SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જિનમાર્ગનું અનુશીલના નિમિત્તે બોલાવવામાં આવેલી સભાના પ્રમુખપદેથી જે વિચારો દર્શાવ્યા હતા, તે, સુધારકો પ્રત્યે સૂગ ધરાવતા દરેક મહાનુભાવે વિચારવા-સમજવા જેવા છે. જેન’ પત્રના તા. ૨૮-૧૧-૧૯૪૮ના અંકમાં છપાયેલ અહેવાલ મુજબ ૧૪-૧૧-૧૯૪૮ના રોજ તેઓ બોલ્યા હતા – તિથિચર્ચાઓના ક્ષુલ્લક ઝગડાઓને ઝડપથી પતાવી નાખવા જોઈએ, અને આપણે એક થઈ જવું જોઈએ; તિથિચર્ચાઓના ઝઘડાઓએ માઝા મૂકી છે. ગામેગામ અને શહેરે-શહેર આ ઝઘડાઓએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું છે. એક પક્ષ જે દિવસે સંવત્સરી આરાધે તે દિવસે બીજો પક્ષ માલમલિદા ઉડાવે ! આ ઘણું જ શરમજનક છે. આવા ઝઘડા અંગે આપણો સમાજ ખૂબ જ પાછો પડતો જાય છે. કોઈ પણ જાતની ઉન્નતિ સાધવી હોય અને સમાજને ઊજળો બનાવવો હોય, તો તાત્કાલિક મતભેદ મિટાવી દો. સૌ એકત્ર થઈ જૈન સમાજની ઉન્નતિ માટે પ્રયત્ન નહીં કરો, તો લોકો બંડ કરશે. તમે મતભેદો નહીં મિટાવી દો, તો હવે અમે વધુ સહન કરનાર નથી. આ સ્થિતિ રહેશે તો સમાજ સુધરવાનો નથી. પૂજ્ય મુનિ મહારાજ જ્યાં-જ્યાં વિચરતા હોય ત્યાં-ત્યાં આ સંદેશો પહોંચાડશો. સૌ મુનિ મહારાજો એકસાથે બેસીને ઝઘડાઓનો નિકાલ લાવે.” મોડે-મોડે પણ શેઠથી અમૃતલાલભાઈને આવા વિચારો વ્યક્ત કરવા બદલ અભિનંદન આપવાનું મન થાય છે. તેમણે જે વાતો કરી છે, તે એટલી બધી સ્પષ્ટ છે, કે એ માટે કંઈ કહેવાની જરૂર નથી. આમાં ઠપકારૂપે, ચેતવણીરૂપે અને સલાહસૂચનારૂપે જે કંઈ કહેવામાં આવ્યું છે, તે આપણા સાધુ-સમુદાયને લક્ષીને જ કહેવામાં આવ્યું છે એ પ્રથમ દૃષ્ટિએ જ સમજી શકાય એમ છે. આવા તો બીજા અનેક દાખલાઓ અને પ્રસંગો રજૂ કરી શકાય; પણ એની કંઈ જરૂર નથી. શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસે કહેલું રૂઢિચુસ્તોને ભલે નવું લાગતું હોય, પણ નવીન વિચારવાળાઓ તો ઘણા જૂના સમયથી એ જ વાત કહેતા આવ્યા છે. એમ કહી શકાય કે સમાજના કલ્યાણની દૃષ્ટિએ જે વાત સુધારકોએ વર્ષો પહેલાં ઉચ્ચારી હતી, તે વાત રૂઢિચુસ્તો જાણ્યે-અજાણ્યું કે મને-કમને આજે ઉચ્ચારવા લાગ્યા છે. વાત એટલી જ કે જે સાચું છે એ સાચું જ રહેવાનું; ભલે પછી એને સમજતાં કોઈને થોડોક વિલંબ લાગે. સમાજકલ્યાણની જવાબદારી સાધુ-સમુદાયની છે અને પોતાનાં અંગત કારણોસર તેઓ એ તરફ ધ્યાન આપતા નથી – આપી શકતા નથી - એ વાત ધીમે-ધીમે સૌ કોઈને સમજાવા લાગી છે. જો વસ્તુસ્થિતિ આમ જ છે, તો પછી સુધારકોનો તિરસ્કાર કરવાની કે તેમને નાસ્તિક' વગેરે હીન વિશેષણો આપવાની જરૂર જ ન રહેવી જોઈએ. અમને તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy