અમારી ખૂબ પરોણાગત કરી. એ ઉપાશ્રયમાં તેઓ એક સાર્વજનિક પ્રાથમિક શાળા ચલાવે છે અને ધાર્મિક શાળા પણ ચલાવે છે. અમારા માટે આ ત્રણ શહેરોની મુલાકાત એ જૈનોની વસતીવાળાં પંજાબમાં બીજાં શહેરોની ધર્મભાવના સમજવાના નમૂનારૂપ હતી. પોતાના ગામના ઉપાશ્રયનો જૈનોના અને બીજાઓના લાભ માટે તેઓ જે રીતે વધારેમાં વધારે ઉપયોગ કરે છે, તે આપણે સમજવા અને અનુકરણ કરવા જેવી બાબત છે. - પંજાબના જૈનો ગુજરાતને પોતાના મોટા ભાઈ તરીકે માને છે. ગુજરાતમાં રચાતા ઉત્સવો-મહોત્સવો, આડંબરો, ધામધૂમ અને ક્રિયાકાંડો તેમ જ ધનનું કરવામાં આવતું પ્રદર્શન – એ બધું જોઈને તેઓ આમ માનવા પ્રેરાયા હોય તો ના નહીં. પણ ધર્મભાવનાની દષ્ટિએ પંજાબે પોતાની જાતને ઊતરતી માનવાની જરૂર નથી. ગુજરાતમાં કૂણાશ, ભાવનાશીલતા અને સહધર્મી પ્રત્યેનો સ્નેહ પંજાબ જેવો કેમ નહીં દેખાતો હોય ? તો આના જવાબમાં મનમાં સામો એક નવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy