SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જિનમાર્ગનું અનુશીલન શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલન અને શ્રી સંઘ-સમિતિ, એ કેવળ શ્રમણ સમુદાયની સંઘસંગઠન અને સંઘની આચારશુદ્ધિ પ્રત્યેની પ્રમાણાતીત ઉપેક્ષાનું જ પરિણામ છે એમાં જરા ય શક નથી. અને એ દૃષ્ટિએ વિચારતાં આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજીએ જે નવી પરિસ્થિતિ સર્જાવાની બારેક વર્ષ પહેલાં આગાહી કરી હતી, તે સાચી પડી છે એમ સ્વીકાર્યા વગર પણ ચાલે એમ નથી. મુનિશ્રી જનકવિજયજીએ પોતાના આ લેખમાં સંઘશુદ્ધિ અને સંઘસંગઠન માટે શ્રમણોપાસક સંઘનાં અધિકાર અને કર્તવ્યનો જે નિર્દેશ કર્યો છે તે પણ ધ્યાનમાં લેવા જેવો છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિચાર કરીને, શુદ્ધ ભાવનાથી પ્રેરાઈને અને પોતાનું કર્તવ્ય સમજીને શ્રમણોપાસકોએ સાધુઓને પોતાની મર્યાદામાં રહેવાની પ્રેરણા આપી હોય, એવા અનેક દાખલા શાસ્ત્રોમાં છે... “મણાંગ સૂત્રમાં શ્રમણ અને શ્રમણોપાસક વચ્ચે કેવળ ગુરુ- શિષ્ય તરીકેનો જ સંબંધ નહીં દર્શાવતાં ચાર પ્રકારના સંબંધોનું પણ વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. સાધુઓને માટે શ્રાવકસંઘને માતા-પિતા સમાન પણ કહેલ છે. આ બાબતનો જો આપણે ઉદાર, ગંભીર તેમ જ તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરીએ તો એનો અર્થ એ થાય છે, કે ચતુર્વિધ સંઘના ચાર સભ્યોએ પોતાની મર્યાદા ધ્યાનમાં લઈને પોતાની ફરજનું પાલન કરવામાં જાગૃત રહેવું જોઈએ.. “ચતુર્વિધ સંઘમાં શ્રમણસંઘ મુખ્ય છે, એટલે શ્રાવકોથી સાધુઓને કયારેય કશું કહી શકાય નહીં, – આવી માન્યતા જૈન સમાજમાં લાંબા સમયથી પ્રચલિત છે. આ વાત અનેક વાર ચર્ચાનો વિષય બની છે, છતાં તેનું નિરાકરણ આજે પણ આપણે નથી કરી શક્યા. વર્તમાન સમયમાં શ્રમણોપાસક-સંઘે શ્રમણોપાસકસંમેલનમાં થોડા વખતમાં સર્વાનુમતે ઠરાવો પસાર કરીને શાસ્ત્રસંમત અનેકાંતદષ્ટિનાં દર્શન કરાવ્યાં એ ગૌરવની વાત છે; અને સંઘને માટે એ કલ્યાણકારક હોવાથી આદરણીય છે. “.. ઘણે ભાગે સાધુ-સંસ્થાના ભાગલાને લીધે શ્રાવકોના ભાગલા પડી ગયા છે. જો શ્રમણોપાસકો – શ્રાવકો ગુણગ્રાહક બનીને, સંગઠિત થઈને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને સંઘની ઉન્નતિ માટે પ્રયત્ન કરે તો શ્રાવક-સંઘનું સંગઠન અસંભવ નથી. શ્રમણોપાસક સંઘની સ્થાપના થવાથી દરેક સંપ્રદાયના આચાર્ય પોતાના સમુદાયમાંથી શિથિલતા અને સુખશીલતા વગેરે દૂષણોને, એનો સહકાર લઈને, દૂર કરી શકે છે.” શ્રમણ સમુદાય જો શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલનની કાર્યવાહીનું યથાર્થ મૂલ્યાંકન કરી શકે અને શ્રીસંઘ-સમિતિએ સ્વીકારેલ જવાબદારીનું મહત્ત્વ પિછાણવા જેટલી સહાનુભૂતિ દર્શાવી શકે, તો એકંદરે એને પોતાને જ આનાથી લાભ થવાનો છે; કારણ કે, શ્રમણસમુદાયમાં આજે ગુરુ-શિષ્ય વચ્ચેની મર્યાદાઓનો જે રીતે લોપ થઈ રહ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy