SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જૈનસંઘોની આંતરિક એક્તા અને શુદ્ધિ (૧) ધર્મ અને સંઘની શોભાને સાચવવાની વ્યક્તિની જવાબદારી સમૂહ, સંઘ કે સમાજના પાયામાં વ્યક્તિ રહેલી છે; અને વ્યક્તિઓનાં ગુણઅવગુણ, શક્તિ-અશક્તિ અને સદાચરણ-દુરાચરણ જ છેવટે સંઘ કે સમાજના સારાખોટાપણાના કે સામર્થ્ય-અસામર્થ્યનાં જનક બની રહે છે. વળી, જેવો સંઘ એવો જ ધર્મ. એટલે છેવટે ધર્મ અને સંઘની પ્રતિષ્ઠાને સાચવી રાખીને તેમની શોભાને વધારવાની જવાબદારી વ્યક્તિની જ છે. આ વાતને જરાક જુદી રીતે પણ વિચારી શકાય : ધર્મ, સંઘ, સમાજવ્યવસ્થા – એ બધાંયનો હેતુ વ્યક્તિનું સમુચિત ઘડતર કરીને એનાં દુઃખ-દારિદ્ય-કષ્ટનું નિવારણ કરીને એને સુખી ક૨વાનો છે. જે વ્યક્તિને બીજી દુષ્ટ કે દુર્ગુણી વ્યક્તિના હાથે થતા અન્યાય, અધર્મ કે અત્યાચાર સહન કરવા પડતા હોય, એને એમાંથી ઉગારી લેવાનું કામ કે સામર્થ્ય ધર્મ કે સંઘનું જ લેખાય છે. એટલે જે ધર્મ, સંઘ કે સમાજ નિર્બળ, ગરીબ અને અસહાય વ્યક્તિને આવું રક્ષણ ન આપી શકે, એ પોતાનાં નામ અને કામને ચરિતાર્થ કરવાને બદલે એને છેહ આપે છે એમ જ સમજવું. અને જ્યારે ખુદ ધર્મ કે સંઘને જ નામે વ્યક્તિ ઉપર અન્યાય વરસાવવામાં આવે અથવા તો એના સ્વાતંત્ર્ય કે અધિકારોને રૂંધી નાખવાનો પ્રયાસ કરવામાં આવે, તો સમજવું કે આ તો ખુદ જળમાંથી જ જ્વાળા પ્રગટી ! જે ધર્મ અને સંઘ માનવીનાં કલ્યાણ, વિકાસ અને ઉદ્ધારનો માર્ગ ચીંધે અને એની આડે આવતા અવરોધોને દૂર કરે, એ જ સાચો ધર્મ અને સંઘ. એ જ રીતે જે વ્યક્તિ ધર્મભાવનાને અને સંઘવ્યવસ્થાને ટકાવી રાખવા, દૃઢ કરવા અને ગૌરવશાળી બનાવવા પોતાના સ્વાર્થનું અને વ્યક્તિત્વનું વિલોપન કરવા સદા તત્પર હોય એ જ સાચો માનવી બની શકે; અને ધર્મ અને સંઘનું એક અંગ હોવાનું ગૌરવ પણ પામી શકે. બાકી તો, સ્વચ્છંદી, આપમતલબી અને શિસ્ત-સંયમની ભાવનાની ઉપેક્ષા કરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy