SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જિનમાર્ગનું અનુશીલન બની ગયો છે અને દિવસે-દિવસે વધુ ને વધુ કમજોર બનતો જાય છે. આ કમજોરીને જો જલદીમાં જલદી ડામવામાં ન આવે તો આપણી હસ્તી પણ જોખમમાં મુકાઈ જાય. અમને તો સ્પષ્ટ લાગે છે કે આપણાં આ ત્રણ અંગો વચ્ચે આજે સુમેળ પ્રવર્તતો નથી. અને જ્યારે શરીરનું એક અંગ બીજા અંગને સહાયતા કરવાનો ઇન્કાર ભણતું હોય કે એની સ્થિતિ તરફ આંખમીંચામણાં કરતું હોય ત્યારે એનું પરિણામ શરીરના નાશ સિવાય બીજું શું આવે ? શરીરનું એક સશક્ત અંગ બીજા અશક્ત અંગને મદદ કરવામાં પાછું પડે, તો એ અશક્ત અંગની સાથે છેવટે એ સશક્ત અંગ પણ દુર્દશાનું ભોગ બન્યા વગર નહીં રહેવાનું. શરીરનાં અંગો એકબીજા તરફ બેદરકાર બનીને છેવટે એકબીજાનો છેદ ઉડાવી દેનારાં ન નીવડે એ માટે દરેક અંગ બીજા અંગની જાળવણી માટે સદા તત્પર રહે એ જ એકમાત્ર ઇલાજ છે. ઉપર કહ્યું તેમ, જૈન સમાજનાં ત્રણ અંગો વચ્ચે આવી પરસ્પરને સહાયક બનવાની ભાવનાનો આજે અભાવ છે. આને જરાક વિગતપૂર્વક જોઈએ : આપણા મુનિરાજો ને આપણા શ્રીમંત સગૃહસ્થો વચ્ચે આજે ઠીક-ઠીક પ્રમાણમાં મેળ પ્રવર્તે છે. આપણા ગુરુવર્યોને પોતાનાં – પોતે માનેલાં – ધાર્મિક કાર્યો માટે નાણાંની જરૂ૨ છે, આપણા શ્રીમંતોને પોતાનું યશોગાન કરે એવા પ્રશંસકની જરૂ૨ છે. આમ મુનિવરો અને શ્રીમંતોની આ જુદીજુદી જરૂરિયાતોએ બંનેની વચ્ચે આંધળા અને પાંગળાના વચ્ચે જન્મે છે એવો સુમેળ જન્માવી દીધો છે. આજે તો ગુરુઓને શ્રીમંતો વગ૨ સૂનુંસૂનું ભાસવા લાગે છે. પરિણામે, જે લક્ષ્મીને આપણા શાસ્ત્રકારોએ ચંચળ અને અસ્થિર કહીને વારંવાર સારહીન કહી છે, એની આસપાસ જ જાણે ધર્મ ગોઠવાઈ ગયો હોય એવું કઢંગું વાતાવરણ જામી ગયું છે. બીજી બાજુ શ્રીમંતોનાં દાન પણ પ્રશંસા અને કીર્તિની આસપાસ જ ઘૂમવા લાગ્યાં છે : વાહવાહ નહીં તો દાન નહીં. પરિણામે, ગુપ્તદાનનો મહિમા આપણા અંતરમાંથી સરી જવા લાગ્યો છે. આમ ધન અને કીર્તિની ગરજે આપણા ગુરુઓ અને શ્રીમંતો એકબીજાની સાથે એવા ગંઠાઈ ગયા છે કે એકબીજાને એકાદ કડવું વેણ કહેવાને પણ અશક્ત બની ગયા છે . અપવાદ છતાં, મોટા ભાગની સ્થિતિ આવી છે. આનું સૌથી ભયંક૨ પરિણામ એ આવ્યું છે, કે આપણા બંને નાયકો – સાધુઓ અને શ્રીમંતો – આપણી સામાન્ય જનતાને ઠીકઠીક પ્રમાણમાં વીસરી ગયા છે, વીસરતા જાય છે. અત્યારે તો જાણે પોતાના પગમાં પગરખાં હોય તેને આખી પૃથ્વી ચામડે મઢેલી લાગે, કે પોતાનું પેટ ભરેલું હોય તેને આખી દુનિયા તૃપ્ત ભાસે એવો ત્રાગડો રચાઈ ગયો છે. ગુરુઓ અને શ્રીમંતો પરસ્પર એવા સંતુષ્ટ બન્યા છે કે એમને સામાન્ય જનતાની સ્થિતિની ચિંતા વિશેષ સતાવતી જણાતી નથી. અલબત્ત, આપણા ગુરુઓ અને શ્રીમંત મહાનુભાવો કેટલીય વાર સામાન્ય જનતા(મધ્યમવર્ગ)ના દુ:ખનું વર્ણન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy