SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જિનમાર્ગનું અનુશીલન લાગ્યું છે. નહીં તો અંદરથી ગરીબ બનતો જતો સમાજ બહારથી શ્રીમંત લેખાઈ શકે; અને મૂઠીભર શ્રીમંતોની આવી શ્રીમંતાઈના ગુરુવર્ગ-પ્રેરિત પ્રદર્શનના ભોગ સામાન્ય જનસમૂહને બનવું પડશે. (તા. ૨૮-૫-૧૯૬૦) (૩૧) સંઘની અરાજકતાનું તળિયું કયાં? વ્યક્તિની દષ્ટિ જ્યારે સમૂહ ઉપરથી ખસીને પોતાની જાત ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે સમષ્ટિના હિતના જોખમે વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધવામાં લાગી જાય છે. અને જ્યારે સમાજ આવી વ્યક્તિઓને શિક્ષા કરવાને બદલે એને મૂગે મોઢે નભાવી લેવા જેટલો કમ-તાકાત બને છે, ત્યારે વ્યક્તિ અને સમાજ બંનેની અધોગતિ થાય છે. સમાજમાં માથાભારે તત્ત્વોની બોલબોલા થવા લાગે છે, અને સામાન્ય માનવીના નસીબમાં કેવળ પરેશાન થવાનું જ લખાઈ જાય છે. છેલ્લા દોઢ-બે દાયકા દરમિયાનનું આપણા દેશનું રાજકારણ આ વાતની સાક્ષી પૂરે છે. પણ અમારે તો અહીં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને અનુલક્ષીને કહેવું છે. આનું નિમિત્ત છે બે સાધુવેશધારીઓનું પતન. આક્ષેપ કરવાનો દોષ વહોરીને પણ કહેવું જોઈએ કે આપણા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં જેમજેમ આચાર્યોની સંખ્યા વધતી ગઈ છે, તેમતેમ શ્રમણ-સમુદાયની અનુશાસનની શક્તિ તેમ જ સચ્ચરિત્રશીલતા ઘટતી રહી છે; અને આજે તો સંઘની સ્થિતિ નિર્ણાયક ટોળા જેવી બની ગઈ છે. આ કમનસીબ સ્થિતિનાં જેવાં આવવાં જોઈએ એવાં જ બે પ્રકારનાં માઠાં પરિણામ આવ્યાં છે. એક તો સંઘની સત્તા અને શક્તિને ભરખી જતી આવી કેવળ અનિષ્ટરૂપ જ નહીં, પણ ધર્મ અને સંઘવ્યવસ્થાના મૂળમાં કુઠારાઘાત કરતી ઘટનાઓ પ્રત્યે પણ આપણે દુર્લક્ષ કરવા ટેવાઈ જઈએ છીએ, અને બીજું: જો કોઈ વ્યક્તિ કે સંઘ આવી સ્વેચ્છાચારી અને પતિત વ્યક્તિ સામે સખ્ત પગલાં ભરવાની હિંમત દાખવીને ધર્મની પવિત્રતાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, તો એ જ વખતે બીજી કેટલીક વ્યક્તિઓ એવી પતિત સાબિત થયેલી વ્યક્તિને પણ પવિત્ર વ્યક્તિ તરીકે આવકાર આપવાનું પાપ આચરવા તૈયાર થાય છે – જે સંઘ અને ધર્મના હીરને અને તેજને નામશેષ કરી નાખે છે. આમ જુઓ તો આપણે ત્યાં ગામેગામ સંઘો છે, ધર્મના રખેવાળ એવા ધર્માચાર્યો, ધર્મગુરુઓ અને સાધ્વીસમુદાયની સંખ્યા પણ કંઈ ઓછી નથી. વ્રત, તપ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy