SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૮ (૩૮) જેટલું મુશ્કેલ એટલું જ ઉપયોગી કાર્ય સાધ્વી-સંમેલન જૈનસંઘના જાણીતા વિદ્યાપ્રેમી, વિચારક અને લેખક ભાઈશ્રી અગરચંદજી નાહટાએ થોડા વખત પહેલાં સાધ્વીઓના સંમેલનની જરૂ૨ અંગે એક લેખ લખ્યો હતો એ તરફ અમારું ધ્યાન ગયું છે. એથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. શ્રી નાહટાજીનો આ લેખ મૂળ ‘ભારત જૈન મહામંડળ'ના માસિક મુખપત્ર ‘જૈનજગત્ 'ના ગત ફેબ્રુઆરી માસના અંકમાં છપાયો હતો. એ પછી થોડાક સંક્ષેપ સાથે એ લેખ ‘જૈન' પત્રના તા. ૨૫-૨-૧૯૬૭ના અંકમાં છપાયો છે. આ લેખમાં શ્રી નાહટાજીએ અત્યારના સમયમાં જૈન સાધ્વીઓના સંમેલનની ખાસ જરૂ૨ હોવાનો નિર્દેશ કરવાની સાથેસાથે જુદાજુદા ફિરકાઓનાં સાધ્વીજીઓના સામાન્ય વિકાસનો પણ ઉપયોગી અને યથાર્થ ખ્યાલ આપ્યો છે. ચારે ય જૈન ફિરકાઓના સાધ્વીજીઓના અભ્યાસ અને વિકાસ અંગેનો પોતાનો અભિપ્રાય દર્શાવતાં તેઓ કહે છે ય ૧૯૫ - Jain Education International “ જ્યારે હું દરેક સંપ્રદાયનાં સાધ્વીઓની પ્રગતિનો વિચાર કરું છું, ત્યારે મને એમ લાગે છે કે દિગંબર સમાજનાં આર્યાઓ હજી મોટે ભાગે કંઈક દબાયેલાં છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તપાગચ્છનાં સાધ્વીઓ, સાધુઓની મુખ્યતાને કારણે, જોઈએ તેવી પ્રગતિ કરી શકતાં નથી. ખરતરગચ્છમાં સાધુઓ બહુ ઓછા હોવાને કારણે, એ ગચ્છનાં સાધ્વીઓને ધર્મ-પ્રચારનું કામ વધારે કરવું પડે છે, તેથી એમનાં અધ્યયનમાં અને વક્તૃત્વકલામાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનકવાસી સાધ્વીઓમાં પણ ભણેલાંગણેલાં સાધ્વીઓ ઘણાં છે, પણ એ અભ્યાસની સરખામણીમાં, સાધુઓની અધિકતા અને મુખ્યતાને કારણે, તેઓ પ્રગતિ સાધી શકયાં નથી. તેરાપંથી સમુદાયનાં આર્યાઓએ આચાર્ય તુલસીના કુશળ નેતૃત્વમાં, છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન જે પ્રગતિ સાધી છે તે આશ્ચર્યકારક અને ચોંકાવી દે એવી છે... તેરાપંથનાં સાધ્વીઓને જ્યારે-જ્યારે મળવાનું થાય છે અને એમના લેખો ‘જૈન-ભારતી’, ‘અણુવ્રત', ‘અનેકાંત' જેવાં પત્રોમાં વાંચું છું ત્યારે મને એવું લાગે છે, કે થોડાંક વર્ષ પહેલાં જે સંપ્રદાયનાં સાધ્વીઓમાં એક પણ વિદુષી સાધ્વી ન હતાં, હિંદીમાં ભાષણ આપી શકે કે લખી શકે એવાં પણ ભાગ્યે જ હશે, એ સંપ્રદાયનાં સાધ્વીઓ આજે સુંદ૨ લેખો લખે છે, પ્રભાવશાળી ભાષણો આપે છે, પ્રાકૃત-સંસ્કૃત-અંગ્રેજી વગેરે ભાષાઓમાં ધારાવાહી રીતે ભાષણ આપી શકે છે, અવધાનના પ્રયોગો કરેછે, શીઘ્રકવિતા બનાવે છે અને જ્ઞાન-ધ્યાનમાં અનેક રીતે પ્રગતિ કરી રહ્યાં છે; તો પછી બીજા સંપ્રદાયોમાં થોડા વખતમાં આવાં સાધ્વીઓ કેમ તૈયાર ન થઈ શકે ? સાધુસમુદાય અને શ્રાવક-સમાજે એમની પ્રગતિને માટે જે જરૂરી સાધનો પૂરાં પાડવાં જોઈતાં હતાં, અને એમને જે પ્રકારનાં માર્ગદર્શન અને પ્રોત્સાહન મળવાં જોઈતાં હતાં, એ ન મળી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy