SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૩, ૪૪ ૨૦૫ (૪૩) હરિજનને પણ દીક્ષા આપવાની તૈયારી તેરાપંથી મહાસભાના સાપ્તાહિક “જૈન-ભારતી'ના તા. ૨૧-૯-૧૯૭૫ના અંકમાં પ્રગટ થયેલા હરિજનને દીક્ષા આપવા અંગેના આચાર્ય શ્રી તુલસીના વિચારો જાણવા ઉપયોગી થઈ પડશે – જ્યારે આચાર્ય તુલસીએ હરિજનોનું કામ હાથ ધર્યું. ત્યારે એમણે બધાં પાસાંઓ ઉપર વિચાર કર્યો હતો. સૌથી પહેલાં તો એમને જોવું હતું કે આ પ્રશ્નને કારણે અમારા સાધુસંઘમાં કેવા કેવા પ્રશ્નો ઊભા થાય છે અને એનું સમાધાન અમે કેવું આપીએ છીએ. જો એનું સમાધાન અમે પોતે જ ન કરી શકીએ તો ખાલી ચર્ચાનો કોઈ અર્થ નથી. કેટલાક સાધુઓ અને આસપાસના લોકોએ પૂછ્યું કે જો કોઈ હરિજન દીક્ષા લેવા તૈયાર હોય તો શું એને દીક્ષા આપવાની આપની તૈયારી છે? આચાર્યશ્રીએ કહ્યું કે શા માટે નહીં? જો વ્યક્તિ યોગ્ય હોય તો એને દીક્ષા દેવા માટે હું આજે પણ તૈયાર છું. લોકોએ પૂછ્યું : “શું આપ હરિજનોના ઘરેથી ભિક્ષા લેવા તૈયાર છો ?” આચાર્યશ્રીએ કહ્યું: “એમાં કોઈ રુકાવટ નથી; જ્યાંથી પણ શુદ્ધ આહાર મળશે ત્યાંથી ભિક્ષા લેવાની અમારી તૈયારી છે.” આચાર્ય તુલસીનો આ જવાબ, જે ઇચ્છતો હોય એને, વર્ણ, જ્ઞાતિ કે કુળનો ભેદ ભૂલીને, ઉદારતાથી ધર્મની પ્રભાવના કરવાની વ્યાપક ધર્મભાવનાનું સૂચન કરે એવો અને જૈનધર્મના હાર્દને સ્પર્શે એવો છે. (તા. ૨૬-૬-૧૯૭૬) (૪૪) મોર અને પીછાં જૈન સમાજ સંન્યાસીવર્ગ, શ્રીમંતો અને સામાન્ય જનતા એમ ત્રણ અંગમાં વહેંચાયેલો છે. આ ત્રણે અંગોમાં હંમેશાં સુસંવાદ પ્રવર્તી રહે અને વિસંવાદનું વિષ અળગું રહે તો જ સમાજશરીર તંદુરસ્ત, બળવાનું અને દીપ્તિમાનું રહી શકે. આ ત્રણ અંગો વચ્ચેના સુમેળમાં જેટલી ખામી એટલું જ સમાજનું કમભાગ્ય આજે જૈન સમાજનાં આ ત્રણ અંગો વચ્ચે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે અને એ ત્રણે વચ્ચે પરસ્પરમાં કેવો સંબંધ બંધાઈ ગયો છે એનો વિચાર કરવાની ખાસ જરૂર છે; કારણ કે આજે તો એ દીવા જેવું સ્પષ્ટ છે કે આપણો સમાજ ઠીકઠીક કમજોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy