SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૬, ૭ છે, તેથી નાના-મોટાનો વિવેક નામશેષ જેવો બન્યો છે, અને કોઈ કોઈને કહી શકે કે જરૂરી કઠોર અનુશાસન કરી શકે એવી સ્થિતિ રહી જ નથી. આ મર્યાદાની પુનઃસ્થાપના માટે શ્રીસંઘ-સમિતિ ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આમ છતાં આપણાં કોઈકોઈ સામયિકો તેમ જ કોઈકોઈ સાધુઓ શ્રમણોપાસકશ્રીસંઘ-સંમેલનની કાર્યવાહીને અનધિકાર ચેષ્ટા તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરવામાં જ જે રીતે રાચી રહ્યાં છે, તે જોઈને આશ્ચર્ય અને ખેદ થયા વિના રહેતો નથી. આ સાધુ-મહારાજોને પોતે પોતાની પવિત્ર ધાર્મિક જવાબદારીની કેટલી હદે ઉપેક્ષા કરી છે એનો તો જાણે લેશમાત્ર રંજ થતો નથી; તેઓ તો સંઘના અગ્રણી તરીકેના પોતાના અબાધિત અધિકારના અહંભાવમાં જ મગ્ન છે. પણ તેઓ ભૂલી જાય છે કે જવાબદારી અને અધિકાર એક જ સિક્કાની બે બાજુઓ છે; જવાબદારીને પૂરી કરવામાં જ અધિકારની ચરિતાર્થતા છે. જવાબદારીની ઉપેક્ષા કરીને કેવળ સ્વાર્થ સાધવા માટે વપરાતો અધિકાર ન કદી લાંબો સમય રહ્યો છે, ન ટકી શકવાનો છે. ઇચ્છીએ કે વધુ મોડું થાય તે પહેલાં આવા મુનિરાજોને સાચી વાત સમજાય, અને સંઘશુદ્ધિ અને સંઘના સંગઠનને માટે તેઓ સમયની અને પરિસ્થિતિની હાકલને માન આપીને સંઘના અભ્યદયના સહભાગી બને. (તા. ર૬-૧-૧૯૬૩) (૭) પંજાબના પ્રવાસ પ્રસંગે મળેલી જૈનસંઘની ઝલક પંજાબમાં જૈન સમાજની એકતા અને એના સંગઠનનું, તેમ જ જૈનધર્મની ભાવનાનું, અમારા ઝડપી પ્રવાસ દરમિયાન અમે જે કંઈ દર્શન કરી શક્યા, તે અમારા માટે બીજા પ્રદેશો કરતાં કંઈક અનોખું અને આલાદક હતું. આ અલ્પ-સ્વલ્પ દર્શને પણ મન ઉપર ઊંડી અને કાયમી છાપ પાડી છે, અને મનમાં એમ પણ થયા કરે છે, કે ક્યારેક નિરાંતે એક જિજ્ઞાસની દૃષ્ટિથી પંજાબનાં ફરી દર્શન કરવાં. પંજાબના જૈન સમાજના અને જૈન ધર્મના આટલા આછા અને ઓછા પરિચય દરમિયાન પણ શ્રીયુત નાગરકુમારભાઈ મકાતી અને મારો એ બાબતમાં સરખો અભિપ્રાય થયો, કે આ પ્રવાસમાં પંજાબનું નવું દર્શન (discovery) થયું છે. ત્યાંની શ્રી આત્માનંદ જેન મહાસભાએ ત્યાંના ગામેગામ અને શહેરે શહેરના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘમાં જે એકતા અને સંગઠનની ભાવનાને મૂર્ત કરી છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy