SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન જો ધર્મપ્રવૃત્તિઓ જીવનસ્પર્શી હોય, તો એમાંથી જીવનશુદ્ધિ આપોઆપ નિષ્પન્ન થયા વગર ન રહે. અને જો જીવનશુદ્ધિનો લાભ થયો હોય તો એ આંતરિક રીતે ચિત્તશુદ્ધિરૂપે અને બાહ્ય રીતે વ્યવહારશુદ્ધિરૂપે પ્રગટ થાય જ થાય. પણ આજે તો આવી વ્યાપક શુદ્ધિ દોહ્યલી બની ગઈ લાગે છે – ગૃહસ્થવર્ગ અને ત્યાગીવર્ગપક્ષે. અને છતાં ધર્મક્રિયાઓ અને ધર્મોત્સવો તો ચાલતાં જ રહે છે. ધર્મ એક માર્ગે ચાલે અને જીવન જુદે માર્ગે ચાલે એવી વિષમતા આપણને ઠીક-ઠીક સદી ગઈ છે. પણ આ સ્થિતિ સાવ બિનકુદરતી છે; એનાથી મોક્ષગામી જીવનવિકાસ સહજ શકય જ નથી; એ માટે તો જીવનશુદ્ધિના પ્રેરક ધર્મનું જ આપણે સ્વાગત કરવું રહ્યું. અને આવો ધર્મનો પાયો તો શાસ્ત્રકારોએ અર્થશુદ્ધિ એટલે કે નીતિમત્તા અને પ્રામાણિકતાને કહેલ છે; તો એના વગર ધર્મની સાચી પરિણિત કેવી રીતે થવાની છે ? મોટી કરુણતા તો એ છે, કે સંઘના અગ્રપદે બિરાજતો આપણો શ્રમણસમુદાય ધર્મમાર્ગના પાયારૂપ પ્રામાણિકતા માટે ન તો સાતત્યપૂર્ણ આગ્રહ રાખે છે કે ન તો અંતઃસ્પર્શી પ્રેરણા આપે છે. ૨૨૦ અને અત્યારની આપણી સંઘવ્યવસ્થા માટે તો કહેવું જ શું ? આપણને એ સમજતાં વાર ન લાગવી જોઈએ, કે એ અરાજકતાનો નમૂનો બની ગયેલ છે. આપણા શ્રમણસંઘ અને શ્રાવકસંઘ બંનેમાં અત્યારે એવી અરાજકતા પ્રવર્તે છે, કે છડેચોક આચારવિમુખતા, અપ્રામાણિકતા અને કલહવૃત્તિ વધતી હોવા છતાં, ન કોઈ કોઈને કંઈ કહી શકે છે, ન કોઈ કોઈને રોકી શકે છે ! શું આ બધું આપણે આ પ્રમાણે ચાલવા દેવું છે ? (૨) ધર્મક્ષેત્રમાં સાધ્ય અને સાધનની શુદ્ધિ કૉન્ફરન્સના જુન્નેર-અધિવેશન વખતે, અમદાવાદમાં પરમાનંદ-પ્રકરણ-સમયે અને તાજેતરમાં જ કલકત્તામાં બાળદીક્ષાનો વિરોધ કરવા માટે મળેલી સભામાં ધર્મ-ઝનૂનથી ઘેલા બનેલા રૂઢિચુસ્ત જૈનોએ, પોતાથી જુદો વિચાર ધરાવનારાઓને માર મારવા જેટલી હદે જઈને પોતાની વિકૃત ધર્મભાવનાનું જે પ્રદર્શન કર્યું, તે જૈનધર્મના સંરક્ષણ અને સંવર્ધનની દૃષ્ટિએ ખાસ વિચાર કરવા જેવું અમને લાગ્યું છે. Jain Education International (તા. ૧૮-૮-૧૯૭૧) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy