SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૪ ૧૮૧ સાધ્વી-સમુદાયની શારીરિક બિનતંદુરસ્તીનું કારણ ઠીકઠીક પ્રમાણમાં માનસિક હોય એમ લાગે છે. જો એમને મન પ્રફુલ્લ બનીને કામ કરવા પ્રેરાય એવી ઊંડા અધ્યયન-અધ્યાપન અને લેખન-પ્રવચનની પ્રવૃત્તિ કરવા મળે તો થોડા વખતમાં સ્વાથ્યમાં ઘણો મોટો ફેર પડી જાય એમાં શક નથી. આ તો અમે આ સંબંધી કેટલુંક સામાન્ય નિરૂપણ કર્યું છે. પણ અમે ઇચ્છીએ છીએ કે આનું ઊંડું નિરૂપણ સાધુ-સાધ્વી-વર્ગ તરફથી પણ કરવામાં આવે. (તા. ૨૪-૧૨-૧૯૬૦) એક મુનિનો જાતઅનુભવ ખાન-પાનમાં સ્વાદવૃત્તિ ને અસંયમનું કેવું માઠું પરિણામ આવે છે, અને અસ્વાદ અને સંયમનું કેવું સારું પરિણામ આવે છે, એ અંગે “સ્થાનકવાસી જૈન' પત્રના તા. પ-૭-૧૯૬૧ના અંકમાં એક જૈન મુનિએ “હું રોગમુક્ત કેમ બન્યો ?” એ નામે પોતાનો જાત-અનુભવ વર્ણવતો ટૂંકો લેખ લખ્યો છે, તે વાંચવા-વિચારવા જેવો હોવાથી અહીં સાભાર ઉદ્ધત કરીએ છીએ : “આજે આપણા ભારતમાં દિપ્રતિદિન રોગો વધી રહ્યા છે. અબજો રૂપિયાનો વિનાશ થઈ રહ્યો છે. નવી-નવી દવાઓ અને ઇજેકશનોની શોધ થઈ રહી છે, છતાં પણ રોગો તો ઘટવાને બદલે વધતા જ રહે છે. “રોગોનું મૂળ કારણ ખાનપાનનો અસંયમ જ છે. જ્યાં સુધી ખોરાકમાં યોગ્ય ફેરફાર નથી થતો, તેમ જ તેનું મૂળ નથી શોધાતું, ત્યાં સુધી તે દર્દ ફક્ત ઉપરથી જ દબાય છે, પણ જડમૂળમાંથી મટતું જ નથી, “સંસારીઓ તો રોગોના ભોગ બન્યા છે, પણ સંસારથી પર એવા ત્યાગીઓ કે સાધુઓ પણ રોગમાં ફસાએલા ને ખૂબ જ દવાનું સેવન કરતા નજરે પડે છે ત્યારે નવાઈ લાગે છે. આરોગ્યસંબંધી અજ્ઞાન ને ખોરાકનો અસંયમ જ રોગને નોતરે છે. આને માટે મારા જેવા બીજા સાધુઓ કે ત્યાગીઓને તથા ગૃહસ્થોને મારી સત્ય ઘટના પ્રેરક બને માટે રજૂ કરું છું. મેં સંયમ (સંન્યાસી લીધેલો તે પહેલાં મારું શરીર ખૂબ જ ખડતલ ને તંદુરસ્ત હતું; દવાની ખાસ જરૂર પડેલી જ નહિ, ને દવા પ્રત્યે ખૂબ જ નફરત હતી, તેમ ખાનપાન નિયમિત જ લેતો. સંન્યાસી થયા બાદ અમારી સાધુ-મર્યાદા પ્રમાણે ઘણાં ઘરની ભિક્ષા મળવા માંડી. તેથી નિયમિતતા તૂટી, તથા રસ-સ્વાદ વધવા માંડ્યો. ગળપણ ખૂબ ખાવા માંડ્યો, તથા કેરીનું અથાણું તો મને બહુ જ પ્રિય હતું. આના પરિણામે મારી હોજરી બગડવા માંડી, અવાર-નવાર કબજિયાત થવા માંડી, પણ મને તે સંબંધી જરા પણ ખ્યાલ નહોતો. કુદરતે બરોબર સજા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy