SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જિનમાર્ગનું અનુશીલન (૪૧) યોગ્યતાને આધારે દીક્ષાઃ એક ઠરેલ અભિગમ દીક્ષા કોને આપવી અને કોને નહિ એ સંબંધી આપણે ત્યાં ઠીકઠીક વિચારભેદ પ્રવર્તે છે. એક વર્ગ દીક્ષામાં યોગ્યતાને પ્રથમ સ્થાન આપવાનો આગ્રહ સેવે છે. બીજો વર્ગ યોગ્યતા-અયોગ્યતાના વિચારને આઘો મૂકી ગમે તેને દીક્ષા આપી દેવાનો જ આગ્રહ ધરાવે છે. અમને પોતાને તો, જે દીક્ષાને માગે તેને વગર વિચાર્યું અને વગર ઊંડી તપાસ કર્યો આપી દેવા જેવી સોંઘી ચીજ ગણી લેવામાં સમાજનું, સંઘનું, ધર્મનું, સાધુસમુદાયનું અને દીક્ષા લેનાર વ્યક્તિનું પોતાનું એમ સૌનું હિત જોખમાતું હોય એમ ચોક્કસ લાગે છે, અને તેથી વ્યક્તિની યોગ્યતાની તપાસને અંતે જ દીક્ષા આપવી જોઈએ એમ અમે માનીએ છીએ. પણ અમારી આ માન્યતાનો સ્વીકાર કરવામાં આવે કે ન આવે, છતાં એટલું તો સાચું જ છે કે દીક્ષાને માટે કંઈક પણ નિયંત્રણ સ્વીકાર્યા વગર ચાલે એમ નથી; નહીં તો એક બાજુ સાધુ-સમુદાયની શિથિલતામાં વધારો થતો રહેશે અને બીજી બાજુ સંઘની જવાબદારી પણ વધતી રહેશે. પરિણામ છેવટે સંઘની આંતરિક શક્તિની ઓટમાં જ આવશે. આ દૃષ્ટિએ વિચારતાં દિલ્હી(ચાંદની ચોક)ના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસંઘની વ્યવસ્થાપક કમિટીએ તા. ૧-૫-૧૯૫૯ના રોજ દીક્ષા અંગે નીચેનો જે ઠરાવ કર્યો છે, તે અમને આવકારપાત્ર લાગ્યો છે : જે કોઈ સ્થાનકવાસી જૈનને આ ક્ષેત્રમાં દીક્ષા આપવાની હોય, તેની સૂચના શ્રીસંઘને એક માસ અથવા યોગ્ય સમય પહેલાં મળી જવી જોઈએ, જેથી શ્રીસંઘ તેમની યોગ્યતા અને અયોગ્યતા તથા પૂર્વ અને વર્તમાન જીવન પર વિચાર કરીને, દીક્ષા આપવાની સ્વીકૃતિ આપી શકે.” આમાં પણ સંઘની સ્વીકૃતિની પાછળ મુખ્ય હેતુ દિક્ષાના ઉમેદવારની યોગ્યતાઅયોગ્યતાની ચકાસણી જ છે, એટલે એને દીક્ષામાં શ્રાવકસંઘનો હસ્તક્ષેપ માની લેવામાં આવે, તો તે કેવળ ટૂંકી બુદ્ધિ જ લેખાય ! વ્યક્તિ યોગ્ય હોય, છતાં એને દીક્ષા આપવાની સંમતિ શ્રાવકસંઘ નહીં આપે એમ માની લેવું એ ખોટું છે, સિવાય કે એથી દીક્ષા આપનારની મનસ્વિતા ઉપર નિયંત્રણ આવતું હોય. અને જો અયોગ્ય વ્યક્તિની દીક્ષા અટકે કે એની યોગ્યતા પુરવાર થતાં સુધી વિલંબમાં પડે તો સરવાળે સૌને તે લાભકર્તા જ નીવડવાનું છે. આગળ જતાં, આ ઠરાવ પછી, શ્રમણસંઘને આમ વિજ્ઞપ્તિ કરવામાં આવી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy