SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ જિનમાર્ગનું અનુશીલન એકતા અને સંગઠનની ભાવનાનું પોષણ કરી રહેલ છે અને કોઈ નિરર્થક સંઘર્ષ ઊભો ન થાય તે માટે સાધુસંઘ તેમ જ શ્રાવક-સંઘ જે તકેદારી અને જાગૃતિ રાખે છે, તે બીજાઓને માટે દાખલારૂપ બની રહે એમ છે. પંજાબી ભાઈઓએ એમની મહાસભા દ્વારા જે સંગઠન સાધ્યું છે અને દેરાવાસી અને સ્થાનકવાસી ફિરકાઓમાં જે એકતા સાધી છે, એ જોયા પછી પણ લુધિયાણામાં જે થોડો-ઘણો પ્રત્યક્ષ પરિચય થયો એ ઉપરથી મન ઉપર કંઈક એવી છાપ પડી કે એમનામાં જેટલી શ્રદ્ધા, ભાવના, ભક્તિશીલતા છે, તેના પ્રમાણમાં વ્યવસ્થાશક્તિ કંઈક ઓછી હશે. તેથી કયારેક કોઈક કાર્ય માટે પ્રમાણાતીત પરિશ્રમ કરવા છતાં એમને ધાર્યો યશ મળતો નહીં હોય. મારી આ માન્યતા ખોટી પણ હોય. પંજાબી ભાઈ-બહેનોની જૈનધર્મનું પાલન કરવાની ભાવના, પોતે જેન છે એ વાતનું ગૌરવ લેવાની વૃત્તિ અને સહધર્મી ભાઈ-બહેનોને જોઈને હર્ષના અતિરેકપૂર્વક એમનું સ્વાગત અને આતિથ્ય કરવાની ઉત્કટ લાગણી બીજા પ્રદેશો કરતાં કંઈક નોખી તરી આવે એવી લાગી. એ જોઈને અમને એમ થયું કે અહીં જૈનધર્મ અને જૈનસંસ્કૃતિ બાહ્ય આડંબર વિના પણ ભાવના અને આસ્થાની દૃષ્ટિએ કંઈક અનોખાં છે. - પંજાબની ઊડતી મુલાકાત દરમિયાન ત્યાંના જૈન સમાજ અને જૈન ધર્મ અંગે જે સામાન્ય છાપ મન ઉપર પડી તે ઉપર રજૂ કરી છે. એટલે મારી આ છાપને અંતિમ માની લેવાની જરૂર નથી. - હવે આવી છાપ પડવાના જે પ્રસંગો ત્રણ શહેરમાં બન્યા, એની કેટલીક વિગતો આપીને આ પ્રવાસવર્ણન પૂરું કરીશ: ઉંદર - લુધિયાણાથી સ્ટેશનવેગનમાં અમે બપોરના એક વાગે જલંદર પહોંચ્યા. દોઢેક વાગે દેરાસરના દર્શને ગયા તો દેરાસર બંધ. અમે વિમાસણમાં પડ્યા કે અત્યારે દર્શન કેવી રીતે થશે? એટલામાં ૨૫-૩૦ વર્ષના એક નવયુવક ભાઈ આવી પહોંચ્યા. એમણે તરત જ દેરાસર ઉઘાડવાની ગોઠવણ કરી, અને અમે દર્શન કરી લીધાં કે તરત જ ભારે લાગણીપૂર્વક જમવાનો અમને આગ્રહ કરવા લાગ્યા. અમે એક-બે જણ નહીં પણ છ જણા, ખરો બપોર, જમવા-વેળા વીતી ગયેલી; અને જમવાનો આવો પ્રેમભર્યો આગ્રહ જોઈને અમે તો વિચારમાં જ પડી ગયા. અમે એ ભાઈને વિવેકપૂર્વક ના પાડી, તો એ ભાઈએ કહ્યું: “કંઈ ખાધા વગર તો આપનાથી નહીં જ જવાય; આપના જેવા સહધર્મી-ભાઈ અમારે ત્યાં ક્યાંથી? આપ જરાક થોભો. હું હમણાં મીઠાઈ અને ચવાણું (નમકીન) લઈ આવું છું. વાર નહીં લાગે." અમે એની પણ ના પાડી. આવા નિર્ચાજ પ્રેમભર્યા આગ્રહ આગળ આવી ના-નો સ્વીકાર કરાવવો એ સહેલું કામ નથી એમ અમને ત્યારે સમજાયું. Jain Education International For Private & Personal Use Only: www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy