SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ (૩૭) એક નિરુત્તર માર્મિક પ્રશ્ન એક પડકાર - જિનમાર્ગનું અનુશીલન સ્થાનકવાસી જૈનસંઘનાં એક સાધ્વીજી મહાસતી શ્રી સુમતિકુંવરસ્વામીએ એક નિવેદન તા. ૮-૩-૧૯૫૪ના ‘જૈનપ્રકાશ'માં પ્રગટ કર્યું છે તે વિચારવા જેવું હોવાથી નીચે ઉદ્ભુત કરીએ છીએ ઃ જૈનાગમોમાં શ્રમણ-શ્રમણી બંનેને સમાન રૂપ આપવામાં આવ્યું છે. ઠાણાંગ સૂત્રમાં ‘અધર્મો ચૈવ ગળધર્મો ચેવ' એવું કહી અણગાર-ધર્મમાં, શ્રમણ-શ્રમણી (સાધુ-સાધ્વી) બંનેનો સમાવેશ કર્યો છે અને ચતુર્વિધ સંઘ(સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા)માં પણ બંનેનો દરજ્જો સરખો માનવામાં આવ્યો છે. પરંતુ સાધ્વીવર્ગને શાસ્ત્રમાં જેટલું મહત્ત્વ મળ્યું છે તેટલું જીવનક્ષેત્રમાં મળ્યું નથી એ આજનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે. “જ્યારે આપણે જૈન ઇતિહાસનું અવલોકન કરીએ છીએ, ત્યારે અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીરથી માંડી આજ સુધી આચાર્યોની પાટપરંપરા સ્વર્ણાક્ષરોથી અંકિત થયેલી મળે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે શ્રમણીવર્ગનું નામ ઇતિહાસના પાને નજરે પડતું નથી . તીર્થંકર ભગવાન ઋષભદેવના યુગમાં મહાસતીજી શ્રી બ્રાહ્મી અને સુન્દરીજી થઈ ગયાં. તે જ પ્રમાણે અન્ય ૨૨ તીર્થંકરોના સમયમાં અન્ય મહાસતીજીઓ થઈ ગયાં અને ભગવાન મહાવીરના યુગમાં મહાસતી શ્રીચંદનબાળા થયાં છે. પરંતુ તેમના પછી ૩૬ હજાર શ્રમણીઓમાંથી કોણ પ્રવર્તિની કે મુખ્યા બની તેનો ઉત્તર ઇતિહાસમાંથી મળતો નથી. Jain Education International “આપણા આચાર્યોએ સંઘની એક બાજુરૂપ ‘શ્રમણ’-વર્ગની પરંપરા તો બરાબર કાયમ રાખી છે, પરંતુ કોણ જાણે સંઘની બીજી બાજુને વિસ્મૃતિના ગહન અંધકારમાં કેમ વિલીન કરી છે ? જો કે સંઘના વિકાસમાં શ્રમણીવર્ગનો પણ મોટો હાથ છે અને સંઘમાં તેઓનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. “હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તો ઇતિહાસનાં પાનાઓમાં ક્યાંય ‘શ્રમણી’ (સાધ્વી)-વર્ગની પરંપરા મળતી નથી. તો જો આપણા પૂજનીય આચાર્યો તેમ જ મહાન સાધુ-સાધ્વીઓના ધ્યાનમાં હોય તો મારી સવિનય વિનંતિ છે કે તેઓ કૃપા કરી બતાવે, અને સ્મૃતિમાં ન હોય તો સંઘની આ બીજી બાજુને કેમ ભૂલવામાં આવી છે તેના ઉપર પ્રકાશ પાડે. આપણા આચાર્યો આના ઉ૫૨ ધ્યાન આપશે તો ઘણો જ ઉપકાર થશે.’’ For Private & Personal Use Only (તા. ૨૦-૩-૧૯૫૪) www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy