SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૭ ૧૬૧ એક વાત કયારેય ભુલાવી જોઈએ નહિ, કે સાધુજીવન એ પહેલાં પોતાનો ઉદ્ધાર કરવા માટે સ્વીકારવામાં આવેલું છે; રાગદ્વેષરહિત, કરુણા પ્રેરિત લોકોપકાર એ તો પોતાની સફળ જીવનસાધનાનું આનુષંગિક ફળ છે. એટલે જેઓ પોતાની જીવનસાધનાને બદલે, ખાસ તો સાંસારિક ઢબના અને નામનાની કામનાવાળા લોકોપકારને વધારે પડતું મહત્ત્વ આપે છે, તેઓ સરવાળે ન તો પોતાનું કલ્યાણ સાધી શકે છે કે ન તો બીજાઓનું સાચું હિત કરી શકે છે. (તા. ૧૮-૫-૧૯૬૩) ઉપર નિર્દેશેલ ઉચ્ચતર લોકોપકારની દૃષ્ટિએ વિહારનો મહિમા પણ નિર્દેશીએ: દેશની આમ જનતા માટે અત્યારનો સમય કેવો વિકટ છે એ માટે વિશેષ લખવાની જરૂર નથી. દેશના કે સમાજના સાધુસંતો એ બહુમૂલી મૂડી ગણાય. દીનદુઃખી અને સંતપ્ત માનવીઓને આશ્વાસન મેળવવાનું સર્વશ્રેષ્ઠ સ્થાન તે આવા પરઉપકારમાં મગ્ન રહેનારા સાધુસંતો અને મુનિવરો જ કહી શકાય. પાદવિહાર એ બીજા ધર્મ કે સંપ્રદાયના સાધુસંતો કરતાં જેન શ્રમણોની વિશેષતા હોવાથી તેઓ જનતાનો વધારેમાં વધારે સંપર્ક સાધવાનો અને લોકસમૂહનાં સુખદુઃખોનો પ્રત્યક્ષ પરિચય કરવાનો ભારે મોટો લાભ મેળવે છે. જે આફત અને દુઃખ દેશને અને સમગ્ર દુનિયાને ઘેરી વળ્યાં છે, તેનાથી જૈન સમાજ અલિપ્ત કે મુક્ત રહી શકે એ ન બનવા જેવી વાત છે. એટલે એક કાળે સુખી અને સમૃદ્ધ ગણાતો જૈન સમાજ દુઃખી અને દરિદ્ર થવા લાગ્યો છે એ વાતનું આપણને અને ખાસ કરીને નાયકપદે બિરાજતા ગુરુવર્યોને ભાન થવાની ખાસ જરૂર છે. એ માટે પોતાના વિહારો એ રીતે યોજવાની અમે તેમને વિનંતિ કરીએ છીએ. આપણા મુનિવરોના વિહાર અંગે અત્યારની પરિસ્થિતિ જોતાં બીજી પણ બે-ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે : પહેલું તો એ કે અત્યારના દેશકાળનો ખ્યાલ કરીને સાધુઓએ મોટા સમુદાયરૂપે ન વિચરતાં નાનીનાની સંખ્યામાં વિચરવું જોઈએ, જેથી કોઈ પણ ગામ કે શહેરને માટે બોજારૂપ ન થવા સાથે વધારે જનતાને તેમના સત્સંગનો લાભ મળી શકે. બીજું, અમે તો માનીએ છીએ કે જૈન જનતા ઉપરાંત જાહેર જનતા પણ નિર્દોષ ઉપદેશ સાંભળવામાં વધુ રસ ધરાવતી થઈ છે. એટલે સામાન્ય જનતાના કલ્યાણને નજર સામે રાખીને જો પ્રવચનો કરવામાં આવે તો જરૂર સહુ કોઈ રસપૂર્વક એને સાંભળે અને જીવનમાં ઉતારે. વળી, આજે સાધુઓના સમયાનુકૂળ વર્તનના અભાવને કારણે એમના ચુસ્તમાં ચુસ્ત ગણાતા અનુયાયીઓમાં પણ કચવાટની લાગણી કે નિંદા થતી જણાય છે. બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy