SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જિનમાર્ગનું અનુશીલન તપગચ્છના પણ સમયજ્ઞ, દીર્ઘદર્શી, ઉદાર આચાર્યો કે વડાઓ દ્વારા પોતાની આજ્ઞામાં રહેતો જે સાધ્વગણ શ્રાવિકાગણ તથા શ્રાવકસંઘ સમક્ષ પણ વ્યાખ્યાન વાંચવાની આવી અનુમતિ પામ્યો છે, એણે પણ પોતાનો આંતરિક ઉત્કર્ષ સાધવાની સાથે, ભગવાન તીર્થકરના ધર્મશાસનની સારા પ્રમાણમાં પ્રભાવના કરી છે અને લોકોકાર પણ ઘણો કર્યો છે તે આપણી નજર સામેની વાત છે, અને તે પ્રેરણા આપે એવી પણ છે – જો આપણે, ઉદારતા અને ખેલદિલી સાથે વાસ્તવિકતાનો સ્વીકાર કરવા તૈયાર હોઈએ તો. વળી, આવી મોકળાશ પામેલા કોઈ સાધ્વીસમુદાય દ્વારા આચારધર્મની જરા પણ ઉપેક્ષા થઈ હોય કે શિથિલતાનું થોડું ઘણું પણ પોષણ થવા પામ્યું હોય, અને એમ થવાને લીધે જૈનસંઘની ચારિત્રશુદ્ધિની પ્રાણભૂત ભાવનાનો પાયો હચમચી ગયો હોય એવું બન્યું નથી. તપગચ્છમાં વાગડ-સમુદાય' નામે જાણીતો એક સમુદાય છે. આ સમુદાય ન તો સુધારક છે કે ન તો એ નવા વિચારોને આવકારવાની વૃત્તિ ધરાવે છે; પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિઓને સાચવી રાખવાની એની પ્રકૃતિ છે. એમ છતાં, આ સમુદાયના સાધ્વી-સમુદાયને પણ એટલી તો છૂટ આપવામાં આવેલી જ છે કે કચ્છમાં જે શહેર કે ગામમાં મુનિરાજો ન હોય, ત્યાં આ સમુદાયનાં સાધ્વીજીઓ પુરુષો સમક્ષ પણ વ્યાખ્યાન વાંચી શકે છે. જે સંઘનાયકે, પરિસ્થિતિને પારખીને તથા લાભાલાભનો પણ વિચાર કરીને આ છૂટ આપી છે, તેઓએ મોટો ઉપકાર કર્યો છે. વસ્તુસ્થિતિ આટલી સ્પષ્ટ હોવા છતાં, તપગચ્છના અનેક અથવા તો મોટા ભાગના સાધ્વી-સમુદાયો ઉપર, એમના વિકાસમાં અવરોધરૂપ બની રહે એવાં અનેક જાતનાં નિયંત્રણો, શાસ્ત્ર અને પરંપરાના નામે, મૂકવામાં આવ્યાં છે, અને એમાંનું એક અને મુખ્ય નિયંત્રણ સાધ્વીજીઓ શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાન ન વાંચી શકે, અને વાંચે તો ધર્માજ્ઞાનો લોપ થાય – એ છે. પુરુષના સર્વોપરિપણાના અહંભાવી ખ્યાલે અને સંકુચિત માનસે ઊભો કરેલો આ કેવો કાલ્પનિક હાઉ છે ! ખેદ ઉપજાવે એવી કરુણતા તો એ છે, કે જે શ્રમણ સંઘ શાસ્ત્ર અને પરંપરાની મર્યાદાને સાચવવાને બહાને શ્રમણીસંઘને આવી વાજબી છૂટ આપવાનો ઈન્કાર કરે છે, એ શ્રમણસંઘે (શ્રમણસંઘના લગભગ બધા સમુદાયોએ) હમણાં-હમણાં આજીવન સામાયિક વ્રત, પાંચ મહાવ્રતો અને મૂલગુણોની વિરાધના થાય અથવા એમાં ઠીકઠીક પ્રમાણમાં ક્ષતિ આવી જવાને કારણે શિથિલાચારનું પોષણ થાય એટલી હદે છૂટછાટો લીધી છે – જેનો શાસ્ત્ર કે પરંપરા સાથે મેળ મળતો નથી! અને છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy