SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૬ અથવા કદાચ તેથી જ સાધ્વી-સમુદાયનો વિકાસ કરવા માટેની જરૂરી છૂટ આપવાની વાત આવે છે ત્યારે, શાસ્ત્ર અને પરંપરાની દુહાઈ દઈને, અવરોધો મૂકવામાં આવે છે ! તપગચ્છમાં સાધ્વી-સંઘ પ્રત્યે પ્રવર્તતી આવી અન્યાયી અને સંકુચિત વૃત્તિ અંગે પોતાની નારાજી વ્યક્ત કરતાં આપણા જાણીતા ચિંતક અને લેખક સ્વ. શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી (‘સુતેજ')એ લખેલ ‘મંગલં ભગવાન વીરો યાને શ્રી મહાવી૨ જીવન-જ્યોત' નામે પુસ્તકની પ્રસ્તાવનામાં યોગ્ય જ કહ્યું છે ૧૯૧ “સાધ્વીજીઓને વ્યાખ્યાનનો અધિકાર નહિ, દીક્ષા આપવાનો અધિકાર નહ પ્રતિષ્ઠાક્રિયા કરાવવાનો અધિકાર નહિ – આ અને આવી અનેક પ્રથાઓનો હવે અંત આવી જવો જોઈએ. આવી-આવી વાતોને ટેકો આપતાં વિધાનો શોધી કાઢવાં એ પણ આપણી અહંવૃત્તિનું જ માત્ર પ્રતીક છે. પ્રધાનતા નથી તો પુરુષની કે નથી તો સ્ત્રીની; પ્રધાનતા તો વ્યક્તિના શુદ્ધ અને નિર્મળ ચારિત્રની છે.........” સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજીએ પોતાના ઉક્ત પુસ્તકના ‘સાધ્વીસંઘની મહત્તા’ નામે છેલ્લા પ્રકરણમાં તપગચ્છનાં સાધ્વીઓની બાબતમાં લખ્યું છે “પાર્શ્વચંદ્ર-ગચ્છ, શ્રી ખરતર-ગચ્છ, શ્રી અચળ-ગચ્છ તેમ જ સ્થાનકવાસી સંઘમાં સાધ્વીવર્ગનું મહત્ત્વ સચવાતું આવ્યું છે. માત્ર તપગચ્છના અમુક વિભાગ સિવાય સાધ્વીજીવર્ગને સભામાં પાટ પર બેસી વ્યાખ્યાન આપવાની છૂટ હોવાથી અભ્યાસ, વાચન, ચિંતન અને મનનમાં કંઈક પ્રગતિ જણાય છે. પણ તપગચ્છ વિશાળ છે. એમાં ઘણાં સાધ્વીરત્નો પાણીદાર મોતી સમાન ચમકે છે. જો તેમને જોઈતી સગવડતાઓનો ઓપ આપવામાં આવે, તો ઘણાં રત્નો બહાર આવે અને જૈનશાસનનો ચાંદ સોળે કળાએ ખીલી ઊઠે. ચતુર્વિધ સંઘનું બીજું અંગ સિદાય છે, પણ તેની જાણે કોઈને ૫૨વા જ નથી ! આ શાસન મહાવીરનું છે, આ ધર્મ મહાવી૨નો છે, આ દીક્ષા પણ મહાવીરની જ છે; તો પછી એ દીક્ષિત આત્માઓને મહાવીરની શિક્ષાથી શા માટે વંચિત રાખવા ? દીક્ષાનો ભિક્ષા સાથે જેટલો સંબંધ છે તેનાથી અનેકગણો શિક્ષા સાથે સંબંધ હોવો જોઈએ. એ માટે દીક્ષાર્થી બહેનો અને બાલિકાઓ માટે, ભારતભરમાં જુદાંજુદાં સ્થળે સર્વાંગી વિકાસ થાય તેવા જ્ઞાન-સંપાદન માટે ઓછામાં ઓછી પચીશ પાઠશાળાઓની અતિ આવશ્યકતા છે.” આ પ્રમાણે શ્રી મનસુખભાઈએ તથા સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજીએ જે કંઈ કહ્યું છે, એનો ગંભી૨૫ણે વિચાર કરવાની તથા અમલ કરવાની જરૂર છે. સાધ્વી-સમુદાયને અધ્યયન, લેખન, પ્રવચન માટેની મોકળાશ દ્વારા, પોતાનો વિકાસ કરવાની પૂરી તક આપવાની જરૂર આ બે કારણોસર પણ છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy