SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૭ ૨૩૭ હતું. એટલે મનમાં થયા કરતું હતું કે સાધ્વીજીને ક્યારેક પણ પ્રત્યક્ષ મળવાનું થાય તો સારું. સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીને અધિવેશનમાં સાંભળ્યા પછી તેમ જ એમને મળીને એમની સાથે કેટલી વાતચીત કર્યા પછી મનમાં એક ભાવના ઊગી આવી કે સદ્દગત આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન વાંચવાની અને જાહેરમાં પ્રવચનો કરવાની અનુમતિ આપીને કેટલો મોટો ઉપકાર કર્યો છે ! આ સાધ્વીજીના વિકાસમાં આ અનુમતિએ કંઈ નાનાસૂનો ભાગ ભજવ્યો નથી. ત્રીસૂકો નધિયાતા (સ્ત્રીઓ અને દ્રો શાસ્ત્રાભ્યાસનાં અધિકારી ન ગણાય) એ બ્રાહ્મણધર્મની પ્રાચીન માન્યતાની સામે ભગવાન મહાવીરે ક્રાંતિ કરીને સ્ત્રી-સમાજને મોક્ષનો એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્રની ઊંચામાં ઊંચી કોટીની આરાધના કરવાનો અધિકાર જાહેર કરીને સમસ્ત સ્ત્રી જાતિનો ઉદ્ધાર કર્યો હતો. શ્રી આત્માનંદ જૈન મહાસભા મારફત કે બીજી રીતે પંજાબના જૈન ભાઈઓ પ્રાથમિક શિક્ષણથી માંડીને તે અંબાલાની કોલેજ સુધીની અનેક શિક્ષણ-સંસ્થાઓ ચલાવી રહ્યા છે, અને ધાર્મિક અભ્યાસની ગોઠવણ પણ એમણે ગામેગામ કરી છે. વળી નાનાં-નાનાં યુવકમંડળોની યોજના પણ પંજાબમાં સારી રીતે કામ કરી રહી હોય એવી છાપ લુધિયાણામાં છેલ્લે દિવસે મળેલ યુવક-પરિષદ ઉપરથી તેમ જ એણે કૉન્ફરન્સના પ્રમુખશ્રીને આપેલ અભિનંદન-પત્ર અને ગાર્ડન પાર્ટીનો સુવ્યવસ્થિત સમારંભ જોઈને મન ઉપર પડી છે. એ અભિનંદન-પત્રમાં યુવકોને ધર્મવિરોધી કહીને વારંવાર ઉતારી પાડવામાં આવે છે એની સામે હૃદય-સોંસરા ઊતરી જાય એવી લાગણીભીના શબ્દોમાં જે દર્દ વ્યક્ત કરવામાં આવ્યું હતું, એ સાંભળીને મારી જેમ અનેકની આંખો આંસુભીની બની હતી. શ્રી આત્મારામજી મહારાજ અને ગુરુ વલ્લભ (આ. વિજયવલ્લભસૂરિજી) તો પંજાબી ભાઈ-બહેનોના શ્વાસ અને પ્રાણ છે. આ બધું જોયા પછી આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજીએ આત્માનંદ જૈન મહાસભાના સંગઠન માટે, મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમાજની એકતા માટે તેમ જ એ પ્રદેશમાં જૈનધર્મની ભાવનાને ટકાવી રાખવા માટે જે જંગી કામ કર્યું છે, તે માટે એમના પ્રત્યે ખૂબખૂબ આભાર અને બહુમાનની લાગણી ઉત્પન્ન થયા વગર રહેતી નથી. પંજાબની (અને મારવાડ, ગુજરાતની પણ) અનેક જૈન શિક્ષણસંસ્થાઓની પાછળ આ સમયજ્ઞ આચાર્યશ્રીની પ્રેરણાએ જ કામ કર્યું છે. સાથે સાથે અહીં એ પણ નોંધવું જોઈએ કે આ. મ. શ્રી. વિજયસમુદ્રસૂરિજી અને એમનો સાધુસમુદાય તેમ જ સ્થાનકવાસી સાધુસમુદાય પણ જે રીતે પંજાબમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy