SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૧ ૧૬૯ ધર્મોત્સવો પણ પુષ્કળ થતાં રહે છે. આ બધું જ છે; અને છતાં પાપાચારીઓને શિક્ષા કરીને એમને સીધા રહેવાની કે ધર્મનો અંચળો તજી દેવાની ફરજ પાડીને ધર્મની શુદ્ધિને ટકાવી રાખે એવી શક્તિશાળી સંઘવ્યવસ્થા નથી. બીજાનું અનુશાસન કરવાની વાત તો દૂર રહી, અરે, શાસનના શિરતાજ ગણાતા મોટામોટા આચાર્યો સુધ્ધાં પોતાના અંતેવાસીઓને પણ એમના ચારિત્રદોષોને અનુરૂપ દંડ આપવાની હિંમત અને તાકાત ભાગ્યે જ દાખવી શકે છે ! સ્થિતિ તો એવી અવળી બની ગઈ છે, કે મોટા ભાગના ગુરુઓ પોતાના શિષ્યો આગળ પરવશ થઈ ગયા છે; દોષોને માટે એમને દાખલારૂપ શિક્ષા કરવાને બદલે, એમના દોષોને છાવરવાનો પ્રયત્ન કરવો પડે છે ! જ્યાં માથાભારે બની બેઠેલા સ્વેચ્છાચારીઓને આવો છુટ્ટો દોર મળી જતો હોય, ત્યાં નિર્મળ સંયમ દુર્લભ બને અને શિથિલાચારને ઉકરડાની જેમ વિકસવાનો માર્ગ મળે એમાં શી નવાઈ ? પાલેજમાં જેઓને માથે ચારિત્રભંગનો આરોપ આવ્યો છે અને જેઓએ સ્વાર્થપરાયણતા, સુખશીલતા અને કામ-વાસનાનો લપસણો માર્ગ અપનાવીને સાધુવેશનો અનિચ્છનીય ઉપયોગ કર્યો છે, એ બે સાધુવેશધારી વ્યક્તિઓને ઉદ્દેશીને કંઈ કહેવું લખવું એ કેવળ છાર ઉપર લીંપણ જેવું છે. ધર્મનો માર્ગ એ મુખ્યત્વે આત્મનિયમનનો માર્ગ છે. એ માર્ગની લક્ષ્મણરેખા શાસ્ત્રકારોએ તો બહુ જ સ્પષ્ટ રીતે દોરી આપેલી હોવા છતાં, એ એવી તો સૂક્ષ્મ છે, કે માનવી જરાક આત્મસંયમ ચૂક્યો કે એ લક્ષ્મણરેખાને લુપ્ત થતાં વાર લાગતી નથી. વ્યક્તિ રહે તો આપથી, અને જાય તો સગા બાપથી’ એવી જ ધર્મમર્યાદાના પાલનની વાત છે, આવા શિથિલાચારના કિસ્સાઓ જોઈને આપણને દુઃખ કે ખેદ થાય, અથવા રોષ આવે એ સ્વાભાવિક છે. પણ ખરો ખેદ કે રોષ તો આવી આચારહીનતાને નભાવી લે અને એની ઉપેક્ષા કરે એવી આપણી સંઘવ્યવસ્થા અંગે કરવા જેવો છે. છાપામાં આવેલા અહેવાલ પ્રમાણે, પાલેજના કેટલાક ભાઈઓએ આવી શિથિલાચારી વ્યક્તિઓ સાધુજીવનના પવિત્ર વેશનો દુરુપયોગ ન કરે અને બીજા ગામના સંઘો એમનાથી છેતરાતા બચે એ માટે એમનો વેશ ઉતારી લેવા જેવી હિંમત દાખવી; તો જાણે એમના આ હિંમતભર્યા પગલાનો છેદ ઉડાડી દેવા એ વ્યક્તિઓના સૂરતના કોઈ ભક્ત એમને સાધુવેશનું દાન કરવાની ઉદારતા દાખવી !.આ ભક્ત સંઘવ્યવસ્થા ઉપર એક પ્રકારનો ફટકો મારવા જેવું જ કામ કર્યું છે. પાલેજનો આ કિસ્સો તો આવા અનેક કિસ્સાઓમાંનો એક છે; નવી-નવાઈનો કિસ્સો નથી. આપણો શ્રમણ સમુદાય પણ આવી ઘટનાઓ અંગે આઘાત અનુભવવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy