SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ જિનમાર્ગનું અનુશીલન આપણું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. આ સંસ્થાની ઠેર-ઠેરની શાખાઓ દ્વારા સંસ્થાનો સંદેશો સર્વત્ર વિના વિલંબે પહોંચી જાય છે; એટલું જ નહીં, એ સંદેશાનો બધાં જૈન ભાઈ-બહેનો યથાશક્ય અમલ પણ કરી બતાવે છે. કોઈ રાજદ્વારી કે બીજી સંસ્થાની જેમ અનેક શાખા-પ્રશાખાઓની ફૂલગૂંથણી (net-work) દ્વારા આ મહાસભા કામ કરે છે. આવી ગોઠવણને લીધે લુધિયાણા-અધિવેશનમાં ગામેગામનાં આબાલવૃદ્ધ ભાઈબહેનો ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. થોડાક દાયકા પહેલાં પંજાબમાં જૈનોના મૂર્તિપૂજક અને સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે વિરોધ પ્રવર્તતો હતો. પણ જાણે કોઈ જાદુઈ દંડ ફરી ગયો હોય એમ, અત્યારે તો આ બંને ફિરકાઓ વચ્ચે ત્યાં ઘણો સુમેળ જોવા મળે છે. અનેક સારા-માઠા પ્રસંગે બંને એકબીજાના સુખદુઃખના સાથી બની જાય છે. કૉન્ફરન્સના અધિવેશન પ્રસંગે બંને ફિરકાની કૉન્ફરન્સના પ્રમુખોની તેમ જ બંને ફિકાનાં સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિ અને પ્રમુખના સ્વાગતમાં બંને ફિરકાઓએ ઉમળકાભેર લીધેલો ભાગ – એના યાદગા૨ પ્રસંગો આ સુમેળનું જ પરિણામ લેખી શકાય. આનાં કરતાં પણ આ સુમેળનો વિશેષ નોંધપાત્ર દાખલો તો એ છે, કે સ્થાનકવાસી સંઘના એકમાત્ર આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ મૂર્તિપૂજક સંઘના એક જિજ્ઞાસુ સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીને સ્વયં આગમશાસ્ત્રનું અધ્યયન કરાવતા હતા. શ્રી આત્મારામજી મહારાજ એંશી વર્ષ જેટલા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સ્થાનકવાસી સંઘમાં આગમના મોટામાં મોટા જ્ઞાતા લેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષથી એમની આંખનાં તેજ અંતર્મુખ બની ગયાં છે. છતાં તેઓ આગમના અધ્યાપનમાં ઘણો વખત આપે છે. લુધિયાણાના સ્થાનકવાસી સંઘના મંત્રી ભાઈશ્રી રતનચંદજી જૈન એમ.એ. સાથે હું શ્રી આત્મારામજી મહારાજના દર્શને ગયો હતો. તેમની પાસે અમે અડધો-એક કલાક બેઠા તે દરમિયાન આચાર્યશ્રીએ આત્મચિંતનમાં ઉપયોગી થાય એવી કેટલીક આગમ-ગાથાઓ અમને સમજાવી. આચાર્ય મહારાજે એમ પણ કહ્યું, કે અમારી પાસે વધારે વખત હોત તો વધારે વાતચીત કરવાનો અવસર મળત. લુધિયાણામાં રહ્યો તે દરમિયાન વિદુષી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીને મળવાનો અવસર મળ્યો, અને એક લાંબા વખતની ઇચ્છા સફળ થઈ. એક લોકપ્રિય વક્તા તરીકે આ સાધ્વીજીનું નામ ઘણાં વર્ષોથી જાણવામાં આવ્યું હતું. વળી છેલ્લા મહિનાઓ દરમિયાન પૌર્વાત્ય વિદ્યા(Oriental)ના આપણા દેશના બહુ જાણીતા પુસ્તક-વિક્રેતા મેસર્સ મોતીલાલ બનારસીદાસની કંપનીના માલિક લાલા સુંદરલાલજી દ્વારા પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે થયેલ પત્રવ્યવહાર ઉપરથી આગમશાસ્ત્રોના અધ્યયન માટે સાધ્વીજીશ્રીની ઇચ્છા અમદાવાદ આવીને કેટલોક વખત રહેવાની હોવાનું જાણી શકાયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy