SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૫ ૨૩૧ “એક વખતે એક પ્રખર ચિંતનકારે મને કીધું હતું, કે આજે તો ત્યાગી-સંયમીસાધુ-સંન્યાસીઓની ચોટલી શ્રીમંતોના હાથમાં છે... તેથી જ મનમાં સાચી વાત સમજવા છતાં, શ્રીમંત ભક્તો નારાજ ન થઈ જાય એવા ભયને કારણે ગુરુજનો નથી કહેતા. આવી ભયભીત દશા થવાનું કારણ અમારી સાધુ-સંસ્થામાંનું વધારે પડતું પરાધીનપણું, સુખશીલિયાપણું અને આડંબરપૂર્ણ મહોત્સવો દ્વારા નામના, કીર્તિ અને પ્રશંસાની વધતી જતી ભૂખ જ છે. આના લીધે સંઘોત્થાન, સમાજનિર્માણનાં કામોમાં અમારી શક્તિ નથી લાગી રહી. ગયા વર્ષે પત્રેડી ગામના સરપંચની પાસેથી એક પત્રિકા જોવામાં આવી. તેમાં સનાતન ધર્મના મંદિરની પ્રતિષ્ઠાના સમાચાર અને જગદ્ગુરુ શંકરાચાર્ય પણ પધારવાના છે તેવી સૂચના હતી. સામાન્ય હેન્ડબિલમાં બધો કાર્યક્રમ લખેલો હતો; આડંબર-દેખાવ જેવું કાંઈ પણ નહોતું. જ્યારે મૂર્તિપૂજક સંઘમાંથી નીકળતી મોંઘા કાગળવાળી લાંબી અને ચોડી પત્રિકાઓનો વિચાર કરતાં એમ જ લાગે છે, કે જૈનોને ધનનું અજીર્ણ જ થઈ ગયું છે...” આ રીતે જૈનસંઘ અને સમાજની અત્યારની અવદશાનું ચિત્ર દોર્યા પછી મુનિશ્રી વધુમાં કહે છે – “આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આજે કાળાબજાર કર્યા સિવાય કોઈપણ શ્રીમંત નથી બની શકતો. વિવિધ પાપોથી કમાયેલ ધનનું પ્રાયશ્ચિત્ત ત્યારે થાય, કે જ્યારે દાતા નામના કે પ્રશંસાની ભૂમિને ત્યાગી, પાપોનો પશ્ચાત્તાપ કરી, સ્વધર્મ સમજીને, નમ્ર ભાવે દાન કરે. પણ જ્યારે દાન આપનાર અને અપાવનાર બંને જણા કીર્તિ અને પ્રશંસા ઈચ્છતા હોય ત્યાં કોણ કોને સમજાવે ?” આ રીતે વર્તમાન પરિસ્થિતિ અંગેની પોતાની મનોવ્યથાને કડવી છતાં સાચી ભાષામાં વર્ણવીને, પોતાનો મુખ્ય હેતુ સમજાવતાં, અંતમાં મુનિશ્રી કહે છે – “આ લખવા પાછળ મારા મનમાં શ્રીમંતો પ્રત્યે દ્વેષ કે ધૃણા જેવું કાંઈ પણ નથી. મારું તો એટલું જ કહેવું છે, કે આપણા બધામાં વિવેક જાગૃત થાય અને આવશ્યક અને અનાવશ્યક, સાર્થક અને નિરર્થક કામોનો દીર્ઘદ્રષ્ટિએ વિચાર કરીને સાદગીથી, કર્તવ્યભાવે બધાં જ કામો કરવામાં આવે તો સંઘને, સમાજને કેટલો બધો લાભ થાય !” ગણિવર્યશ્રી જનકવિજયજી પોતે સાદાઈથી અને નિરાડંબરપણે તેમ જ શાંતિ, સ્વસ્થતા અને નિખાલસતાપૂર્વક, જે રીતે પોતાની નિર્મળ સંયમ-સાધનાને અને માનવદેહધારીને સાચો માનવી બનાવવાની જનસેવાની પ્રવૃત્તિને આગળ વધારતા રહે છે, એનો જ પડઘો મોટે ભાગે એમના આ પત્રમાં સાંભળવા મળે છે. ધર્મનો મૂળભૂત હેતુ જ માનવીનાં મન-વચન-કાયાને નિર્મળ બનાવવાનો અને એને દોષો અને કષાયોના આવેશથી મુક્ત કરીને વિશ્વમૈત્રીની દિશામાં આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy