SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જિનમાર્ગનું અનુશીલન જીવનસુધારણાનો બોધ આપીને સાચા માનવ બનાવવાના ઉમદા ધ્યેયને પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારીને એ માટે સતત કાર્યરત રહેતા મુનિવર છે. તેઓએ અમારા ઉપર તા. ૨૮-૧-૧૯૭૯ના રોજ લખેલ એક પત્રમાં પોતાની લાગણી દર્શાવી છે. શરૂઆતમાં, અમારાં લખાણો અંગે પોતાની ખુશાલી વ્યક્ત કરવા સાથે પોતાની મનોવેદનાને વાચા આપતાં તેઓએ લખ્યું છે : તા. ૨-૧૨-૧૯૭૮ના જૈન'નો અગ્રલેખ “સત્તા અને સંપત્તિ તરફના મોહમાં માર્ગ ભૂલીને ત્યાગમાર્ગનું મૂલ્ય ઓછું કાં કરીએ?' વાંચીને ખૂબ આનંદ થયો. હમણાંહમણાં બીજા અંકોમાં પણ ચિંતનપ્રધાન પ્રેરક લેખો આપે લખ્યા છે, તે બદલ આપને હું એકલો જ નહીં પણ શ્રીસંઘ – આખો સમાજ જેટલા ધન્યવાદ આપે તેટલા ઓછા છે... આજે પણ ઘણા લોકોમાં એવી માન્યતા છે કે, જેન કોમ તો શ્રીમંતોની કોમ છે, જેની પાસે પુષ્કળ ધન હોય છે; “જૈન” અને “ધન' જાણે પર્યાયવાચી શબ્દો ન બની ગયા હોય એમ લાગે છે. જ્યારે કલકત્તાના જૈન નગરશેઠ જગડુશેઠ બન્યા ત્યારે કોઈક અંગ્રેજ હાકેમે (ઘણું કરી લોર્ડ કર્ઝને) કંઈક એ મતલબનું વિધાન કર્યાનું સાંભળવામાં આવેલું, કે દેશમાં અડધાથી વધારે વ્યાપાર જેનો પાસે છે; એક તરફ આખા દેશનું ધન અને બીજી તરફ જૈનો પાસેનું ધન. તે સમયની છાપ આજે પણ લોકોના મનમાં છે. પણ તે સમયમાં ધનોપાર્જનમાં પ્રામાણિકતા, સાદગી, નમ્રતાની સાથે જે ઉદારતા, સમયજ્ઞતા હતી તે આજે નથી રહી. “તે વખતે ધર્મને ધનથી તોલવામાં નહોતો આવતો. નિર્ધન વ્યક્તિઓ પણ નગરશેઠ, સંઘના પ્રમુખ જેવાં શ્રેષ્ઠ સ્થાનો પર બિરાજમાન રહેતી હતી. ગુણવાનું વ્યક્તિઓને ધર્મસ્થાનોમાં સન્માનનીય સ્થાન આપવામાં આવતું હતું... રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની સંપત્તિ પણ નિર્ધન પુણિયા શ્રાવકના સામાયિક આગળ કાંઈ નથી – આવી વાતો સંભળાવવા-સાંભળવા છતાં અત્યારે સમાજ-સંઘની વિચિત્ર દશા કેમ બની તે અવશ્ય વિચારણીય લાગે છે. “આપને મારા અનુભવની વાત લખું : અમો જયપુરની પાસેના ગામમાં લગભગ ૧૫ વર્ષ પહેલાં ગયા હતા, ત્યારે એક અજૈન ભાઈને જેન સાધુના નિયમોનો ખ્યાલ આપતાં કહ્યું કે “અમો જૈન સાધુ છીએ; પૈસા લેતા નથી અને રાખતા પણ નથી, સવારી પણ નથી કરતા, કોઈ આપે તો પણ પૈસા નથી લેતા.” ત્યારે એણે કહ્યું, કે “એ વાત તો સાચી છે, કે આપ પૈસા નથી લેતા, સવારી નથી કરતા, પણ પૈસાવાળાઓને તો સાથે જ રાખો છો.. મારા ગામમાં, થોડા સમય પહેલાં, એક મોટા જેન આચાર્ય આવીને ગયા. એમની સાથે સૌથી (? “સોથી'?) વધારે સાધુસાધ્વીઓ હતાં અને ભક્ત-ભક્તાણીઓ પણ ઘણાં હતાં. મારી ભાવના ત્યાગી સંતોને ભોજન (ભિક્ષા) આપવાની હતી, પણ મારો નંબર જ ન આવ્યો; કેમ કે મોટરકારો લઈને ઘણા ભક્તો એમની સાથે જ રહેતા હતા....” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy